ધીરેન્દ્ર સોમાણી

ઓઝા, મૂળજીભાઈ આશારામ

ઓઝા, મૂળજીભાઈ આશારામ (‘ભરથરી’) (જ. ; અ. 31 ઑગસ્ટ 1919, વડોદરા) : ‘આર્યસુબોધ નાટક મંડળી’થી રંગમંચ પર અભિનયની શરૂઆત કરી. ‘ભર્તૃહરિ’માં ભર્તૃહરિ (1880), ‘ચાંપરાજ હાડો’માં ચાંપરાજ (1887), ‘રાણકદેવી’માં સિદ્ધરાજ (1891), ‘જગદેવ પરમાર’માં શ્રીધર પાળ (1892), ‘ત્રિવિક્રમ’માં સુભટ સેન (1893), ‘ચંદ્રહાસ’માં કૌતલરાય (1894), ‘વીરબાળા’માં જયસિંહ (1896), ‘દેવયાની’માં કમલાકર (1899), ‘સતી અનસૂયા’માં…

વધુ વાંચો >

ભટ્ટ, મણિશંકર જેશંકર

ભટ્ટ, મણિશંકર જેશંકર : વ્યવસાયી રંગભૂમિની નાટ્ય-સંસ્થાના કલાકાર, દિગ્દર્શક અને માલિક. વતન મોરબી. 1906માં પોતાની માલિકીની ‘શ્રી પાલીતાણા ભક્તિપ્રદર્શક નાટક કંપની’ શરૂ કરી. છોટુભાઈ ભટ્ટ તેનું સંચાલન કરતા હતા. શરૂઆતમાં 9 નાટકોનું દિગ્દર્શન એમણે કર્યું. ધ્રાંગધ્રા રાજ્યની નાટક કંપનીના દિગ્દર્શક દલપતરામ દેરાસરી તેમાં જોડાયા. જૂની રંગભૂમિના સર્વાંગી દિગ્દર્શક મણિશંકર પોપટલાલ…

વધુ વાંચો >

ભટ્ટ, હરિભાઈ મણિશંકર

ભટ્ટ, હરિભાઈ મણિશંકર : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિના અભિનેતા, દિગ્દર્શક, સંગીતકાર અને નાટ્યસંસ્થાના માલિક. તેમના પિતાની શ્રી પાલિતાણા ભક્તિ પ્રદર્શક નાટક કંપની(1906–1938)માં નાટ્યકળાની જાણકારી મેળવી. 1936માં પિતાની સંસ્થામાં વ્યવસ્થાપકની જવાબદારી સંભાળી. એમના લખેલા ‘મર્દ મુસ્લિમ યાને ગરીબના પૂજારી’ નાટકમાં તેમણે 1937માં સંગીત અને દિગ્દર્શનની જવાબદારી ઉપાડી લીધી. અભિનયક્ષેત્રે 1937માં ‘દેવી દેવયાની’…

વધુ વાંચો >

ભટ્ટ, હેમુભાઈ મણિશંકર

ભટ્ટ, હેમુભાઈ મણિશંકર : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિના નાટ્યકાર, સંગીતકાર, દિગ્દર્શક અને અભિનેતા. એેમના પિતાજીની શ્રી પાલિતાણા ભક્તિ પ્રદર્શક નાટક કંપની (1906–1938)માં અભિનય, સંગીત, દિગ્દર્શન અને નાટ્યલેખનની સર્વાંગીણ જાણકારી મેળવી. 1932માં મણિલાલ ‘પાગલ’ના ‘ઘરજમાઈ’ નાટકથી અભિનયની શરૂઆત કરી. પાલિતાણા કંપનીમાં 1934માં ‘નારીનાં વેર’, 1935માં ‘રાજરમત યાને ઈશ્વરી ન્યાય’, 1936માં ‘મર્દની મહત્તા…

વધુ વાંચો >

ભોજક, ચીમનલાલ ભૂધરભાઈ

ભોજક, ચીમનલાલ ભૂધરભાઈ (જ. 1872, વડનગર; અ. 1932, ભાવનગર) : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિ પર સ્ત્રી-પાત્ર ભજવનાર કુશળ કલાકાર. બાલ્ય વયમાં જ પિતાનું અવસાન થયું. વ્યવસાયી રંગભૂમિ અંગે તાલીમ મેળવ્યા પછી વાઘજી આશારામ ઓઝાની ‘મોરબી આર્યસુબોધ નાટક મંડળી’માં જોડાયા. વાઘજી આશારામ- રચિત‘ત્રિવિક્રમ’(1893)માં સૂરજબા તથા ‘ચંદ્રહાસ’(1894)માં વિષયાની ભૂમિકાથી તેમણે સ્ત્રી-પાઠ ભજવવાનો પ્રારંભ…

