દાઉદભાઈ ઘાંચી

અઢારસો તેર(1813)નું ખતપત્ર

અઢારસો તેર(1813)નું ખતપત્ર : ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઘડેલો ભારતીય ભાષા-સાહિત્ય-સંસ્કૃતિના વિકાસ માટે ફરજિયાત જોગવાઈ કરતો ધારો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ઈ. સ. 1600માં ઇંગ્લૅન્ડમાં કરવામાં આવી હતી. એ કંપનીનો મુખ્ય ઉદ્દેશ ભારત સહિત પૂર્વના દેશોમાં વ્યાપાર કરવાનો હતો. દેખીતી રીતે નફો કરવાના હેતુથી સ્થપાયેલ એક વ્યાપારી પેઢીને શિક્ષણ સાથે પ્રત્યક્ષ…

વધુ વાંચો >

અધ્યાપન

અધ્યાપન : અધ્યેતા અથવા વિદ્યાર્થીને અધ્યાપક અથવા શિક્ષક કશુંક શીખવવા જે જે પ્રવૃત્તિઓ કરે છે તે. અધ્યાપન દ્વારા શિક્ષક વિદ્યાર્થીને કશીક માહિતી કે સમજ કે કશુંક જ્ઞાન અને કૌશલ્ય આપે છે. આમ સામાન્ય દૃષ્ટિએ જોઈએ તો અધ્યાપન એ કોઈ બે વ્યક્તિઓ – શિક્ષક અને વિદ્યાર્થી – વચ્ચે ચાલતી હેતુપૂર્વકની એવી…

વધુ વાંચો >

અધ્યાપનમંદિર

અધ્યાપનમંદિર : શિક્ષકોને અધ્યાપન માટેની તાલીમ આપતી વિશિષ્ટ સંસ્થા. આ પ્રકારની તાલીમ આપવાની આવશ્યકતા અંગે ઓગણીસમી સદીમાં યુરોપમાં બે ભિન્ન વિચારસરણી પ્રવર્તમાન હતી. ફ્રાન્સની સર્વસાધારણ શાળાઓમાં વિષયોનું શિક્ષણ સંગીન બનાવવા પર ભાર મુકાતો. અને તેથી શિક્ષણશાસ્ત્રના વિષયો અને શિક્ષણની પદ્ધતિનું જ્ઞાન અનુભવથી મળી રહે છે એમ મનાતું. જર્મન શિક્ષણવિદો શિક્ષણના…

વધુ વાંચો >

અવિધિસરનું શિક્ષણ

અવિધિસરનું (nonformal) શિક્ષણ : વિધિસરનું નહિ એવું શિક્ષણ. અધ્યયન કે સ્વયંશિક્ષણની પરિસ્થિતિમાં સહાયરૂપ થવાની ક્રિયાને શિક્ષણ અથવા અધ્યાપન કહી શકાય. શિક્ષણને અનૌપચારિક (informal), ઔપચારિક કે વિધિસરનું (formal) તથા અવિધિસરનું (nonformal) એમ ત્રણ પ્રકારના પ્રભાવ રૂપે ઓળખવામાં આવે છે.  કુટુંબ, શેરીમિત્રો અને ચલચિત્રોનો પ્રભાવ અનૌપચારિક ગણાય. શાળા કે કૉલેજ જેવી સ્પષ્ટ…

વધુ વાંચો >

ઇન્ડિયન મિલિટરી એકેડેમી

ઇન્ડિયન મિલિટરી એકેડેમી : ઉત્તરાંચલ રાજ્યના શહેર દહેરાદૂનના સીમાડે ગિરિમાળાની વચ્ચે આવેલી ભૂમિદળની લશ્કરી તાલીમ આપતી સંસ્થા. એના પ્રશિક્ષણ કાર્યક્રમો માટે ત્રીજા વિશ્વના દેશોમાં તે ઘણી જાણીતી છે. ભારતનાં સંરક્ષણ દળોની ત્રણ પાંખો – ભૂમિદળ, નૌકાદળ, હવાઈદળ – માટે અધિકારીઓ તૈયાર કરવા સરકારે કેટલીક પ્રશિક્ષણ સંસ્થાઓ સ્થાપી છે એ પૈકી…

