ખંડ ૨

આદિવિષ્ણુથી ઈલાઇટિસ

આદિવિષ્ણુ

આદિવિષ્ણુ (જ. 5 સપ્ટેમ્બર 1940, મછલીપટ્ટનમ્; અ. 2020 હૈદરાબાદ) : આધુનિક તેલુગુ લેખક. પૂરું નામ આદિવિષ્ણુ વિઘ્નેશ્વર રાવ. જન્મ ગણેશચતુર્થીને દિવસે થયો હોવાથી એમનું નામ વિઘ્નેશ્વર રાવ રાખેલું, મછલીપટ્ટનમ્ની હિંદુ કૉલેજમાંથી સ્નાતક, રાજ્યના માર્ગવાહનવ્યવહારમાં હિસાબનીશ અને પછીથી તેમાં લોકસંપર્ક અધિકારી તરીકે પદોન્નતિ કરેલી. કૉલેજજીવનમાં વાર્તાઓ લખવાનું શરૂ કરેલું. કૉલેજમાં ભણતા…

વધુ વાંચો >

આદિ શંકરાચાર્ય

આદિ શંકરાચાર્ય : જુઓ, શંકરાચાર્ય (આદ્ય)

વધુ વાંચો >

આદિ શંકરાચાર્ય (ચલચિત્ર)

આદિ શંકરાચાર્ય (ચલચિત્ર) : 1983માં સંસ્કૃત ભાષામાં નિર્માણ પામેલું સર્વપ્રથમ ભારતીય ચલચિત્ર. બારસો વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાં ભારતમાં જન્મેલા અને વિશ્વની મહાન વિભૂતિઓમાં ગણાતા સંત-દાર્શનિક આદિ શંકરાચાર્યના જીવનદર્શનને રૂપેરી પડદાના માધ્યમ દ્વારા સામાન્ય જનતા સમક્ષ અત્યંત અસરકારક અને સુરુચિપૂર્ણ રીતે રજૂ કરવાનો આ એક અત્યંત સફળ પ્રયાસ છે.…

વધુ વાંચો >

આદીશ્વર મંદિર, શત્રુંજય

આદીશ્વર મંદિર, શત્રુંજય : શત્રુંજયગિરિ પરનાં જૈન દેવાલયોમાં આદીશ્વર ભગવાનનું સૌથી મોટું અને ખરતરવસહી નામે પ્રસિદ્ધ જિનાલય. દાદાના દેરાસર તરીકે જાણીતા આ દેવાલયનો એક કરતાં વધારે વખત જીર્ણોદ્ધાર થયેલો છે, પરંતુ ઈ. સ. 1531માં ચિતોડના દોશી કર્માશાહે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો, તેનો આભિલેખિક પુરાવો મંદિરના સ્તંભ ઉપર કોતરેલા 87 પંક્તિવાળા…

વધુ વાંચો >

આદું

આદું : એકદળી વર્ગમાં આવેલા કુળ સાઇટેમિનેસી અને ઉપકુળ ઝિન્જિબરેસીની એક સંવર્ધિત (cultivated) તેજાનાની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Zingiber officinale Roscoe (સં. आर्द्रक; હિં. अदरक; અં. જિંજર; ગુ. આદું) છે. આદુંનું લૅટિન નામ એક સંસ્કૃત નામ ‘શૃંગવેર’ ઉપરથી પડ્યું હોય તેમ મનાય છે. ડાંગનાં જંગલોમાં મળતી જાતિ જંગલી આદું Zingiber…

વધુ વાંચો >

આદ્ય તારકપિંડ

આદ્ય તારકપિંડ : વાયુવાદળોમાંથી બંધાયેલ તેજસ્વી વાયુપિંડ. બ્રહ્માંડમાં આવેલાં તારાવિશ્વોમાં તારા ઉપરાંત વાયુનાં વિરાટ વાદળો આવેલાં છે. અનેક પ્રકાશવર્ષના વિસ્તારવાળાં આ વાયુવાદળોને નિહારિકાઓ કહેવામાં આવે છે. અવકાશસ્થિત વાયુવાદળો તારાઓનાં ઉદભવસ્થાન છે. અવકાશના વાયુવાદળમાં કોઈ સ્થળે કંપ પેદા થતાં એ કંપનવાળા સ્થળે વાયુના કણો એકબીજાની વધુ નજદીક ખેંચાઈ વાયુની ગ્રંથિ બનાવે…

