Search Results: મોરારજી દેસાઈ

જયપ્રકાશ નારાયણ

Jan 18, 1996

જયપ્રકાશ નારાયણ (જ. 11 ઑક્ટોબર 1902, સિતાબદિયારા, બિહાર; અ. 8 ઑક્ટોબર 1979, મુંબઈ) : અગ્રણી સ્વતંત્રતા સેનાની, વરિષ્ઠ સમાજવાદી નેતા તથા સંપૂર્ણ ક્રાંતિને વરેલા સન્નિષ્ઠ સર્વોદય કાર્યકર. મધ્યમવર્ગી કાયસ્થ કુટુંબમાં હરસુદયાલને ત્યાં જન્મેલા જયપ્રકાશે મહાત્મા ગાંધીની અસહકારની હાકલે કૉલેજ છોડી લડતમાં ઝુકાવ્યું. આંદોલન ઓસરતાં અભ્યાસ માટે 1922માં અમેરિકા ગયા અને ઓહાઇઓ ને વિસ્કૉન્સિન યુનિવર્સિટીઓમાં વિજ્ઞાન…

વધુ વાંચો >

ગ્રંથપ્રકાશન-ઉદ્યોગ

Feb 18, 1994

ગ્રંથપ્રકાશન-ઉદ્યોગ : પુસ્તકો, ચોપાનિયાં અને છાપાં-સામયિકો જેવી છાપેલી વસ્તુ તૈયાર કરવાની અને વેચવાની પ્રવૃત્તિ. પ્રાચીન કાળમાં નાને પાયે શરૂ થયેલી આ કામગીરી આજે એક વિશાળ અને અટપટા ઉદ્યોગ તરીકે વિકસેલી છે. સંસ્કૃતિ ઉપર તેનો જે પ્રભાવ પડેલો છે તેનો અંદાજ કાઢવાનું શક્ય નથી. નિરક્ષરતાનું ધોરણ નીચું આવતું જાય છે, મનુષ્યને મળતી ફુરસદનું પ્રમાણ વધતું જાય…

વધુ વાંચો >

વિદેશનીતિ

Feb 8, 2005

વિદેશનીતિ વિશ્વમાં રાજકીય ક્ષેત્રે કાનૂની રીતે સ્વતંત્ર અને સાર્વભૌમ એવાં  અનેક રાજ્યો નજરે પડે છે જે વધતા ઓછા પ્રમાણમાં રાષ્ટ્રરાજ્યો છે. આ રાજ્યોને કર્તા કે અદાકાર (actors) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કર્તાઓના વર્તનનો આંતરરાષ્ટ્રીય રાજકારણ પર પ્રભાવ પડે છે. રાજ્ય સિવાય બીજા બિનરાજ્યકર્તાઓ પણ હોઈ શકે અને તેમના વર્તનનો પણ આંતરરાષ્ટ્રીય રાજકારણ પર…

વધુ વાંચો >

શિવામ્બુ (સ્વમૂત્ર) ચિકિત્સા

Jan 17, 2006

શિવામ્બુ (સ્વમૂત્ર) ચિકિત્સા : વર્તમાન વિશ્વમાં પ્રચલિત 333 ઉપરાંત ચિકિત્સાપદ્ધતિઓમાંની એક. શિવામ્બુ અથવા સ્વમૂત્ર કે urine therapy પણ એક ચિકિત્સાપદ્ધતિ છે. ‘શિવામ્બુ’ શબ્દમાં ‘શિવ’ એટલે કલ્યાણકારી અને ‘અમ્બુ’ એટલે જળ. માનવીના પોતાના શરીરનું કલ્યાણકારી મૂત્રરૂપી જળ એટલે ‘શિવામ્બુ’. ‘સ્વમૂત્ર’, ‘માનવમૂત્ર’, ‘વૉટર ઑવ્ લાઇફ’, ‘જીવનજળ’ વગેરે તેનાં પર્યાયવાચી નામો છે. પોતાના શરીરના જ મૂત્રનો પીવા તથા…

વધુ વાંચો >

ભારતીય અંગ્રેજી સાહિત્ય

Jan 16, 2001

ભારતીય અંગ્રેજી સાહિત્ય ઈ. સ. 1757માં પ્લાસીના યુદ્ધ પછી વેપારાર્થે ભારત આવેલી ઈસ્ટ ઇંડિયા કંપનીએ બંગાળની ભૂમિ પર શાસનનો દોર હાથમાં લેવા માંડ્યો. અઢારમી સદીના ઉત્તરાર્ધમાં બ્રિટિશ સામ્રાજ્યના પાયા નંખાયા તેની સાથે અંગ્રેજી શિક્ષણ અને પશ્ચિમની સંસ્કૃતિના સંપર્કથી ભારતીય સાહિત્ય અને સમાજમાં એક પ્રકારની નવચેતના અને રાષ્ટ્રીયતા જાગવા લાગી. તેની અભિવ્યક્તિ માટે નવું માધ્યમ પ્રાપ્ત…

