એહમદહુસેન નૂરમોહંમદ કુરેશી

અખ્તલ, અલ્

અખ્તલ, અલ્ : ઇરાકમાં થઈ ગયેલા ઉમય્યા વંશના એક ખ્યાતનામ કવિ. મૂળ નામ ગિયાસ બિન ગૌસ. તે ધાર્મિક વિધાનોના વિરોધી અને ઉમય્યા વંશના જોરદાર સમર્થક હતા. ધર્મ પર તેમને તિરસ્કાર હતો. એક વખત પત્ની એક પાદરીનાં પવિત્ર વસ્ત્રોને માનાર્થે ચુંબન કરવા ધસી, પણ તે જેના પર પાદરી બિરાજમાન હતા તે…

વધુ વાંચો >

અઝુદ્દદ્દૌલા બિન રૂક્ન

અઝુદ્દદ્દૌલા બિન રૂક્ન (શાસનકાળ : ઈ. સ. 949–983) : બુવયહ વંશનો ઇરાક દેશનો સર્વશક્તિશાળી અમીર. એણે એ યુગનાં નાનાં રાજ્યોનું સંગઠન કરી પોતાના વંશને મજબૂત બનાવ્યો હતો. એનું લગ્ન ખલીફા અલ-તાઈની શાહજાદી સાથે થયું હતું. એ મુસલમાનોનો સૌપ્રથમ રાજા હતો, જેણે શહેનશાહનું લકબ ધારણ કર્યું હતું. એના પુત્ર બહાઉદ્દૌલાએ પિતાના…

વધુ વાંચો >

અન્સારી નુરૂલ હસન

અન્સારી, નુરૂલ હસન (જ.  અ. 1987) : ફારસી ભાષાસાહિત્યના પ્રસિદ્ધ વિદ્વાન. એમ.એ., પીએચ.ડી.ની ઉપાધિઓ ભારતમાં પ્રાપ્ત કરીને વધુ ઉચ્ચ અભ્યાસ માટે ઈરાન ગયા. ત્યાંથી ડી. લિટ્.ની ઉપાધિ મેળવી. તેઓ દિલ્હી યુનિ.ના ફારસી ભાષાસાહિત્ય વિભાગના વડા હતા. અખિલ ભારતીય ફારસી સભાના અત્યંત સક્રિય અને નિષ્ઠાવાન સેક્રેટરી હતા. આ સભા તરફથી ‘બિયાઝ’…

વધુ વાંચો >

અબૂ નુવાસ (હસન બિન હાની)

અબૂ નુવાસ (હસન બિન હાની) (જ. આઠમી સદી, અહવાઝઅરબસ્તાન) : અરબી કવિ. ખભા સુધી જુલ્ફાં લટકતાં તેથી એમને અબૂ નુવાસ કહેતા. બસરા શહેરમાં વિદ્યાપ્રાપ્તિ કરેલી. અનેક દોષોને કારણે અનેક વાર જેલવાસ ભોગવેલો. એમના કાવ્યસંગ્રહ ‘દીવાના’માં પ્રશિસ્તકાવ્યો, કટાક્ષકાવ્યો, શોકકાવ્યો, ધાર્મિક સ્તોત્રો ઇત્યાદિ છે. તેમાં વિષયોનું અને ભાવોનું પ્રચુર વૈવિધ્ય છે, પણ…

વધુ વાંચો >

અબ્બાસી, અબ્દુલ લતીફ

અબ્બાસી, અબ્દુલ લતીફ (ગુજરાતી) (જ. , અમદાવાદ; અ. 1678-79) : વિખ્યાત ફારસી ગ્રંથકાર. ‘ખુલાસતુશ્શુઅરા’ નામની કૃતિની પ્રસ્તાવનામાં અમદાવાદનો પોતાની જન્મભૂમિ તરીકે ઉલ્લેખ છે. અબ્બાસી કેટલાક સમય માટે જહાંગીરના સમયમાં થઈ ગયેલા લશ્કરખાનની નોકરીમાં હતા. નોકરી દરમિયાન એમણે લશ્કરખાન વતી ખાનેખાનાન, મહોબતખાન, આસફખાન વગેરેને પત્રો લખેલા. પાછળથી તેમની સેવાઓ બદલ તેમને …

