તત્વજ્ઞાન

ઇબ્ન રુશ્દ

ઇબ્ન રુશ્દ (જ. 1126,  કુર્તબા; અ. 1198) : મહાન આરબ ચિંતક. નામ મુહમ્મદ, પિતાનું નામ અહમદ. ઇબ્ન રુશ્દ કુન્યહ. તે પ્રથમ સ્પેનમાં સેવિલ પ્રાંતના ન્યાયાધીશ અને પછી મોરોક્કોના રાજા યૂસુફના રાજવૈદ્ય તરીકે નિમાયેલો. તેણે યુરોપની વિચારધારા ઉપર ઊંડી છાપ પાડી છે. તેણે પોતાની ખ્યાતનામ કૃતિ ‘તહાફુતુત્તહાફુત’ની રચના ઇમામ ગઝાલીના ગ્રંથ…

વધુ વાંચો >

એનેક્સાગોરાસ

એનેક્સાગોરાસ (ઈ. પૂ. પાંચમી સદી) : ગ્રીસનો મહાન તત્ત્વજ્ઞ, ચિંતક, ખગોળશાસ્ત્રી અને ઍથેન્સના પેરિક્લીઝનો સૉફિસ્ટ શિક્ષાગુરુ. તેણે ખગોળશાસ્ત્ર પર, ‘ઑન નેચર’ નામે ગ્રંથ લખીને ‘હવામાનશાસ્ત્ર’નો પાયો નાખ્યો. તેના જીવનનું ધ્યેય સૂર્ય, ચંદ્ર અને સ્વર્ગની માહિતીની શોધ હતું. તે કહેતો કે, ‘પૃથ્વીની નજીક આવેલા, પરપ્રકાશિત ચંદ્ર પર પર્વતો, ખીણો અને મેદાનો…

વધુ વાંચો >

ઍન્ડ્રુઝ, ચાર્લ્સ ફ્રિયર

ઍન્ડ્રુઝ, ચાર્લ્સ ફ્રિયર (જ. 12 ફેબ્રુઆરી 1871, ન્યૂકેસલ-ઑનેટાઇન, ઇંગ્લૅન્ડ; અ. 5 એપ્રિલ 1940, કોલકાતા) : દીનબંધુ ઍન્ડ્રૂઝ તરીકે જાણીતા, ખ્રિસ્તી ધર્મના સાચા ઉપાસક તથા ગાંધીજીના નિકટના સાથી. તેમના પિતા ધર્મોપદેશક હતા. તેમનું શાળાકીય શિક્ષણ બર્મિંગહામમાં તથા ઉચ્ચ શિક્ષણ કેમ્બ્રિજમાં. તેમણે ત્રણ પ્રશિષ્ટ વિષયો (classical tripos) સાથે પ્રથમ વર્ગમાં પદવી મેળવી…

વધુ વાંચો >

એપિક્યુરસ

એપિક્યુરસ (જ. ઈ. પૂ. 341, સેમોસ, ગ્રીસ; અ. ઈ. પૂ. 270 એથેન્સ, ગ્રીસ) : મહાન ગ્રીક તત્વજ્ઞ. ઍથેન્સની શાળાના શિક્ષકના પુત્ર. તેમના નામ ઉપરથી પ્રસિદ્ધ થયેલા સંપ્રદાય એપિક્યુરિયનવાદનું કાયમી મુખ્ય મથક ઈ. પૂ. 306માં ઍથેન્સમાં તેમણે પોતાના મકાન અને બાગમાં સ્થાપ્યું હતું. આથી આ સંસ્થા ‘ગાર્ડન્સ’ તરીકે અને અનુયાયીઓ ‘ધ…

વધુ વાંચો >

એબેલાર્ડ, પીટર

એબેલાર્ડ, પીટર (જ. 1090; અ. 21 એપ્રિલ 1142) : ફ્રાન્સનો ઈશ્વરશાસ્ત્રવેત્તા (theologian). પીટર બ્રિટ્ટાનીના લેપેલેના ઉમરાવના પુત્ર. રોસ્કેલિન અને ચેમ્પોના હાથ નીચે લોચીસ અને પૅરિસમાં તેમણે તર્કશાસ્ત્રનો અભ્યાસ કર્યો. મેલૂન, કોર્બીલ, બ્રિટ્ટાની, પૅરિસ વગેરે સ્થળોએ શિક્ષક તરીકે તેમણે સેવા આપી. ફુલ્બર્ટની તેજસ્વી ભત્રીજી હેલોઇઝ સાથે તેમણે ખાનગીમાં લગ્ન કર્યાં એટલે…