વધુ વાંચો >

ભોજક, દલસુખરામ વસ્તારામ

ભોજક, દલસુખરામ વસ્તારામ (જ. 1864, સોખડા, તા. વિજાપુર; અ. 1945) : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિના કલાકાર અને સંગીતકાર. એમના બંધુ ચેલારામ પાસેથી પખવાજ, સારંગી તથા જયશંકર ‘સુંદરી’ના દાદા ત્રિભોવનદાસ પાસેથી ગાયન તેમજ સારંગી, બીન અને પખવાજ વગેરેના વાદનની તાલીમ લીધી. ધ્રુપદ ધમાર અને ખ્યાલની ઉચ્ચ કક્ષાની તાલીમ પણ મેળવી. પિતાનું અવસાન…

વધુ વાંચો >

ભોજક, ભોગીલાલ કાળીદાસ (‘માલતી’)

ભોજક, ભોગીલાલ કાળીદાસ (‘માલતી’) (જ. વડનગર) : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિ પર સ્ત્રી-પાત્ર કુશળ રીતે રજૂ કરનારા અભિનેતા. અક્ષરજ્ઞાન અલ્પ. વિવિધ નાટ્યસંસ્થાઓમાં નાટ્યકળાની તાલીમ પ્રાપ્ત કર્યા પછી 1914માં પ્યારેલાલ વિઠ્ઠલદાસ મહેતાની સંસ્થા ‘શ્રી વિદ્યાવિનોદ નાટક સમાજ’માં જોડાયા. કવિ-ચિત્રકાર-સંગીતકાર ફૂલચંદ ઝવેરચંદ શાહરચિત ‘માલતીમાધવ’ નાટકમાં ‘માલતી’ની ઉત્કૃષ્ટ ભૂમિકા ભજવવા બદલ નાટ્યજગતમાં તેઓ ‘માલતી’…

વધુ વાંચો >

‘મનસ્વી’ પ્રાંતિજવાળા

‘મનસ્વી’ પ્રાંતિજવાળા (જ. 1904, પ્રાંતિજ, જિ. સાબરકાંઠા; અ. 3 જુલાઈ 1969, એકાદર, એહમદનગર, મહારાષ્ટ્ર) : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિના ગીતકાર અને નાટ્યકાર. મૂળ નામ : ચીમનલાલ ભીખાભાઈ જોશી. બ્રાહ્મણ પરિવારમાં જન્મ. ‘શ્રી આર્યનૈતિક નાટક સમાજ’થી શરૂઆત. 1923માં એમનું ‘મહારાષ્ટ્રનો મહારથી’ નાટક ભજવાયું. 1927માં ‘વલ્લભીપતિ’ નાટકનું ગીત ‘ઝટ જાઓ ચંદનહાર લાવો’ અનન્ય…

વધુ વાંચો >

મનહર નટકલા મંડળ

મનહર નટકલા મંડળ (સ્થાપના : 15 સપ્ટેમ્બર 1959) : મનહરલાલ તુળજાશંકર જોશીની વ્યવસાયી નાટ્યમંડળી. શ્રી મનહર નટકલા મંડળ જેવા નાના મંડળે 1960માં દામનગર(જિ. અમરેલી)માં હરિભાઈ પટેલ-લિખિત ‘વીર માંગડાવાળો’ નાટકના કિટસન લૅમ્પના અજવાળે સળંગ 100 પ્રયોગો કરીને વ્યવસાયી રંગભૂમિના ઇતિહાસમાં યશસ્વી પ્રકરણ ઉમેર્યું. માંગડાવાળાની મુખ્ય ભાવવાહી ભૂમિકા મનહરલાલ જોશીએ ભજવી હતી.…

વધુ વાંચો >

મીર, કાસમભાઈ નથુભાઈ

મીર, કાસમભાઈ નથુભાઈ (જ. 1906, ઉમરી ગામ, મહેસાણા; અ. 28 ઑક્ટોબર 1969) : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિના ખ્યાતનામ દિગ્દર્શક, સંગીતકાર તથા અભિનેતા. શરૂઆત શ્રી આર્યનૈતિક નાટક સમાજથી 1917માં; પછી શ્રી વિજય નૌતમ નાટક સમાજમાં 1918માં; શ્રી દેશી નાટક કંપની લિમિટેડમાં 1920માં; શ્રી દેશી નાટક સમાજમાં 1924માં જોડાયા. હરગોવિંદદાસ જેઠાભાઈ શાહ સંસ્થાના…

વધુ વાંચો >