પ્રવીણચંદ્ર પરીખ

અકોટાની જીવંતસ્વામીની પ્રતિમા

અકોટાની જીવંતસ્વામીની પ્રતિમા : અકોટા(જિ. વડોદરા)માંથી મળી આવેલ અને વડોદરા મ્યુઝિયમમાં સુરક્ષિત જૈન ધાતુપ્રતિમાનિધિમાંથી પ્રાપ્ત જીવંતસ્વામીની બે પ્રતિમાઓ પૈકીની એક ઈ. સ.ની છઠ્ઠી સદીના પૂર્વાર્ધની જણાય છે. ‘જીવંતસ્વામી’ એ દીક્ષા લીધા પહેલાં તપ કરતા સંસારી મહાવીર સ્વામીનું નામ છે. આથી આમાં રાજપુત્રને અનુરૂપ વેશભૂષા જોવા મળે છે. મસ્તક પર ઊંચો…

વધુ વાંચો >

અક્રમવિજ્ઞાન

અક્રમવિજ્ઞાન : દાદા ભગવાનની આત્મવિદ્યા અંગેની વિશિષ્ટ વિચારસરણી. ભાદરણ ગામના શ્રી અંબાલાલ મૂળજીભાઈ પટેલ(1907–1988)ને 1958માં સૂરતના રેલવે સ્ટેશન પર જે આત્મજ્ઞાન થયું તેને અક્રમવિજ્ઞાનને નામે ઓળખવામાં આવે છે. આ જ્ઞાન પછી તેમના દેહમાં જે આત્મસ્વરૂપ પ્રગટ્યું તેને ‘દાદા ભગવાન’ કહેવામાં આવે છે. આ જ્ઞાનનો એમણે 26 વર્ષ સુધી દેશ-વિદેશમાં ફરી…

વધુ વાંચો >

અક્ષયવટ

અક્ષયવટ : પ્રયાગમાં ગંગા-યમુનાના સંગમ પાસે ઊભેલ વડના ઝાડને પુરાણોમાં ‘અક્ષયવટ’ કહેલો છે. ચીની યાત્રી હ્યુ-એન-ત્સાંગે પોતાની યાત્રાના સંદર્ભમાં આનો ઉલ્લેખ કર્યો છે. આ વૃક્ષની નિકટ દક્ષિણે મૌર્ય સમ્રાટ અશોક અને ગુપ્ત સમ્રાટ સમુદ્રગુપ્તના લેખવાળો સ્તંભ હતો. અકબરના સમયમાં આ વડ પરથી સંગમમાં કૂદીને લોકો આત્મવિલોપન કરતા. પુરાણો અનુસાર આ…

વધુ વાંચો >

અક્ષરધામ

અક્ષરધામ : શ્રીવલ્લભાચાર્યજીના શુદ્ધાદ્વૈત સિદ્ધાંત અનુસાર સચ્ચિદાનંદ બ્રહ્મના ત્રણ મુખ્ય રૂપ હોય છે : (1) પૂર્ણ પુરુષોત્તમ રસરૂપ અથવા અભેદ રૂપ પરબ્રહ્મ શ્રીકૃષ્ણ, (2) અક્ષર બ્રહ્મ, જેઓ ગુણાતિતાનંદ છે અને બે સ્વરૂપ ધરાવે છે તેમજ (3) અંતર્યામી. અક્ષર બ્રહ્મનાં બે સ્વરૂપોમાંનું એક સ્વરૂપ પૂર્ણપુરુષોત્તમનું અક્ષરધામ છે અને બીજું કાલ, કર્મ,…

વધુ વાંચો >

અગ્નિચક્ર

અગ્નિચક્ર : યોગશાસ્ત્ર અનુસાર માનવદેહમાં મેરુદંડ જ્યાં પાયુ અને ઉપસ્થની વચ્ચે જોડાતો ભાગ છે ત્યાં એક ત્રિકોણચક્ર રચાય છે, જેને અગ્નિચક્ર કહેવામાં આવે છે. આ અગ્નિચક્રમાં સ્વયંભૂલિંગ છે જેને સાડા ત્રણ આંટાથી વીંટાઈને કુંડલિની શક્તિ સૂતી રહે છે. હઠયોગ અનુસાર મહાકુંડલિની શક્તિ વિશ્વમાં વ્યાપ્ત છે. વ્યક્તિમાં તેના રૂપને કુંડલિની કહે…

