Search Results: મોરારજી દેસાઈ

વિદ્યાપીઠ (સામયિક)

Feb 9, 2005

વિદ્યાપીઠ (સામયિક) : મહાત્મા ગાંધીજીએ 1920માં અસહકારના આંદોલનના અનુસંધાને રાષ્ટ્રીય કેળવણીના પરિપ્રેક્ષ્યમાં વિદ્યાર્થીઓને સર્વગ્રાહી શિક્ષણ આપવાના મહત્વના ઉદ્દેશથી સ્થાપેલી ‘ગૂજરાત વિદ્યાપીઠ’ નામની સંસ્થાનું મુખપત્ર. આ સંસ્થા સ્થપાતાં ‘પુરાતત્વ’ નામનું સામયિક પ્રગટ થવું શરૂ થયું. એનો આયુષ્યકાળ પાંચ વર્ષનો રહ્યો. આ ગાળા દરમિયાન આ ત્રિમાસિકના વીસ અંકો પ્રગટ થયા હતા; જેમાં ઇતિહાસ અને સંસ્કૃતિનાં વિવિધ ક્ષેત્રોમાં…

વધુ વાંચો >

પટનાયક, બીજુ

Jan 31, 1998

પટનાયક, બીજુ (જ. 5 માર્ચ, 1916; અ. 17 એપ્રિલ, 1997) :  સ્વતંત્રતાસેનાની, પાયલોટ, ઉદ્યોગપતિ, રાજકારણી. બીજુ પટનાયક રાષ્ટ્રીય એકતા, લોકશાહી, પંથનિરપેક્ષતા અને સામ્રાજ્યવાદના અંત એમ ચાર સિદ્ધાંતોના હિમાયતી હતા. 1961થી 63 અને 1990થી 95 એમ બે વાર ઓડિશાના મુખ્યમંત્રી. પિતા લક્ષ્મીનારાયણ પટનાયક અને માતા આશાલતા દેવી. પાથમિક શિક્ષણ કટકમાં મિશન પ્રાઇમરી સ્કૂલ અને મિશન (ક્રાઇસ્ટ…

વધુ વાંચો >

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ

Jan 5, 2005

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ : ગાંધીજીના રચનાત્મક કેળવણીના ખ્યાલને લઈ ગ્રામાભિમુખ કેળવણીનું કામ કરતી ગુજરાતની સુપ્રસિદ્ધ શિક્ષણસંસ્થા. ગાંધીજીએ વર્ધા શિક્ષણ પરિષદમાં નઈ તાલીમનો વિચાર દેશ સમક્ષ રજૂ કર્યો. શ્રી નાનાભાઈ ભટ્ટ અને શ્રી મનુભાઈ પંચોળીએ 1937માં ગ્રામાભિમુખ કેળવણીનો પાયો ગ્રામદક્ષિણામૂર્તિ આંબલામાં નાખ્યો. તેમાં ગ્રામસમાજ માટેની વિદ્યાની ઉપાસના કેન્દ્રમાં હતી, એટલે અભ્યાસક્રમો નવા રચાયા. સમાજસેવા અને છાત્રાલય કેન્દ્રમાં…

વધુ વાંચો >

ઓઝા, હસમુખ પ્રાણશંકર

Jan 27, 1991

ઓઝા, હસમુખ પ્રાણશંકર (જ. 7 ફેબ્રુઆરી 1917, ધોળકા; અ. 4 ઑગસ્ટ 1985, અમદાવાદ) : ગુજરાતના એક ઉત્તમ કોટિના બહુવિધ ઇજનેર, તકનીકી લેખક તથા સક્ષમ વહીવટકર્તા. મધ્યમ વર્ગના શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિના શિક્ષણપ્રેમી કુટુંબમાં તેમનો જન્મ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ધોળકામાં લઈ, ભાવનગરથી મેટ્રિક. ગણિત પ્રત્યે ખાસ આકર્ષણ હોવાથી ભારતની પ્રતિષ્ઠિત રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ – મુંબઈમાં…

વધુ વાંચો >

મહેતા, કુંવરજી વિઠ્ઠલભાઈ

Jan 17, 2002

મહેતા, કુંવરજી વિઠ્ઠલભાઈ (જ. 1886, વાંઝ, તા. ચોર્યાસી, જિ. સૂરત; અ. 18 ફેબ્રુઆરી 1982, મુંબઈ) : સૂરત જિલ્લાના લોકપ્રિય આગેવાન, સ્વાતંત્ર્યસેનાની, દેશભક્ત, સમાજસુધારક. વાંઝ ગામે અભ્યાસ કરીને ત્યાં પ્રાથમિક શાળાના શિક્ષક બન્યા હતા. બંગભંગની ચળવળ (1905) વખતથી તેઓ દેશસેવા કરવા લાગ્યા અને સ્વદેશી પ્રચારનું કાર્ય શરૂ કર્યું. 1907માં સૂરતમાં ભરાયેલા કૉંગ્રેસના અધિવેશનમાં હાજર રહીને, લોકમાન્ય…

