મધુસૂદન બક્ષી

અજ્ઞેયવાદ

અજ્ઞેયવાદ : સંશયવાદનું આધુનિક સ્વરૂપ ગણાતો તત્ત્વજ્ઞાનનો સિદ્ધાંત. ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના સમર્થક બ્રિટિશ જીવવિજ્ઞાની થૉમસ હક્સલેએ પોતાના મતને ખ્રિસ્તી ઈશ્વરવાદથી ભિન્ન દર્શાવવા માટે સૌપ્રથમ વાર 1869માં ‘Agnosticism’ (અજ્ઞેયવાદ) શબ્દ પ્રયોજ્યો હતો. ઈશ્વરના અસ્તિત્વનો ઈશ્વરવાદીઓ સ્વીકાર કરે છે અને નિરીશ્વરવાદીઓ તેનો અસ્વીકાર કરે છે, પરંતુ આ બંનેથી ભિન્ન એવા અજ્ઞેયવાદીઓ પ્રમાણે ઈશ્વરના…

વધુ વાંચો >

અનુભવવાદ

અનુભવવાદ (Empiricism) પાશ્ચાત્ય તત્વચિંતનમાં રજૂ થયેલો જ્ઞાન-મીમાંસા-(epistemology)નો એક સિદ્ધાંત. તેનું મુખ્ય પ્રતિપાદન એ છે કે જ્ઞાનપ્રાપ્તિનાં સાધનોમાં બુદ્ધિનો નહિ, પણ ઇન્દ્રિયાનુભવનો ફાળો મુખ્ય હોય છે. આમ જ્ઞાનમીમાંસાના સિદ્ધાંત તરીકે અનુભવવાદ એ બુદ્ધિવાદ(rationalism)નો વિરોધી સિદ્ધાંત છે. અનુભવ માટે અંગ્રેજીમાં વપરાતો શબ્દ ‘experience’ મૂળ ગ્રીક શબ્દ ‘empeiria’ પરથી ઊતરી આવેલો છે. લૅટિનમાં…

વધુ વાંચો >

અસ્તિત્વવાદ

અસ્તિત્વવાદ અર્વાચીન પશ્ચિમી તત્વચિંતનનો પ્રભાવક સંપ્રદાય. તેનો પ્રારંભ ઓગણીસમી સદીના ડેન્માર્કના ચિંતક સોરેન કિર્કગાર્ડ (1813-1855) અને જર્મન ચિંતક ફ્રેડરિખ નીત્શે(1844-19૦૦)માં જોઈ શકાય છે. વીસમી સદીમાં અસ્તિત્વવાદમાં મહત્વનું પ્રદાન કરનાર ચિંતકોમાં જર્મન ફિલસૂફો કાર્લ યાસ્પર્સ (1883-1969) અને માર્ટિન હાયડેગર (1889-1976) તેમજ ફ્રેંચ ફિલસૂફો ગેબ્રિઅલ મારસલ (1899-1973), ઝ્યાં પૉલ સાર્ત્ર (1905-198૦) અને…

વધુ વાંચો >

અસ્તિત્વવાદી મનોવિજ્ઞાન

અસ્તિત્વવાદી મનોવિજ્ઞાન : વીસમી સદીના મનોવિજ્ઞાનમાં પ્રથમ પરિબળ તરીકે ફ્રૉઇડના મનોવિશ્લેષણને અને બીજા પરિબળ તરીકે અમેરિકન મનોવિજ્ઞાનીઓના વર્તનવાદ(behaviourism)ને ગણાવવામાં આવે છે. તે સંદર્ભમાં અસ્તિત્વવાદી મનોવિજ્ઞાન (existential psychology) ત્રીજા પરિબળના મનોવિજ્ઞાન (third force psychology) તરીકે ઓળખાય છે. મનોવિજ્ઞાનના આ ત્રીજા પ્રભાવક અભિગમમાં અસ્તિત્વલક્ષી મનોવિજ્ઞાન ઉપરાંત પ્રતિભાસમીમાંસાલક્ષી મનોવિજ્ઞાન (phenomenological psychology) અને માનવવાદી…

વધુ વાંચો >

અહમેવવાદ

અહમેવવાદ (solipsism) : નૈતિકતાનાં ધોરણ, વાસ્તવિક અસ્તિત્વ અને જ્ઞાનની નિશ્ચિતતાની દૃષ્ટિએ સ્વત્વને જ અગ્રિમતા આપતો અભિગમ. નૈતિક ક્ષેત્રમાં અહમવાદ (egoism) એ અહમેવવાદનું એક સ્વરૂપ ગણાય, કારણ કે સ્વાર્થવાદમાં દરેક વ્યક્તિના પોતાના સુખ કે હિતને જ મૂલ્યાંકનના ધોરણ તરીકે સ્વીકારવામાં આવે છે. જોકે, નૈતિક ક્ષેત્રના આ પ્રકારના અહમેવવાદમાં અન્ય વ્યક્તિના અસ્તિત્વનો…

