Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine
નિર્વાત લેપન (vacuum coating)
નિર્વાત લેપન (vacuum coating) શૂન્યાવકાશની સ્થિતિમાં કોઈ પદાર્થના નિમ્ન આધારપૃષ્ઠ (substrate) ઉપર અન્ય પદાર્થનું પાતળું સ્તર, વરખ કે પાતળી કપોટી(thin film)નો ઢોળ ચઢાવવાની પ્રક્રિયા. સુસ્પષ્ટ સ્ફટિકરચના ધરાવતી અને નિયંત્રિત દરે જુદા જુદા પદાર્થોની પાતળી ફિલ્મ બનાવવાના ક્ષેત્રે, છેલ્લા ચાર-પાંચ દાયકામાં ખૂબ ઝડપથી વિકાસ થયો છે. આવી ફિલ્મના બહુમુખી ગુણધર્મો જેવા કે વિશિષ્ટ રચના, યાંત્રિક અસરો,…
વધુ વાંચો >સીમાસ્તર (boundary layer)
સીમાસ્તર (boundary layer) : ઘન સીમાઓ નજીક શ્યાનતા(સ્નિગ્ધતા – viscosity)નું મહત્વ ધરાવતા તરલનું પાતળું સ્તર. ઘન સીમાના સંદર્ભમાં જો ઓછી શ્યાનતાવાળું તરલ (જેવું કે હવા, પાણી) સાપેક્ષ ગતિ ધરાવે તો સીમાઓથી ઘણે દૂર ઘર્ષણ-અવયવ (friction factor) જડત્વીય અવયવ(inertial factor)ની સરખામણીમાં નગણ્ય હોય છે, જ્યારે સીમાની નજીક ઘર્ષણ-અવયવ નોંધપાત્ર હોય છે. વેગના વિચરણ અને સીમાથી લીધેલા…
વધુ વાંચો >નગર-વાહનવ્યવહાર (urban traffic)
નગર-વાહનવ્યવહાર (urban traffic) : નગરના માર્ગો તથા તેના પરના વાહનવ્યવહારનું આયોજન, નિર્માણ, વ્યવસ્થાપન તથા નિયંત્રણ. મોટરકાર, બસ, સ્કૂટર આદિ યાંત્રિક વાહનોના વિકાસ સાથે નગરોના સ્વરૂપમાં પણ પરિવર્તન આવ્યું. મધ્યમાં મૂળ નગર અને ફરતાં પરાં તથા સોસાયટીઓ એ પ્રકારની રચના વ્યાપક બની. સરળ માર્ગો નગરની રક્તવાહિનીઓ જેવા મહત્ત્વના બન્યા. તે વિના નગરનું આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક જીવન…
વધુ વાંચો >નજીબ (જનરલ), મહંમદ
નજીબ (જનરલ), મહંમદ (જ. 20 ફેબ્રુઆરી 1901, ખાર્ટુમ (સુદાન); અ. 28 ઑગસ્ટ 1984, કૅરો) : ઇજિપ્તના લશ્કરી અધિકારી અને રાજપુરુષ. 1952માં ઇજિપ્તના રાજવી ફારૂક પહેલાને પદભ્રષ્ટ કરવામાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. નજીબે ઇઝરાયલની સામે ઇજિપ્તના થયેલ પરાજયના સમયે નોંધપાત્ર કામગીરી બજાવી તથા જમાલ અબ્દેલ નાસરની નેતાગીરી નીચેના રાષ્ટ્રવાદી લશ્કરી જૂથ (free officers) દ્વારા માન…
વધુ વાંચો >નાઇટ્રેટ ઑર્ગૅનિક (આયુર્વિજ્ઞાન)
નાઇટ્રેટ ઑર્ગૅનિક (આયુર્વિજ્ઞાન) : હૃદયની નસો સંકોચાવાથી થતા દુખાવાની સારવારમાં વપરાતું ઔષધ. હૃદયના સ્નાયુની નસોમાં જ્યારે લોહી ઓછા પ્રમાણમાં વહે તો તેને હૃદ્-સ્નાયુની અલ્પરુધિરવાહિતા (myocardial ischaemia) કહે છે. તેનાથી થતા હૃદયના રોગને અલ્પરુધિરવાહી હૃદયરોગ (ischaemic heart disease) કહે છે. તેમાં કામ કરતાં કે બેઠાં બેઠાં છાતીમાં દુખાવો થાય તો તેને હૃદ્-પીડ (angina pectosis) કહે છે.…