વધુ વાંચો >

ઍમ્પિડૉક્લીઝ

ઍમ્પિડૉક્લીઝ (ઈ. પૂ. 490-430) : ગ્રીક ડૉક્ટર, કવિ અને તત્વજ્ઞાની. તેમના મતાનુસાર પદાર્થ, પૃથ્વી, વાયુ, અગ્નિ અને જળ તત્વનો બનેલ છે. પ્રેમ અને તિરસ્કારની ભાવના તેના સંમિલન અને વિભાજન માટે કારણભૂત છે. તેમણે ‘નેચરલ સિલેક્શન’ના સિદ્ધાંતને કવિતા રૂપે રજૂ કર્યો હતો. સિસિલિયન ગ્રીક પદ્ધતિના પાશ્ચાત્ય વૈદકશાસ્ત્રમાં તેમણે સારો ફાળો આપ્યો…

વધુ વાંચો >

એયર એ. જે.

એયર એ. જે. (જ. 10 ઑક્ટોબર 1910, લંડન; અ. 27 જૂન 1989, લંડન, યુ. કે.) : અંગ્રેજ ફિલસૂફ. 1929માં ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં તેમણે પ્રવેશ મેળવ્યો. 1932માં તેઓ સ્નાતક થયા. સુવિખ્યાત ફિલસૂફ ગિલબર્ટ રાઇલ ઑક્સફર્ડમાં તેમના ટ્યૂટર હતા. ઑક્સફર્ડમાં ગિલબર્ટ રાઇલ, તથા એ. એચ. પ્રાઇસ અને આર. જી. કોલિંગવૂડના વિચારોથી એયર ખૂબ…

વધુ વાંચો >

ઍરિસ્ટાર્કસ ઑવ્ સામોસ

ઍરિસ્ટાર્કસ ઑવ્ સામોસ (Aristarchus of Samos) : ઍલેક્ઝાન્ડ્રિયન વિચારધારા(School)નો, ઈ. પૂર્વે ત્રીજી સદી(310-230)માં થઈ ગયેલો વિખ્યાત ગ્રીક તત્વવેત્તા. ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી. સ્થિર પૃથ્વીની આસપાસ સૂર્ય, ચંદ્ર, ગ્રહો અને તારા પરિભ્રમણ કરે છે એ માન્યતાને નકારી કાઢીને તેણે એમ જાહેર કર્યું કે પૃથ્વી પોતાની ધરી પરના ભ્રમણ ઉપરાંત સૂર્યની આસપાસ પણ…

વધુ વાંચો >

ઍરિસ્ટોટલ

ઍરિસ્ટોટલ : (ઈ. પૂ. 384, સ્ટેગિરસ, મેસેડોનિયા; અ. 322, ચાલ્કિસ, યુબિયા, ગ્રીસ) : ગ્રીક દાર્શનિક. પ્લેટોનો શિષ્ય અને મહાન ઍલેક્ઝાન્ડરનો ગુરુ. પશ્ચિમમાં વિકસેલી અનેક વિદ્યાશાખાઓનો તે આદ્ય પિતા ગણાય છે. વૈજ્ઞાનિક અભ્યાસપદ્ધતિના વિકાસમાં તેનો ફાળો અનન્ય છે. તર્કશાસ્ત્ર અને જીવશાસ્ત્રનો તો તેણે પાયો નાંખ્યો. ઉપરાંત રાજ્યશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર વગેરે…

વધુ વાંચો >

ઍરિસ્ટૉફનીઝ ઑવ્ બાઇઝેન્ટિયમ

ઍરિસ્ટૉફનીઝ ઑવ્ બાઇઝેન્ટિયમ (ઈ. પૂર્વે આશરે 260-180) : ગ્રીક વિવેચક, કોશકાર તથા વૈયાકરણ. મોટા ભાગનું જીવન ઍૅલેક્ઝાન્ડ્રિયામાં વિતાવ્યું. તે જમાનાના મહાન વિદ્વાનો પાસે શરૂઆતનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. ઈ. પૂ. 195ના અરસામાં તે ઍલેક્ઝાન્ડ્રિયાના સુવિખ્યાત ગ્રંથાલયના પ્રમુખ ગ્રંથપાલ નિમાયા હતા. આ ગ્રંથાલય મહાન સિકંદરના સેનાપતિ તથા તે પછી ઇજિપ્તના રાજા…

વધુ વાંચો >