વધુ વાંચો >

અલકિન્દી

અલકિન્દી (નવમી સદી) : અરબ ફિલસૂફ. આખું નામ અબુ યૂસુફ યાકૂબ ઇબ્ન ઇસ્હાક અલ કિન્દી. જન્મ કૂકા શહેરમાં. જીવનનો મોટો સમય બગદાદમાં વ્યતીત થયેલો. નિખાલસ સ્વભાવને કારણે તેમને ‘અરબોના ફિલસૂફ’નું બિરુદ મળ્યું હતું. ઍરિસ્ટોટલના તત્વજ્ઞાનથી અતિપ્રભાવિત તેઓ કદાચ પહેલા અને છેલ્લા અરબ ફિલસૂફ હતા. તેમણે ઍરિસ્ટોટલના અને પ્લૅટોના વિચારોનો સમન્વય…

વધુ વાંચો >

અલ્-મૂત

અલ્-મૂત : ઈરાનમાં કઝવીન પાસેનો પ્રાચીન દુર્ગ. હસન બિન સબ્બાહ નામના એક બાતિની ધાર્મિક ઉપદેશકે પોતાના અંતિમવાદી ધાર્મિક સિદ્ધાંતોના પ્રચારાર્થે ઈરાનની કઝવીન નામની જગ્યાની વાયવ્ય દિશામાં 1090માં અલ્-મૂત (ગરુડનો માળો), જે પર્વતમાં મજબૂત અને અભેદ્ય કિલ્લા જેવો હતો, તેનો કબ્જો લીધો અને ત્યાંથી ઇસ્લામી જગતને ધાકધમકી અને ખૂનરેજીથી ભયભીત કરવા…

વધુ વાંચો >

અલ્-હમ્-બ્રા

અલ્-હમ્-બ્રા : સ્પેનના ગ્રેનેડા શહેરમાં આવેલો કિલ્લેબંધ મહેલ. લાલ પથ્થર(હમ્બ્ર)થી બનેલો હોવાને કારણે એને અલ-હમ્-બ્રા કહે છે. સ્પેનના ઉમય્યા વંશના સુલતાન અલ્-ગાલિબે આ અત્યંત ખૂબસૂરત ઇમારત બંધાવેલી અને પછીના મૂરવંશના સુલતાનોએ તેને સજાવીને ભવ્ય બનાવી હતી. ઊંચી ટેકરી પર રચાયેલ આ ઇમારત મૂળ સ્થાપત્યનો ગણનાપાત્ર નમૂનો છે. તેનો બાહ્ય દેખાવ…

વધુ વાંચો >

આસફખાન (સત્તરમી સદીનો ઉત્તરાર્ધ)

આસફખાન (સત્તરમી સદીનો ઉત્તરાર્ધ) : શહેનશાહ જહાંગીરના દરબારના એક અગ્રગણ્ય વિદ્વાન અને મનસબદાર. કિવામુદ્દીન મિરઝા જસ્ફર બેગ, શહેનશાહ અકબરના રાજ્યાભિષેકના બાવીસમા વર્ષે તે હિંદુસ્તાન આવ્યા અને પોતાના કાકા મિરઝા ગ્યાસુદ્દીન અલી આસફખાન બખ્શીની ભલામણથી શાહી દરબારમાં એમને પ્રવેશ મળ્યો. ધીમે ધીમે પ્રગતિ સાધીને જહાંગીરના રાજ્યઅમલ દરમિયાન એ પાંચહઝારી મનસબ પર…

વધુ વાંચો >

ઇકદુલ ફરીદ

ઇકદુલ ફરીદ : મહાન અરબી સાહિત્યકાર અને લેખક. ઇબ્ન અબ્દ રબ્બિહ(ઈ. 860-940)નો સુપ્રસિદ્ધ ગ્રંથ. તેનો અર્થ અનુપમ મોતીમાળા થાય છે. તેને આઠમી સદીના મુસ્લિમ સ્પેનના બૌદ્ધિક ઇતિહાસનું એક અતિ ઉજ્જ્વળ પ્રકરણ ગણવામાં આવ્યું છે. કુર્તબામાં (Corodova) જન્મેલો તેનો લેખક હિશામ પહેલાનો ગુલામ હતો, પણ પાછળથી તેને આઝાદ કરવામાં આવ્યો હતો.…

વધુ વાંચો >