વધુ વાંચો >નાઇટ્રેશન
નાઇટ્રેશન : એક અથવા વધુ નાઇટ્રોસમૂહ (NO2) પ્રક્રિયક અણુમાં ઉમેરાઈને નાઇટ્રોસંયોજનો બનાવતી રાસાયણિક પ્રક્રિયા. આ નાઇટ્રોસમૂહ પ્રક્રિયામાં રહેલા કાર્બન, ઑક્સિજન કે નાઇટ્રોજન સાથે જોડાઈ અનુક્રમે નાઇટ્રો-પૅરેફિન/નાઇટ્રો ઍરોમૅટિક, એસ્ટર કે નાઇટ્રો-એમાઇન સંયોજનો બનાવે છે : –NO2 સમૂહનું ‘C’ સાથેનું જોડાણ ઉપર દર્શાવેલી પ્રત્યેક પ્રક્રિયામાં નાઇટ્રોસમૂહ હાઇડ્રોજન પરમાણુને ખસેડીને પ્રક્રિયક સાથે જોડાય છે. નાઇટ્રોસમૂહ બીજા પરમાણુ કે…
વધુ વાંચો >નાઇટ્રોજન સ્થાપક જીવાણુ (nitrogen fixing bacteria)
નાઇટ્રોજન સ્થાપક જીવાણુ (nitrogen fixing bacteria) : હવામાં રહેલ નાઇટ્રોજનનું અપચયન કરી તેને સંકીર્ણ પદાર્થમાં ફેરવવાની ક્ષમતા ધરાવતા સૂક્ષ્મજીવો. ડાયેઝોટ્રૉફ નામે ઓળખાતા આ બૅક્ટેરિયાનો સમૂહ મુક્ત નાઇટ્રોજન(N2)ને એમોનિયા(NH3)માં ફેરવી શકે છે. વીજળી(lightning), પારજાંબલી કિરણો અને દહનને લીધે સ્થિરીકરણ થતું હોય છે. પણ જેટલું વૈશ્વિક સ્થિરીકરણ માત્ર જૈવિક પ્રક્રિયાને આભારી હોય છે. વનસ્પતિઓની ઉત્પત્તિ અને વૃદ્ધિ…
વધુ વાંચો >નાટક
નાટક સ્વરૂપ નાટક એટલે નટ દ્વારા રજૂ થતી કળા. વિવિધ માનવ-અવસ્થાઓનું અનુકરણ નટ કરે ત્યારે એમાંથી નાટક સર્જાય છે. ‘નાટક’ શબ્દ ‘નટ્’ ધાતુમાંથી વ્યુત્પન્ન થયો છે. ભરતના ‘નાટ્યશાસ્ત્ર’માં કહ્યું છે કે ઋગ્વેદમાંથી પાઠ, સામવેદમાંથી ગીત, યજુર્વેદમાંથી અભિનય અને અથર્વવેદમાંથી રસ લઈને પાંચમા નાટ્યવેદની રચના કરવામાં આવી. આમ, નાટક કે નાટ્યને શબ્દ, ભાવ, નૃત્ય, સંગીત એ…
વધુ વાંચો >નારંગી
નારંગી : દ્વિદળી વર્ગમાં આવેલા રુટેસી (Rutaccae) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Citrus reticulata Bhanco (હિં. ગુ. નારંગી, સંતરા; બં કામલા લેબુ; ક. કિત્તાલે; મ. સંતરા; મલા. મધુરનારક; તા. કામલા, કૂર્ગ કુડગુ ઑરેન્જ; તે. નારંગમુ; ફા. નારંજ, અં લૂઝ-સ્કિન્ડ ઑરેન્જ, મૅન્ડરિન, ટજરિન મૅન્ડરિન ઑરેન્જ) છે. લીંબુ, મોસંબી, પપનસ વગેરે તેની સહસભ્ય વનસ્પતિઓ છે. તેનું મૂળવતન…
વધુ વાંચો >નિવસનતંત્ર
નિવસનતંત્ર પર્યાવરણનાં બધાં સજીવ અને નિર્જીવ પરિબળોના સંકલન(integration)ને પરિણામે ઉદભવતું તંત્ર. કોઈ એક વિસ્તારમાં આવેલા જૈવ સમાજ અને ભૌતિક પર્યાવરણ વચ્ચે આંતરપ્રક્રિયા થતાં તેનો ઉદભવ થાય છે. આ આંતરપ્રક્રિયા દરમિયાન કાર્યશક્તિનું વહન થતાં સ્પષ્ટ પોષી (trophic) બંધારણ રચાય છે; જૈવિક વિભિન્નતા (biodiversity) ઉત્પન્ન થાય છે અને દ્રવ્યચક્ર (material cycle – સજીવ અને નિર્જીવ ઘટકો વચ્ચે…
વધુ વાંચો >