વધુ વાંચો >

આયુર્વેદ : ભારતીય ચિકિત્સાવિજ્ઞાન

Jan 6, 1990

આયુર્વેદ : ભારતીય ચિકિત્સાવિજ્ઞાન ભારતનું વૈદક અંગેનું અતિપ્રાચીન શાસ્ત્ર. વેદની જેમ આયુર્વેદની ઉત્પત્તિને પણ દિવ્ય માનવામાં આવી છે. ચરક, સુશ્રુતાદિ આચાર્યો આયુર્વેદને અથર્વવેદનો ઉપવેદ માને છે. જ્ઞાનપરંપરામાં એમ મનાય છે કે સૌપ્રથમ બ્રહ્મદેવે આયુર્વેદનું સ્મરણ કર્યું. તેમણે તે દક્ષ પ્રજાપતિને આપ્યું અને તેમની પાસેથી પ્રાપ્ત કરીને અશ્વિનીકુમારો દેવોના ચિકિત્સક તરીકે પ્રસિદ્ધ થયા. તે જ્ઞાન અશ્વિનીકુમારો…

વધુ વાંચો >

શાહ, જયાબહેન વજુભાઈ

Jan 12, 2006

શાહ, જયાબહેન વજુભાઈ (જ. 1 ઑક્ટોબર 1922, ભાવનગર) : સ્વાતંત્ર્યસૈનિક તથા હિન્દીપ્રચાર, ખાદીપ્રચાર, હરિજનસેવા, મહિલાવિકાસપ્રવૃત્તિ અને ગ્રામવિદ્યાપીઠમાં મહત્વનું યોગદાન આપનાર ગુજરાતનાં ગાંધીવિચારનિષ્ઠ મહિલા કાર્યકર. પિતા ત્રિભુવનદાસ અને માતાનું નામ લક્ષ્મીબહેન હતું. રાજનીતિ અને અર્થશાસ્ત્ર સાથે એમ.એ. સુધીનો અભ્યાસ કર્યા બાદ ગુજરાતના જાણીતા રાજકીય આગેવાન અને રચનાત્મક કાર્યકર શ્રી વજુભાઈ શાહ સાથે 7 એપ્રિલ 1945ના રોજ…

વધુ વાંચો >

શાહ વજુભાઈ મણિલાલ

Jan 12, 2006

શાહ વજુભાઈ મણિલાલ (જ. 6 ફેબ્રુઆરી 1910, વાવડી, જિ. રાજકોટ; અ. 9 જાન્યુઆરી 1983, અમદાવાદ) : સ્વચ્છ રાજકીય પ્રતિભા ધરાવતા ગાંધીવાદી રચનાત્મક નેતા. પ્રથમ પંક્તિના આગેવાન, યુવાનોના પ્રેરણામૂર્તિ, રાષ્ટ્રભાષાના પ્રચારક તેમજ ભૂદાન ચળવળના વાહક. માતાનું નામ સમજુબહેન. પિતા મણિલાલ ફૂલચંદ શાહ એજન્સીની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક હતા. લાઠીમાં અભ્યાસનો પ્રારંભ કર્યો. 1928માં મૅટ્રિકમાં ઉત્તીર્ણ થયા…

વધુ વાંચો >

શિલ્પી, જસુબહેન

Jan 16, 2006

શિલ્પી, જસુબહેન (જ. 10 ડિસેમ્બર 1948, ચંદ્રપુર, મહારાષ્ટ્ર) : ઐતિહાસિક અને જાહેર જીવનની ખ્યાતનામ વ્યક્તિઓનાં સ્મારક-શિલ્પો ઘડવા માટે જાણીતાં આધુનિક મહિલા-શિલ્પી. મૂળ નામ જસુબહેન આશરા. મધ્યમ વર્ગના સૌરાષ્ટ્રના આશરા અટક ધરાવતા કુટુંબમાં તેમનો જન્મ થયેલો. શાલેય અભ્યાસ તેમણે અમદાવાદમાં કર્યો. મૅટ્રિક પસાર કર્યા પછી તેમણે 1965માં અમદાવાદની શેઠ સી. એન. કૉલેજ ઑવ્ ફાઇન આર્ટ્સમાં શિલ્પ-વિભાગમાં…

વધુ વાંચો >

પત્રસાહિત્ય

Feb 4, 1998

પત્રસાહિત્ય પત્રસ્વરૂપનું સાહિત્ય. બહુધા તે ગદ્યાત્મક હોય છે. આમાં સાહિત્યિક સભાનતાથી લખાયેલા પત્રો ઉપરાંત સાહિત્યિક સભાનતાથી ન લખાયેલા છતાં એવી ગુણવત્તા ને મૂલ્યવત્તા ધરાવતાં પત્રરૂપ લખાણોનો પણ સમાવેશ થાય છે. પશ્ચિમમાં પત્રસાહિત્ય અંગે – તેની લખાવટ, તેના પ્રકાર અને મૂલ્યાંકન વગેરે વિશે જૂના સમયથી જિજ્ઞાસા, સભાનતા અને વિચારવિમર્શ થતાં રહ્યાં છે. લૅટિનમાં વાગ્મિતાના આચાર્યોએ પત્રના…

વધુ વાંચો >