વધુ વાંચો >

અહમ્

અહમ્ : ‘હું’, ‘મારું’, ‘મને’ વગેરે જેવા સ્વ-વાચક શબ્દોથી સૂચવાતો ખ્યાલ. દરેક વ્યક્તિને પોતાના અસ્તિત્વની પ્રતીતિ હોય છે. ‘હું અસ્તિત્વમાં નથી’ એવું કોઈ વ્યક્તિ પોતાને વિશે કહી શકતી નથી. હું (I) શબ્દનો રોજિંદા વ્યવહારમાં સર્વલોકપ્રસિદ્ધ અર્થ હોય છે. દરેક વ્યક્તિ પોતાને પોતાના નામથી ઓળખે છે અને કેવળ પોતાને માટે જ…

વધુ વાંચો >

આધુનિકતા-આધુનિકતાવાદ અને અનુઆધુનિકતાવાદ

આધુનિકતા, આધુનિકતાવાદ અને અનુઆધુનિકતાવાદ (તત્ત્વ, કલા, સાહિત્ય અને સમાજ) તત્ત્વજ્ઞાન : આધુનિક (modern) યુગ, આધુનિકતા (modernity) આધુનિકીકરણ (modernisation) નવ્ય સાહિત્યિક અને આધુનિકતાવાદ (modernism) એ બધી વિભાવનાઓને સમજવાનું હવે નવા સંદર્ભમાં એટલા માટે આવશ્યક છે કે તેની સમજણ વગર અનુઆધુનિકતા (post-modernity) કે અનુઆધુનિકતાવાદ(post-modernism)ની વિભાવનાઓને સમજવાનું મુશ્કેલ બને છે. આધુનિકતા અને અનુઆધુનિકતા…

વધુ વાંચો >

ઈશ્વર

ઈશ્વર ઈશ્વર (ઉપનિષદો અને દર્શનો) : સમગ્ર સૃષ્ટિનો સર્જક અને નિયંતા. સૃષ્ટિની ઉત્પત્તિ અને તેના કર્તા વિશેના વિચારો ઋગ્વેદમાં છૂટાછવાયા મળે છે. પરંતુ ઈશ્વર વિશેનું અનેક ર્દષ્ટિથી થતું ચિંતન તો ઉપનિષદોમાં રજૂ થાય છે. સૃષ્ટિસર્જનનો જ્ઞાતા પરમ વ્યોમમાં રહેતો અધ્યક્ષ છે એમ કહીને પછી તે પણ કદાચ નહીં જાણતો હોય…

વધુ વાંચો >

એયર એ. જે.

એયર એ. જે. (જ. 10 ઑક્ટોબર 1910, લંડન; અ. 27 જૂન 1989, લંડન, યુ. કે.) : અંગ્રેજ ફિલસૂફ. 1929માં ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં તેમણે પ્રવેશ મેળવ્યો. 1932માં તેઓ સ્નાતક થયા. સુવિખ્યાત ફિલસૂફ ગિલબર્ટ રાઇલ ઑક્સફર્ડમાં તેમના ટ્યૂટર હતા. ઑક્સફર્ડમાં ગિલબર્ટ રાઇલ, તથા એ. એચ. પ્રાઇસ અને આર. જી. કોલિંગવૂડના વિચારોથી એયર ખૂબ…

વધુ વાંચો >

ઍરિસ્ટોટલ

ઍરિસ્ટોટલ : (ઈ. પૂ. 384, સ્ટેગિરસ, મેસેડોનિયા; અ. 322, ચાલ્કિસ, યુબિયા, ગ્રીસ) : ગ્રીક દાર્શનિક. પ્લેટોનો શિષ્ય અને મહાન ઍલેક્ઝાન્ડરનો ગુરુ. પશ્ચિમમાં વિકસેલી અનેક વિદ્યાશાખાઓનો તે આદ્ય પિતા ગણાય છે. વૈજ્ઞાનિક અભ્યાસપદ્ધતિના વિકાસમાં તેનો ફાળો અનન્ય છે. તર્કશાસ્ત્ર અને જીવશાસ્ત્રનો તો તેણે પાયો નાંખ્યો. ઉપરાંત રાજ્યશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર વગેરે…

વધુ વાંચો >