વધુ વાંચો >

અગ્રવાલ, વાસુદેવશરણ

અગ્રવાલ, વાસુદેવશરણ (જ. 7 ઑગસ્ટ 1904, ખેડા ગ્રામ, મેરઠ, ઉત્તરપ્રદેશ; અ. 26 જુલાઈ 1966, વારાણસી) : ભારતીય પ્રાચીન સાહિત્ય, સંસ્કૃતિ, પ્રાચ્યવિદ્યા અને પુરાતત્ત્વના ખ્યાતનામ પંડિત. લખનૌના વણિક પરિવારમાં જન્મેલા પણ સ્વભાવે વિદ્યાપ્રેમી વાસુદેવશરણજી લખનૌ યુનિવર્સિટીમાંથી 1929માં એમ.એ. થયા. બનારસ વિશ્વવિદ્યાલયમાં વધુ અભ્યાસ અર્થે જોડાયા. 1940માં તેમની મથુરાના પુરાતત્ત્વ સંગ્રહાલયના ક્યૂરેટર…

વધુ વાંચો >

અઘોરપંથ

અઘોરપંથ : આમ જનસમાજમાં ‘ઔઘડપંથ’ નામે ઓળખાતો આ પંથ ક્યારેક ‘સરભંગ’ કે ‘અવધૂત’ પંથના નામે પણ ઓળખાય છે. આ મતનાં મૂળ અથર્વવેદમાં મનાય છે. શ્વેતાશ્વતર ઉપનિષદમાં ‘याते ऱुद्र शिवातनूरधोरा पापनाशिनी’ જેવા મંત્રોમાં શિવ પરત્વે અઘોર શબ્દનો પ્રયોગ થયો છે. માર્કોપોલો, પ્લીની, એરિસ્ટોટલ વગેર પાશ્ચાત્ય વિદ્વાનોએ પણ અઘોરપંથની બાબતના સંકેત કર્યા…

વધુ વાંચો >

અજપાજપ

અજપાજપ : જેમાં કોઈ પણ પ્રકારનાં સ્થૂળ સાધન જેવાં કે, નામોચ્ચારણ, માળા ફેરવવી, વેઢા ગણવા વગેરેનો પ્રયોગ કરવાનો ન હોય તેવા જપ. સિદ્ધ સાહિત્યમાં આની વિશેષ ચર્ચા મળે છે. નાથપંથમાં રાતદિવસમાં જતા-આવતા 21,600 શ્વાસના આવાગમનને અજપાજપ કહ્યા છે. આમાં હઠયોગીઓ અનુસાર જમણા શ્વાસને ‘ઓહમ્’ અને ડાબાને ‘સોહમ્’ કહ્યો છે. વસ્તુતઃ…

વધુ વાંચો >

અજંતાની ગુફાઓ

અજંતાની ગુફાઓ પ્રાચીન ભારતની જગવિખ્યાત બૌદ્ધ ગુફાઓ. મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં ઔરંગાબાદથી 103 કિમી. અને જલગાંવ રેલવે સ્ટેશનથી 55 કિમી.ના અંતરે આ ગુફાઓ આવેલી છે. અજંતા નામનું ગામ સમીપમાં હોઈને ગુફાઓ એ નામે ઓળખાઈ છે. બાઘોરા નદીની ઉપલી ખીણની શૈલમાળાના એક પડખાને કોતરીને અર્ધચંદ્રાકારે 30 જેટલી ગુફાઓ તેના સ્થાપત્ય અને શિલ્પભંડાર…

વધુ વાંચો >

અજિતનાથ મંદિર (તારંગા)

અજિતનાથ મંદિર (તારંગા) : મહેસાણા જિલ્લાના તારંગાના ડુંગર પર સોલંકી રાજવી કુમારપાળે બંધાવેલું  તીર્થંકર અજિતનાથનું મંદિર. મંદિર બંધાવ્યા અંગેનો મુખ્ય લેખ મળ્યો નથી. એક લેખમાં વસ્તુપાલે અહીં આદિનાથ અને નેમિનાથનાં બિંબ ઈ. સ. 1228માં સ્થાપ્યાની નોંધ છે. આ મંદિરનો અનેક વાર જીર્ણોદ્ધાર થયો છે. હાલના મંદિરમાં ગર્ભગૃહ, તેને ફરતો પ્રદક્ષિણાપથ,…

વધુ વાંચો >