Religious mythology

રામદાસી સંપ્રદાય

રામદાસી સંપ્રદાય : મહારાષ્ટ્રના અગ્રણી સંત સ્વામી રામદાસ (1608-81) દ્વારા સંસ્થાપિત ધાર્મિક સંપ્રદાય. તે શ્રી સંપ્રદાય, દાસ સંપ્રદાય, સમર્થ સંપ્રદાય જેવાં વિવિધ નામથી પણ ઓળખાય છે. સ્વામી રામદાસે તત્કાલીન પરિસ્થિતિને અનુસરીને તેમના આ સંપ્રદાયની રચના કરી હતી. પોતાના જીવનકાળ દરમિયાન તે જે ધર્મકાર્ય અને રાષ્ટ્રકાર્ય કરવા માગતા હતા તે કાર્યો…

વધુ વાંચો >

રામનવમી

રામનવમી : હિંદુ ધર્મનો તહેવાર. રાવણ વગેરે રાક્ષસોનો સંહાર કરવા રઘુવંશના રાજા દશરથ અને તેમની પટરાણી કૌસલ્યાને ત્યાં ભગવાન વિષ્ણુએ મનુષ્ય અવતાર લીધો તે રામની જન્મતિથિ ચૈત્ર સુદ નોમ રામનવમી તરીકે ઓળખાય છે. રામ તે દિવસે બપોરે બાર વાગ્યે જન્મ્યા હતા. રામનો જન્મ પુનર્વસુ નક્ષત્રમાં ચંદ્ર હતો અને સૂર્ય મેષ…

વધુ વાંચો >

રામસનેહી સંપ્રદાય

રામસનેહી સંપ્રદાય : જુઓ રામચરણ

વધુ વાંચો >

રામાનંદ

રામાનંદ (જ. આશરે 1299, પ્રયાગ; અ. 1411 બનારસ) : ઉત્તર ભારતમાં ભક્તિ-આંદોલનના પ્રવર્તક સંત. પ્રયાગના કાન્યકુબ્જ બ્રાહ્મણ-પરિવારમાં જન્મ. પિતા પુષ્પસદન શર્મા, માતા સુશીલાદેવી. બચપણથી વિચારશીલ અને ભગવત્-પરાયણ. યુવાવસ્થામાં દક્ષિણ ભારતમાં જઈ શ્રી-સંપ્રદાયના ગુરુ સ્વામી રાઘવાનંદ પાસે દીક્ષા લીધી. થોડા સમયમાં તેઓ શ્રી-સંપ્રદાયના પ્રથમ પંક્તિના વિદ્વાન ગણાવા લાગ્યા. તેમણે ભારતભરમાં પર્યટન…

વધુ વાંચો >

રામાનુજાચાર્ય

રામાનુજાચાર્ય (જ. 1017, પેરુમ્બુદુર અથવા ભૂતપુરી, તમિલનાડુ; અ. 1137) : વેદાંતમાં વિશિષ્ટાદ્વૈતના સ્થાપક આચાર્ય. વૈષ્ણવ સંપ્રદાયમાં યામુનાચાર્ય પછી મહાન આચાર્ય રામાનુજ થયા. તેમનાં માતા કાંતિમતી યામુનાચાર્યનાં પુત્રી હતાં અને તેમના પિતાનું નામ કેશવ યજ્વન્ હતું. યામુનાચાર્યના પુત્ર અને શિષ્ય મહાપૂર્ણ રામાનુજના મામા થતા હતા. રામાનુજનું મૂળ નામ લક્ષ્મણ પાડેલું હતું;…

વધુ વાંચો >

રામાયણ (ગિરધરકૃત)

રામાયણ (ગિરધરકૃત) (ઈ. સ. 1837, સં. 1893, માગશર વદ 9, રવિવાર) : મધ્યકાલીન આખ્યાન પરંપરાની રચના. ગરબડદાસના પુત્ર ગિરધરકૃત ‘અધ્યાય’ નામક 299 કડવાં અને ચોપાઈને નામે ઓળખાવાયેલી વિવિધ દેશી બંધની 9,551 કડીની આ આખ્યાનકૃતિ (મુદ્રિત) ગુજરાતી પ્રજામાં અસાધારણ પ્રચાર પામેલી રામકથા છે. આ કૃતિમાં કવિએ વાલ્મીકિ રામાયણ, હનુમન્નાટક, પદ્મપુરાણ, અગ્નિપુરાણ,…

વધુ વાંચો >

રાવણ

રાવણ : રામાયણના સમયનો લંકાનો રાજા અને રામકથાનો પ્રતિનાયક. વિશ્રવણ તથા કૈકસી કે કેશિનીનો પુત્ર. પુલસ્ત્યનો પૌત્ર અને સુમાલિનો દૌહિત્ર. વાલ્મીકિ રામાયણ, મહાભારત, કૂર્મપુરાણ, પદ્મપુરાણ, દશાવતારચરિતમ્, આનંદ રામાયણ અને ‘રાવણવધ’ જેવી કૃતિઓમાં તેના ઉલ્લેખો મળે છે. પદ્મપુરાણ અનુસાર હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ બીજા જન્મમાં રાવણ અને કુંભકર્ણ રૂપે જન્મ્યા હતા. ‘દેવી…

વધુ વાંચો >

રિફેક્ટરી

રિફેક્ટરી : ખ્રિસ્તી સાધુઓના ધર્મપ્રવચન માટેની પીઠિકા. તેનો શાબ્દિક અર્થ ખ્રિસ્તી મૉનેસ્ટરી (સાધુઓનો મઠ) અને કૉન્વેન્ટ (સાધ્વીઓનો મઠ) સાથે સંકળાયેલ ભોજનખંડ એવો થાય છે. તેમાં એમ્બ્લો (બે કે ચાર પગથિયાં પર ઊભું કરેલું સ્ટૅન્ડ) હોય છે. ભોજન દરમિયાન એમ્બ્લોએ જઈને સંતોના જીવનચરિત્રનું અને અન્ય ધાર્મિક વાંચન થતું હોય છે. રિફેક્ટરી…

વધુ વાંચો >

રુક્મિ

રુક્મિ : વિદર્ભ નરેશ ભીષ્મકનો જ્યેષ્ઠ પુત્ર. રુકિમણીનો ભાઈ. પોતે પરાક્રમી અને ધનુર્વિદ્યામાં પ્રવીણ હતો. એની ઇચ્છા વિરુદ્ધ જ્યારે શ્રીકૃષ્ણ રુકિમણીનું હરણ કરી ગયા ત્યારે તેણે એના પિતા સમક્ષ એવી પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી કૃષ્ણનો વધ કરીને રુકિમણીને પાછી ન લાઉં ત્યાં સુધી રાજધાની કુંડિનપુરમાં પાછો નહિ ફરું. યુદ્ધમાં…

વધુ વાંચો >

રુકિમણી

રુકિમણી : વિદર્ભ નરેશ ભીષ્મકની પુત્રી અને શ્રીકૃષ્ણની પટરાણી. એને લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે. યુવાન થયે એને નારદના મુખેથી શ્રીકૃષ્ણની શક્તિ અને એમનાં રૂપ તેમજ ગુણનું વર્ણન સાંભળી મનથી શ્રીકૃષ્ણ સાથે લગ્ન કરવાનો મનસૂબો કર્યો. રુકિમણીનો ભાઈ રુકિમ એનાં લગ્ન જરાસંધનો સમર્થક હતો અને કંસવધને કારણે કૃષ્ણ પ્રત્યે વેર…

વધુ વાંચો >