વધુ વાંચો >

ભચેચ, શુકદેવ

Jan 9, 2001

ભચેચ, શુકદેવ (જ. 9 માર્ચ 1922; અ. 3 માર્ચ 1999, અમદાવાદ) : ગુજરાતના અગ્રણી અખબારી છબીકાર. તેમણે અખબારી છબીકાર તરીકેની પોતાની 5 દાયકાની કારકિર્દી દરમિયાન ‘ધ ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’, ‘ગુજરાત સમાચાર’, ‘સંદેશ’ અને ‘જનસત્તા’ જેવાં ગુજરાતનાં અગ્રિમ દૈનિક અખબારો અને વિભિન્ન સામયિકો ઉપરાંત પ્રેસ ટ્રસ્ટ ઑવ્ ઇન્ડિયા જેવી સમાચાર-સંસ્થામાં અવિરત સેવા આપી હતી. પીઢ છબીકાર…

વધુ વાંચો >

મંડલ પંચ

Jan 20, 2002

મંડલ પંચ : 1977 બાદ કેન્દ્રમાં સત્તા પર આવેલી જનતા પાર્ટી-(મોરારજી દેસાઈ – વડાપ્રધાન)ની સરકારે ડિસેમ્બર 1978માં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો(અન્ય પછાત વર્ગો અથવા અધર બૅકવર્ડ ક્લાસિઝ – OBC)ની સ્થિતિની તપાસ કરવા અને તેમના ઉત્કર્ષ તેમજ કલ્યાણ માટે જરૂરી ઉપાયો સૂચવવા માટે બિન્દેશ્વરીપ્રસાદ મંડલના અધ્યક્ષપદે નીમેલું એક પંચ. મંડલ પંચે પોતાનો હેવાલ 31…

વધુ વાંચો >

જત્તી, બસપ્પા દાનપ્પા

Jan 17, 1996

જત્તી, બસપ્પા દાનપ્પા (જ. 10 સપ્ટેમ્બર 1912 અ. 7/8 જૂન, 2002, સાવલગી, કર્ણાટક રાજ્ય) : 1977ના ફેબ્રુઆરીથી જુલાઈ દરમિયાન, ફખરુદ્દીન અલી અહમદના નિધન અને સંજીવ રેડ્ડીની ચૂંટણીના વચગાળામાં, ઉપરાષ્ટ્રપતિને નાતે રાષ્ટ્રપતિનું પદ સંભાળનાર બી. ડી. જત્તી હાલના કર્ણાટક રાજ્યના બિજાપુર જિલ્લામાં જમખંડી તાલુકાના એમના વતનવિસ્તારમાં પંચાયત સ્તરેથી પાયાના કાર્યકર તરીકે જાહેરજીવનમાં પ્રવેશ્યા. વકીલ તરીકેની કામગીરીની…

વધુ વાંચો >

કામરાજ યોજના (1963)

Jan 22, 1992

કામરાજ યોજના (1963) : પક્ષને સુર્દઢ કરવા કેટલાક અગ્રણી નેતાઓએ સરકારમાંનાં સત્તાસ્થાનોએથી રાજીનામું આપવાની કામરાજપ્રેરિત યોજના. કૉન્ગ્રેસ પક્ષના સંગઠનને મજબૂત બનાવવા માટે કામરાજ યોજના અમલમાં મુકાઈ હતી. અખિલ ભારતીય કૉન્ગ્રેસ સમિતિએ 10 ઑગસ્ટ 1963ના રોજ કામરાજ યોજના અંગેના ઠરાવને મંજૂરીની મહોર મારી હતી. તે અંગેનો પ્રસ્તાવ તે સમયના ચેન્નાઈ રાજ્યના મુખ્ય પ્રધાન કે. કામરાજે કૉન્ગ્રેસ…

વધુ વાંચો >

કર્ણાટક

Jan 11, 1992

કર્ણાટક મૂળ મૈસૂર તરીકે ઓળખાતું પણ નવેમ્બર 1973થી કર્ણાટક તરીકે જાણીતું, દક્ષિણ ભારતમાં 11o 31′ અને 18o 45′ ઉ. અ. અને 74o  12′ અને 78o 40′ પૂ. રે. વચ્ચે આવેલું ભારતના ગણરાજ્યનું ઘટક રાજ્ય. વિસ્તાર : 1,91,791 ચોકિમી., વસ્તી : 6,11,30,721 (ઈ.સ. 2011 મુજબ). વિસ્તાર અને વસ્તીને લક્ષમાં લેતાં ઊતરતા ક્રમમાં તેનું આઠમું સ્થાન, વસ્તીની…

વધુ વાંચો >