Religious mythology
હિન્દુ ધર્મ
હિન્દુ ધર્મ પ્રાચીન ભારતમાં વેદથી આરંભાયેલો મુખ્ય ધર્મ. ખ્રિસ્તી કે ઇસ્લામ જેવા ધર્મોની જેમ હિન્દુ ધર્મનો કોઈ સ્થાપક છે એમ કહી શકાય તેમ નથી; તેથી તેનું લક્ષણ બાંધવામાં પણ મુશ્કેલી પડે છે. શ્રી આનંદશંકર ધ્રુવે પોતાનાં પુસ્તકો ‘ધર્મવર્ણન’, ‘હિન્દુ વેદ ધર્મ’, ‘આપણો ધર્મ’માં આ અંગે ખાસી છણાવટ કરી છે અને…
વધુ વાંચો >હિસ્ટરી ઑવ્ ધર્મશાસ્ત્ર (1953)
હિસ્ટરી ઑવ્ ધર્મશાસ્ત્ર (1953) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા પ્રાચ્યવિદ્યાવિજ્ઞાની મહામહોપાધ્યાય પી. વી. કાણે રચિત ગ્રંથ. કુલ 5 ભાગ પૈકી આ ચોથો ભાગ 1953માં પ્રગટ થયો હતો. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1956ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. આ એક અનોખો ગ્રંથ છે અને વસ્તુત: તે હિંદુ ધર્મના એન્સાઇક્લોપીડિયા જેવો વિશાળ અને…
વધુ વાંચો >હીનયાન
હીનયાન : બૌદ્ધ ધર્મની એક શાખા. બૌદ્ધ ધર્મની બે પ્રધાન શાખાઓ છે – હીનયાન અને મહાયાન. આ નામો મહાયાનીઓએ આપ્યાં છે. પોતાના માર્ગની (પંથની) શ્રેષ્ઠતા દર્શાવવા તેમણે પોતાના માર્ગને મહાયાન નામ આપ્યું અને પ્રાચીન બૌદ્ધ ધર્મ યા થેરવાદને ઊતરતો માર્ગ દર્શાવવા હીનયાન નામ આપ્યું. હીનયાન પ્રાચીન ત્રિપિટકો ઉપર આધારિત વ્યવસ્થિત…
વધુ વાંચો >હેમચંદ્રાચાર્ય
હેમચંદ્રાચાર્ય [જ. ઈ. સ. 1089, કાર્તિકી પૂર્ણિમા; ધંધૂકા, જિ. અમદાવાદ; અ. ઈ. સ. 1173, પાટણ (ઉ.ગુ.)] : કલિકાલસર્વજ્ઞ મહાન જૈનાચાર્ય. મોઢ વણિક જ્ઞાતિમાં જન્મ. દીક્ષા પૂર્વેનું મૂળ નામ ચંગદેવ. માતાનું નામ પાહિણી અને પિતાનું નામ ચાચિગ. સંસ્કૃત કવિઓની પરંપરા મુજબ હેમચંદ્રાચાર્યે પણ પોતાના અંગત જીવન વિશે કોઈ જ માહિતી નોંધી…
વધુ વાંચો >હેરમ્બ
હેરમ્બ : ગણપતિનું એક વિશિષ્ટ મૂર્તિસ્વરૂપ. વિઘ્નેશ્વર ગણપતિની અન્ય આકૃતિઓ કરતાં હેરમ્બની આકૃતિ ઘણી ભિન્ન હોય છે. એમાં પાંચ ગજ-મસ્તક હોય છે. ચાર મસ્તક ચાર દિશામાં અને પાંચમું મસ્તક ચાર મસ્તકના માથા ઉપર હોય છે, જેના દ્વારા ઊર્ધ્વદર્શન થઈ શકે છે. શક્તિશાળી સિંહ તેમનું વાહન છે. તેમના હાથમાં પાશ, દંત,…
વધુ વાંચો >હેરુક
હેરુક : બૌદ્ધ ધર્મના લોકપ્રિય દેવતા. તેમની સ્વતંત્ર રીતે તેમ જ યબ-યૂમ સ્વરૂપે પૂજા થાય છે. તંત્રમાર્ગમાં તેમનું સ્થાન મહત્વનું છે. ‘સાધનમાલા’ અનુસાર આ દેવ નીલવર્ણનાં છે અને તેમના બે સ્વરૂપ દ્વિભુજ હેરુક અને ચતુર્ભુજ હેરુક પ્રાપ્ત થાય છે. યબ-યૂમ સ્વરૂપે એટલે જ્યારે તે પોતાની શક્તિને આલિંગન આપતા હોય છે…
વધુ વાંચો >હોળી
હોળી : અગત્યનો ભારતીય તહેવાર. ઋતુચક્રની દૃષ્ટિએ વસંતઋતુની અશોકાષ્ટમીથી આરંભાયેલા ઉત્સવોના ચક્રમાં ફાલ્ગુન માસની પૂર્ણિમાએ આવતો ઉત્સવ હોલિકા કે હોલકા નામે ઓળખાય છે. ઉત્તર ભારતમાં આ ઉત્સવ સ્વાતંત્ર્ય અને આનંદનો ઉત્સવ બની રહે છે. મુઘલયુગમાં રાજદરબારમાં પણ આ ઉત્સવ ઊજવાતો હોવાનું અબૂલ ફઝલ નોંધે છે. મુસ્લિમ ગ્રંથોમાં ઈદ-ઇ-ગુલાબી અને અબ-ઇ-પશી…
વધુ વાંચો >