વધુ વાંચો >

આદ્ય રંગાચાર્ય

આદ્ય રંગાચાર્ય (જ. 26 સપ્ટેમ્બર 1904, અગરખેડ, જિ. બિજાપુર, કર્ણાટક; અ. 17 ઑક્ટોબર 1984, બૅંગાલુરુ, કર્ણાટક) : કન્નડ નાટકકાર, વિવેચક, નવલકથાકાર અને ચિંતક. ‘શ્રીરંગ’ તખલ્લુસથી પણ લખતા હતા. જન્મ કર્ણાટકના બિજાપુર જિલ્લાના અગરખેડ ગામમાં થયો હતો. એમણે પુણેની ડેક્કન કૉલેજમાં અને લંડનની પ્રાચ્યવિદ્યાશાળા(School of Oriental Studies)માં અભ્યાસ કર્યો હતો. ધારવાડની…

વધુ વાંચો >

આધ ચાનની (ચાંદની) રાત

આધ ચાનની (ચાંદની) રાત (1972) : પંજાબી નવલકથા. લેખક ગુરુદયાલસિંઘ (1933). તેમને ભારતીય સાહિત્ય અકાદમીનો 1975નો ઍવૉર્ડ મળેલ છે. પંજાબના માલ્વા પ્રદેશના ખેડૂતોની આ કરુણ કથા છે. નવલકથાનું કેન્દ્ર એક ગામડું છે અને નવલકથાનો નાયક મદન છે. નવલકથાનો નાયક પરંપરાગત મૂલ્યો અને બદલાતી સામાજિક સ્થિતિમાં સપડાયેલો છે. ગામડાનો લંબરદાર એનું…

વધુ વાંચો >

આધમખાન (આઝમખાન)

આધમખાન (આઝમખાન) ( જ. 1531 કાબુલ, અફઘાનિસ્તાન; અ. 16 મે 1562 આગ્રા ફોર્ટ) : અકબરની ધાત્રી માહમ આંગાનો નાનો પુત્ર. એ રીતે એ અકબરનો દૂધભાઈ થતો. આધમખાન સ્વભાવે ઘણો સ્વાર્થી હતો. બૈરમખાનની વધતી જતી સત્તાને નાબૂદ કરવા તે અકબરની સતત કાનભંભેરણી કર્યા કરતો. એટલે અકબરે બૈરમખાનને દૂર હઠાવ્યો. એ સમયે…

વધુ વાંચો >

આધમગઢ (આઝમગઢ)

આધમગઢ (આઝમગઢ) : મધ્યપ્રદેશમાં પંચમઢી પાસે આવેલું પુરાતત્વીય સ્થળ. હોશંગાબાદ વિસ્તારના આ સ્થળે ગુફાઓમાં આવેલાં ચિત્રો પ્રાગૈતિહાસિક કાળનાં હોવાની માન્યતા છે, પરંતુ તે ચિત્રો વિવિધ યુગોનાં હોવાની સંભાવના તપાસવા જેવી છે. આ સ્થળે વધુ તપાસ કરતાં ત્યાં અન્ત્યાશ્મ યુગનાં ઓજારો મળી આવ્યાં છે તે પરથી અહીં પ્રાગૈતિહાસિક કાળમાં વસ્તી હોવાનું…

વધુ વાંચો >

આલે અહમદ ‘સુરૂર’

