હરિત દેરાસરી

અકાલવૃદ્ધત્વ (progeria)

અકાલવૃદ્ધત્વ (progeria) : બાળપણ અથવા યુવાવસ્થામાં વૃદ્ધત્વનાં ચિહ્નો પ્રગટે તે અવસ્થા. ઘણી વાર તેનાં વારસાગત સંલક્ષણો (syndromes) હોય છે, જેમાં કોષીય તેમજ શારીરિક વૃદ્ધત્વનાં ઘણાં લક્ષણો જોવા મળે છે. પરંતુ માનસિક વૃદ્ધત્વ આવતું નથી. બાલ્યાવસ્થામાં હચિન્સન-ગિલ્ફર્ડ સંલક્ષણ અને પુખ્તાવસ્થામાં વર્નરનું સંલક્ષણ અકાલવૃદ્ધત્વ લાવે છે. હચિન્સન–ગિલ્ફર્ડ સંલક્ષણમાં હૃદય અને મગજના રુધિરાભિસરણની…

વધુ વાંચો >

અછબડા

અછબડા (chicken pox) : બેથી છ વર્ષનાં બાળકોને ઝીણી ફોલ્લીઓ અને ફોલ્લા કરતો વિષાણુજન્ય (viral) ચેપી રોગ. તે જોતજોતામાં વાવડનું રૂપ ધારણ કરે છે. વેલરે 1953માં બતાવેલું કે આ જ રોગના વિષાણુથી હર્પિસ ઝોસ્ટર નામનો વ્યાધિ પણ થાય છે. તેથી તેને અછબડા-ઝોસ્ટર વિષાણુ કહે છે. દર્દીના શ્વસનમાર્ગમાં અને ફોલ્લાની રસીમાં…

વધુ વાંચો >

અરુચિ મનોવિકારી

અરુચિ, મનોવિકારી (anorexia nervosa) : અપપોષણથી પોતાની જાતને કૃષકાય (cachexic) બનાવતી વ્યક્તિની માનસિક બીમારી. શરીરમાં અન્ય કોઈ રોગ હોતો નથી. ખિન્નતા (depression), મનોબંધ (obsession)ના જેવી માનસિક બીમારીઓ અને તીવ્ર મનોવિકારી (psychotic) ભ્રાંતિ(delusion)ના કારણે દર્દીના વર્તનમાં ફેરફાર દેખાય છે. આ માંદગી મોટેભાગે 12 20 વર્ષની કુમારિકાઓમાં જોવા મળે છે. આજની ઔદ્યોગિક…

વધુ વાંચો >

અર્લાન્ગર જોસેફ

અર્લાન્ગર, જોસેફ (જ. 5 જાન્યુઆરી 1874, સાનફ્રાન્સિસ્કો; અ. 5 ડિસેમ્બર 1965, સેન્ટ લુઈ, મોન્ટાના) : 1944ના શરીરક્રિયાવિદ્યા તથા આયુર્વિજ્ઞાનના નોબેલ પારિતોષિકના એક વિજેતા. સંશોધનનો વિષય એક જ ચેતાના વિવિધ તંતુઓ જુદાં જુદાં કાર્યો કરવાની ક્ષમતા ધરાવે છે, તે હતો. 1910માં ગૅસર તેમની સાથે સેન્ટ લૂઈ યુનિ.માં જોડાયા. શરીરક્રિયાવિદ્યા(physiology)ના સંશોધનમાં ઇલેક્ટ્રૉનિક…

વધુ વાંચો >

અંતરીક્ષ આયુર્વિજ્ઞાન

અંતરીક્ષ આયુર્વિજ્ઞાન : પૃથ્વીની આસપાસ નજીકમાં અલ્પાવકાશ અને દૂર શૂન્યાવકાશ છે. વચમાંના વિસ્તારને અંતરીક્ષ તરીકે ઓળખવામાં આવે છે. અંતરીક્ષમાં યાત્રીની શારીરિક પ્રક્રિયાઓમાં અનુભવાતા ફેરફારો તેમજ તેના સ્વાસ્થ્યરક્ષણ અંગેના શાસ્ત્રને અંતરીક્ષ આયુર્વિજ્ઞાન કહે છે. યાત્રીને અપાતી વિવિધ તાલીમ, તબીબી ઉપકરણોનો ઉપયોગ અને સ્વાસ્થ્ય માટે ભૂમિમથકેથી અપાતું માર્ગદર્શન, સફરની સફળતાના પાયામાં છે.…

વધુ વાંચો >

આઇકમાન, ક્રિસ્ટિયાન (Eijkman, Christiaan)

