મહાવીરસિંહ ચૌહાન

રામચરિતમાનસ

રામચરિતમાનસ : અવધી હિન્દીમાં રચાયેલી તુલસીદાસની સર્વશ્રેષ્ઠ ચરિત્રાત્મક પ્રબંધ રચના. એની મુખ્ય વિશેષતા એ છે કે તે ઓછા ભણેલાગણેલા માણસથી માંડીને કાવ્યના મર્મજ્ઞ વિવેચકોમાં સમાનરૂપે લોકપ્રિય રહી છે. ‘રામચરિતમાનસ’માં કવિએ રામના ચરિત્રનું વર્ણન કર્યું છે. તુલસીદાસે આ ગ્રંથની રચના હિંદીના લોકપ્રિય છંદ ચોપાઈ અને દુહામાં કરી છે. તેમણે ઘણી જગ્યાએ…

વધુ વાંચો >

લલ્લુલાલજી

લલ્લુલાલજી (જ. 1763 આગ્રા; અ. 1853, કોલકાતા) : હિંદી ખડી બોલી ગદ્યના પ્રારંભિક પ્રણેતાઓમાંના એક. તેઓ મૂળે ગુજરાતી ઔદિચ્ય બ્રાહ્મણ હતા. તેમના પિતા ચૈનસુખ કર્મકાંડી હતા. તેઓ ઈ. સ. 18૦૦માં કોલકાતાની ફૉર્ટ વિલિયમ કૉલેજમાં ‘ભાષામુનશી’ તરીકે નિમણૂક પામ્યા હતા. હિંદી ગદ્યગ્રંથોની રચના માટે તેમને કાઝિમ અલી ‘જવાં’ અને મઝહર અલી…

વધુ વાંચો >

લાલા શ્રીનિવાસદાસ

લાલા શ્રીનિવાસદાસ (જ. 1850, દિલ્હી; અ. 1887) : ભારતેન્દુ યુગના એક સમર્થ સર્જક. એમના બાપુજી મથુરાના એક જાણીતા શેઠની દિલ્હીની પેઢીમાં પ્રમુખ ગુમાસ્તા તરીકે સેવાઓ આપતા હતા. શ્રીનિવાસદાસ ઉચ્ચ કોટિની સર્જક-પ્રતિભા ધરાવતા હતા. એમની નવલકથા ‘પરીક્ષા ગુરુ’(ઈ. સ. 1882)નું હિંદીમાં ઐતિહાસિક મહત્વ છે. આચાર્ય રામચંદ્ર શુક્લે એને પશ્ચિમના સ્વરૂપની હિંદીની…

વધુ વાંચો >