Jan 10, 1990

આલે અહમદ ‘સુરૂર’ (જ. 9 સપ્ટેમ્બર 1911, બદાયૂન; અ. 9 ફેબ્રુઆરી 2002, દિલ્હી) : ઉર્દૂ સાહિત્યના લબ્ધપ્રતિષ્ઠ વિવેચક, પ્રાધ્યાપક અને કવિ. પ્રાથમિક શિક્ષણ બદાયૂનમાં શરૂ થઈને પિતાની નોકરીના કારણે પીલીભીત, બિજનૌર અને સીતાપુરમાં ચાલુ રહ્યું હતું. ઉચ્ચશિક્ષણ સેંટ જૉન્સ કૉલેજ આગ્રામાં. આલે અહમદને કાવ્યરચનાનો નાનપણથી જ શોખ હતો. આગ્રામાં કવિઓની…

વધુ વાંચો >

આલેખ

Jan 10, 1990

આલેખ (Graph) : અવલોકનો કે માહિતીની ભૌમિતિક રીતે રજૂઆત કરવાની પદ્ધતિ. અંતર અને દિશા તેનાં પાયાનાં તત્વો છે. (ક) કોર્તેઝીય પદ્ધતિ : સમતલના કોઈ એક બિંદુમાંથી પસાર થતી બે પરસ્પર લંબરેખાઓ લેવામાં આવે તો બિન્દુને ઊગમબિંદુ (origin) અને લંબરેખાઓને લંબયામાક્ષો (coordinate axes) તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે લંબરેખાઓ પૈકી…

વધુ વાંચો >

આલેખશાસ્ત્ર

Jan 10, 1990

આલેખશાસ્ત્ર (graph theory) : આલેખોના અભ્યાસને લગતું ગણિતશાસ્ત્ર. આ શાખાને રેખા-સંકુલ(net-works)નું ગણિત પણ કહે છે. આલેખ એટલે સાંત સંખ્યાનાં બિંદુઓ અને આ બિંદુઓની કેટલીક જોડને જોડતી રેખાઓનો ગણ. આ રેખા સીધી રેખા હોવા ઉપરાંત વક્રરેખા પણ હોઈ શકે. આ વ્યાખ્યા ઉપરથી એક બાબતનો તુરત ખ્યાલ આવશે કે બીજગણિત અને કલનશાસ્ત્ર(calculus)માં…

વધુ વાંચો >

આલોક પર્વ

Jan 10, 1990

આલોક પર્વ (1972) : હિંદીના સાહિત્યકાર હજારીપ્રસાદ દ્વિવેદીનો નિબંધસંગ્રહ. તેને 1973ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ મળ્યો છે. પુરસ્કૃત કૃતિમાં 27 નિબંધો છે. કેટલાક નિબંધો હિંદી સાહિત્યમાં ઉત્તમ લેખાય છે. તેમાં શૈલીની કલાત્મક ગરિમા છે અને સાથોસાથ ભાષા અત્યંત સહજ અને સાદગીપૂર્ણ છે. પ્રાચીન ભારતના સાંસ્કૃતિક વારસાનું તેમાં સુંદર નિરૂપણ…

વધુ વાંચો >

આલ્કમિયોન

Jan 10, 1990

આલ્કમિયોન (આશરે ઈ. સ. પૂ. છઠ્ઠી સદી) : પ્રાચીન ગ્રીસનો તત્વજ્ઞાની અને ક્રોટોનની એકૅડેમીનો શરીરક્રિયાવિજ્ઞાની. સંશોધનના હેતુ માટે માનવશરીર ઉપર વાઢકાપ કરનાર તે પ્રથમ હતો. જીવતાં પ્રાણીઓનાં અંગ તપાસવા માટે વાઢકાપ કરનાર પણ તે પ્રથમ હતો. તે એવા નિષ્કર્ષ પર આવ્યો હતો કે માનવીનું મગજ તેની બુદ્ધિનું કેન્દ્ર છે. ઈ.…