વધુ વાંચો >

ઉચ્ચ શિક્ષણ

ઉચ્ચ શિક્ષણ : માધ્યમિક શિક્ષણ પછીના શિક્ષણનો તબક્કો. સામાન્ય રીતે તેમાં યુનિવર્સિટીના માળખામાં અપાતા શિક્ષણનો સમાવેશ કરવામાં આવે છે. વિશ્વમાં સામાન્ય રીતે સર્વત્ર ઔપચારિક (formal) શિક્ષણની વ્યવસ્થા ક્રમિક ત્રણ તબક્કાઓમાં ગોઠવાયેલી જોવા મળે છે : પ્રાથમિક (primary), માધ્યમિક (secondary) અને ઉચ્ચ (tertiary). પ્રાથમિક કક્ષાએ બાળકની જ્ઞાનેન્દ્રિયોના વિકાસની સાથે સાથે તેનામાં…

વધુ વાંચો >

એડ્‌મિનિસ્ટ્રેટિવ સ્ટાફ કૉલેજ

એડ્‌મિનિસ્ટ્રેટિવ સ્ટાફ કૉલેજ : આંધ્રપ્રદેશની રાજધાની હૈદરાબાદ ખાતે આવેલી ભારત સરકાર સંચાલિત વહીવટ અને વ્યવસ્થાપન ક્ષેત્રે નેતૃત્વની તાલીમ આપતી વિશિષ્ટ સંસ્થા. એનું કાર્યક્ષેત્ર ઘણું વ્યાપક છે. ઉદ્યોગો, વેપાર-વણજ, સરકારી વહીવટી ક્ષેત્ર, પ્રતિષ્ઠાનોનું સંચાલન, સમાજસેવા તેમજ રાજકારણ એમ વિવિધ ક્ષેત્રોમાં વહીવટી આગેવાનોને ઘડવાના અનેકવિધ નવા કલ્પનાશીલ કાર્યક્રમો વિકસાવવામાં આ સંસ્થા આગળ…

વધુ વાંચો >

એન.સી.ઈ.આર.ટી.

એન.સી.ઈ.આર.ટી. (National Council of Educational Research and Training – NCERT) : ભારતની શાળાઓમાં અપાતા શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે સંશોધન અને તાલીમના કાર્યક્રમો હાથ ધરવા માટે સપ્ટેમ્બર, 1961માં ભારત સરકારે સ્થાપેલી તથા સોસાયટિઝ રજિસ્ટ્રેશન ઍક્ટ, 1960 હેઠળ સ્વાયત્ત ઘટક તરીકે માન્યતા ધરાવતી સંસ્થા. ઉપર દર્શાવેલ હેતુ માટે આ સંસ્થામાં વિવિધ વિભાગો…

વધુ વાંચો >

ઓપન યુનિવર્સિટી

ઓપન યુનિવર્સિટી : ઘેર બેઠાં મુક્ત શિક્ષણ અને દૂરવર્તી શિક્ષણની સુવિધા આપતી યુનિવર્સિટી. શિક્ષણ દ્વારા વ્યક્તિનું સશક્તીકરણ (empowerment) થવાની સાથે સાથે સમાજનો પણ વિકાસ થતો હોય છે એ સર્વસ્વીકૃત સત્ય છે. વિશ્વબૅંકના વર્ષ 2002ના અહેવાલ મુજબ જે દેશની વસ્તીના ઓછામાં ઓછા 70 % લોકોએ સાતથી આઠ વર્ષનું પ્રાથમિક શિક્ષણ મેળવેલું…

વધુ વાંચો >

વિદ્યાનુરાગી સમાજ (Learning Society)

વિદ્યાનુરાગી સમાજ (Learning Society) : જ્ઞાનના જથ્થાનો વિસ્ફોટ જ નહિ, પરંતુ જ્ઞાનનું વૈવિધ્ય, જ્ઞાનની અદ્યતનતા અને તેની ગુણવત્તા વગેરે તમામ દૃષ્ટિએ જ્ઞાનવૃદ્ધિ સાધનારો સમાજ. બીજા વિશ્વયુદ્ધ (1939-45) પછીનું જગત, અગાઉની તમામ સદીઓના જગતની તુલનામાં, જે એક પ્રમુખ બાબતમાં જુદું પડ્યું તે હતી જ્ઞાનની બાબત. એ સમયગાળામાં ફક્ત જ્ઞાનઆધારિત અને જ્ઞાનચાલિત…

વધુ વાંચો >