આઇકમાન, ક્રિસ્ટિયાન (Eijkman, Christiaan) (જ. 1 ઑગસ્ટ 1858, નિજકર્ક, નેધરલૅન્ડ્ઝ; અ. 5 નવેમ્બર 1930, યૂટ્રેક્ટ) : ફ્રેડરિક હૉપ્કિન્સ સાથે 1929નો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર સુપ્રસિદ્ધ ફિઝિશિયન અને પેથોલૉજિસ્ટ. તેમને મેડિકલ ડિગ્રી ઍમ્સ્ટર્ડેમ યુનિવર્સિટી(1883)માંથી મળી હતી.   1886માં બેરીબેરીનું કારણ શોધવા તેઓ જાવા ગયા હતા. આઇકમાને 1896માં નેધરલૅન્ડ્ઝ આવી, પબ્લિક હેલ્થ ઍન્ડ…

વધુ વાંચો >

આઘાત, સપૂયરુધિરતાજન્ય

આઘાત, સપૂયરુધિરતાજન્ય (septicaemic shock) : જીવાણુઓ(bacteria)ના વિષથી લોહીના ભ્રમણમાં ઊભી થતી તકલીફ. જીવાણુઓના અભિરંજન(staining)ની વૈજ્ઞાનિક ગ્રામની પદ્ધતિમાં અભિરંજિત ન થતા, ગ્રામ-અનભિરંજિત (gram-negative) જીવાણુઓનું અંત:વિષ (endotoxin) જ્યારે લોહીમાં પ્રવેશે ત્યારે રુધિરાભિસરણમાં ખલેલ પડે છે અને પેશીઓને મળતા લોહીનો પુરવઠો ઘટે છે. ક્યારેક ગ્રામ-અભિરંજિત (gram-positive) જીવાણુઓ પણ આવી પરિસ્થિતિ સર્જે છે. મહદ્…

વધુ વાંચો >

આર્બર, વર્નર

આર્બર, વર્નર (જ. 3 જૂન 1929, ગ્રાનિકેમ, સ્વિટ્ઝર્લૅન્ડ) : સ્વિટ્ઝર્લૅન્ડના પ્રસિદ્ધ સૂક્ષ્મજીવશાસ્ત્રી. શરીરક્રિયાશાસ્ત્રમાં પ્રતિબંધક ઉત્સેચકો અને તેમના આણ્વિક જનીનવિદ્યા(molecular genetics)માં ઉપયોગને લગતી શોધ માટે તેમને 1978નું નોબેલ પારિતોષિક નાથાન્સ અને હૅમિલ્ટન ઑર્થોનેલ સ્મિથની સાથે એનાયત થયેલું. પ્રતિબદ્ધ ઉત્સેચકો ડી.એન.એ.ના મોટા અણુઓને તોડીને તેમનું મહત્વની જનીનીય માહિતી દર્શાવતા નાના વિભાગોમાં વિભાજન…

વધુ વાંચો >

આહારમાં રેસા

આહારમાં રેસા : માનવઆહારમાં રેસાવાળા આહારનું મહત્વ છે. મુખ્યત્વે તે વનસ્પતિજન્ય ખોરાકમાં જણાય છે. તેમાં લીલાં શાકભાજી, સૂકાં ફળો (છાલ સાથે), ગાજર, લીલા વટાણા, નારિયેળ, સૂર્યમુખીના ફૂલનાં બિયાં, ઇસબગુલના દાણા, ધાનની થૂલી, કુશકી, ભૂસું, શાક-ધાનનાં છોડાં-ફોતરાં ઇ. મુખ્ય છે. આહારમાંનો રેસાવાળો ભાગ અપચ્ય, જલશોષક અને પોષણરહિત હોય છે. રેસારહિત કે…

વધુ વાંચો >

ઇડલમૅન જિરાલ્ડ

ઇડલમૅન જિરાલ્ડ (Edelman Gerald) (જ. 1 જુલાઈ 1929, ન્યૂયૉર્ક સિટી) : ફિઝિયોલૉજી મેડિસિનની શાખામાં નોબેલ પારિતોષિક(1972)ના વિજેતા. તેમણે પૅન્સિલવેનિયાની મેડિકલ સ્કૂલમાંથી એમ. ડી.(1954)ની પદવી મેળવી હતી. બે વર્ષ આર્મી મેડિકલ કોર(પૅરિસ)માં રહ્યા પછી રૉકફેલર ઇન્સ્ટિટ્યૂટમાંથી પીએચ. ડી. (1960) મેળવીને ત્યાં અધ્યાપક તરીકે જોડાયા. ઇડલમૅને 1950માં મૅક્સિન એમ. મૉરિસન સાથે લગ્ન…

વધુ વાંચો >