વધુ વાંચો >

આલ્કલી

Jan 10, 1990

આલ્કલી (alkali) : પ્રબળ બેઝિક ગુણો ધરાવતાં જળદ્રાવ્ય હાઇડ્રૉક્સાઇડ. તેમનું જલીય દ્રાવણ 7.0 કરતાં વધુ pH મૂલ્ય ધરાવે છે. તે પ્રબળ વિદ્યુત-વિભાજ્ય (electrolyte) હોવાથી વિદ્યુતનું વહન કરે છે. તે સ્પર્શે ચીકણા અને સાંદ્ર (concentrated) સ્વરૂપમાં ત્વચા ઉપર દાહક અસર કરે છે. તે લાલ લિટમસને વાદળી, ફિનોલ્ફથેલીનને આછું ગુલાબી તથા મિથાઇલ…

વધુ વાંચો >

આલ્કલી (અગ્નિકૃત) ખડકો

Jan 10, 1990

આલ્કલી (અગ્નિકૃત) ખડકો [alkaline (igneous) rocks] : આલ્કલીનું બંધારણ ધરાવતા અગ્નિકૃત ખડકો. આ શબ્દપ્રયોગ નીચેના વિવિધ અર્થવિસ્તાર કે અર્થઘટનમાં થાય છે  1. સરેરાશ આલ્કલી (K2O + Na2O) પ્રમાણ કરતાં વધુ પ્રમાણ ધરાવતા કુળમાં મળતા ખડકો. 2. ફેલ્સ્પેથૉઇડ અથવા એક્માઇટ જેવાં અતૃપ્ત ખનિજો ધરાવતા ખડકો, જેમાં આલ્કલીનું સિલિકા સાથેનું અણુપ્રમાણ વધુ…

વધુ વાંચો >

આલ્કલી ધાતુઓ

Jan 10, 1990

આલ્કલી ધાતુઓ (alkali metals) : આવર્તક કોષ્ટકના 1 (અગાઉના IA) સમૂહનાં રાસાયણિક તત્વો. આમાં લિથિયમ (Li), સોડિયમ (Na), પોટૅશિયમ (K), રુબિડિયમ (Rb), સિઝિયમ (Cs) અને ફ્રાંસિયમ(Fr)નો સમાવેશ થાય છે. ફ્રાંસિયમ સિવાયની બધી ધાતુઓ નરમ અને ચાંદી જેવી સફેદ હોય છે. તેમને સહેલાઈથી પિગાળી શકાય છે અને પરમાણુભાર વધતાં તેમના ગ.…

વધુ વાંચો >

આલ્કાઇન સંયોજનો

Jan 10, 1990

આલ્કાઇન સંયોજનો (alkynes) : કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ ધરાવતાં એલિફેટિક અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો. આ શ્રેણીના પ્રથમ સભ્ય ઍસેટિલીનના નામ ઉપરથી આ કુટુંબનું નામ ઍસેટિલીન સંયોજન પાડવામાં આવ્યું છે. આ સંયોજનોનું સામાન્ય સૂત્ર Cn H2n–2 છે. નામકરણ : આ સંયોજનોના નામકરણ માટેના નિયમો આલ્કીન્સના નિયમો પ્રમાણે જ છે. ફક્ત સંતૃપ્ત હાઇડ્રોકાર્બન…

વધુ વાંચો >

આલ્કાઇલીકરણ

Jan 10, 1990

આલ્કાઇલીકરણ (alkylation) : કાર્બનિક સંયોજનોમાં વિસ્થાપન કે યોગશીલ પ્રક્રિયા દ્વારા આલ્કાઇલ સમૂહ દાખલ કરવાની રાસાયણિક પ્રવિધિ. આલ્કાઇલીકારકો તરીકે ઑલિફિન, આલ્કોહૉલ અથવા આલ્કાઇલ હેલાઇડનો ઉપયોગ કરીને કાર્બન, ઑક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર અથવા ધાતુ મારફત જોડાયેલ આલ્કાઇલ સમૂહયુક્ત સંયોજનો મળે છે. વિલિયમસન ઈથર સંશ્લેષણ, ફ્રીડેલ–ક્રાફટ્સ પ્રક્રિયા અને વુર્ટ્ઝ પ્રક્રિયા આલ્કાઇલીકરણનાં અગત્યનાં ઉદાહરણો છે.…

વધુ વાંચો >