Literary form

ફોવવાદ

ફોવવાદ : 1905ની આસપાસ શરૂ થયેલો યુરોપની કલાનો એક વાદ. હાંરી માતિસને આ વાદના અગ્રણી ગણી શકાય. આ ઉપરાંત માર્ક્વે (Marquet), ડેરેઇન (Derain), વ્લામિંક (Vlamink) અને રૂઓ (Roult) જેવા મહત્વના કલાકારો પણ આ વાદના નેજા હેઠળ હતા. અન્ય ગૌણ કલાકારોમાં માન્ગ્વિન, કેમોઇન, ઝ્યાં પુઇ અને ઑથોન ફ્રીજનો સમાવેશ થાય છે.…

વધુ વાંચો >

ફ્રી વર્સ

ફ્રી વર્સ : કાવ્યરચનાના સંદર્ભમાં વપરાતો શબ્દપ્રયોગ. ફ્રી વર્સને ગુજરાતીમાં મુક્ત પદ્ય કહી શકાય. પણ ‘ફ્રી વર્સ’ – ‘મુક્ત પદ્ય’ – શબ્દપ્રયોગ એ વદતોવ્યાઘાત છે. પદ્યમાં લયનું નિયંત્રણ-નિયમન અનિવાર્યપણે હોય જ; એથી તો પદ્યનું પદ્યત્વ સિદ્ધ થાય છે. એટલે પદ્ય મુક્ત ન હોય. પદ્ય હોય તો મુક્ત નહિ, અને મુક્ત…

વધુ વાંચો >

બીટનિક જૂથ

બીટનિક જૂથ : બીજા વિશ્વયુદ્ધ પછીની ઠંડા યુદ્ધની પરિસ્થિતિ દરમિયાન 1956ની આસપાસ અમેરિકામાં ચાલેલી ઝુંબેશ. આ ઝુંબેશમાં બોહીમિયનોનો સ્થાપિત સમાજ અને સ્થાપિત સાહિત્ય સામેનો વિદ્રોહ છે. યુદ્ધોત્તર નિર્ભ્રાન્તિની લાગણીમાંથી જે તણાવો ઊભા થયા, એની અભિવ્યક્તિ આ રૂઢિમુક્ત થવાની ચળવળમાં જોઈ શકાય છે. અમેરિકામાં પશ્ચિમમાં સાનફ્રાન્સિસ્કો અને પૂર્વમાં ન્યૂયૉર્ક એનાં ખાસ…

વધુ વાંચો >

ભવિષ્યવાદ

ભવિષ્યવાદ (futurism) : ઇટાલીનાં કલા, સાહિત્ય અને સંગીતમાં આવાં ગાર્દ દ્વારા ચાલેલી આધુનિક ઝુંબેશ. એનો પુરસ્કર્તા ફિલિપ્પો તોમાઝો મારિનેત્તી છે. એણે પૅરિસથી પ્રસિદ્ધ થતા ‘લ ફિગારો’(22 ફેબ્રુઆરી, 1909)માં અતિશયોક્તિપૂર્ણ પયગંબરી ભયંકરતા સાથે ભવિષ્યવાદી ખરીતો પ્રગટ કર્યો હતો. કહે છે : ‘અમે જાહેર કરીએ છીએ કે જગતની ચમકદમકને અમે નવા સૌંદર્યે…

વધુ વાંચો >

ભારતીય જ્ઞાનપીઠ

ભારતીય જ્ઞાનપીઠ : ભારતીય સાહિત્ય-સંસ્કારનું જતન કરનારી અને એને ઉત્તેજન આપનારી સંસ્થા. સ્વર્ગસ્થ ઉદ્યોગપતિ સાહુ શાંતિપ્રસાદ જૈન દ્વારા વારાણસીમાં વિશિષ્ટ સંજોગોમાં 18 ફેબ્રુઆરી, 1944ના દિવસે તેની સ્થાપના થઈ. વારાણસીમાં 1944માં ભરાયેલા અખિલ ભારતીય પ્રાચ્યવિદ્યા પરિષદના અધિવેશનમાં દેશભરના વિદ્વાનો એકત્ર થયા હતા. તેમને શાંતિપ્રસાદ જૈનને મળવાનો અવસર પ્રાપ્ત થયો. તેનો લાભ…

વધુ વાંચો >

મૂલ્ય (સાહિત્યમાં)

મૂલ્ય (સાહિત્યમાં) : વસ્તુ, વ્યક્તિ કે સમષ્ટિની હસ્તીમાં, એના વિકાસ-વિસ્તાર-પરિવર્તનના મૂળમાં રહીને ધારક અને પ્રભાવક બળ રૂપે કામ કરતું અંતસ્તત્વ. તે સત્-તત્વ પર નિર્ભર, સત્વશીલતાનું દ્યોતક એવું પરિબળ છે. આ સૃષ્ટિના સર્વ પદાર્થો આંતર-બાહ્ય, નિમ્ન-ઊર્ધ્વ, સ્થૂળ-સૂક્ષ્મ એવા વિવિધ સ્તરો-સંબંધોથી કોઈ ને કોઈ રીતે સંલગ્ન હોય છે. જ્યારે જ્યારે કોઈ પદાર્થ…

વધુ વાંચો >

રસ

રસ પ્રાચીન ભારતીય સાહિત્યશાસ્ત્રનો એક સિદ્ધાંત. રસ વિશેનો ખ્યાલ અતિ પ્રાચીન છે. સૌપ્રથમ રસ વિશેના શાસ્ત્રીય નિર્દેશો ભરત-નાટ્યશાસ્ત્ર(ના.શા.)માં પ્રાપ્ત થાય છે (ઈ. પૂ. 1લી સદી). કાવ્યશાસ્ત્રની અલંકાર, રીતિ, વક્રોક્તિ, ધ્વનિ અને ઔચિત્ય તથા અનુમિતિ એમ સઘળી પરંપરાઓ ‘રસ’નો સ્વીકાર વિના સંકોચે કરે છે. મતભેદો માત્ર રસની અભિવ્યક્તિના સંદર્ભમાં રહેલા છે.…

વધુ વાંચો >

રંગદર્શિતાવાદ અને રૂપદર્શિતાવાદ

રંગદર્શિતાવાદ અને રૂપદર્શિતાવાદ : કલા-સાહિત્યમાં પ્રચલિત બે સિદ્ધાંતો કે વાદો. રંગદર્શિતા ‘રોમૅન્ટિસિઝમ’નો તો રૂપદર્શિતા ‘ક્લાસિસિઝમ’નો પર્યાય છે. ‘રોમૅન્ટિસિઝમ’ તથા ‘ક્લાસિસિઝમ’ સંજ્ઞાઓ સામસામે તોળાતી સંજ્ઞાઓ છે અને ગુજરાતીમાં તેમના અનેક પર્યાયો છે : કવિ કાન્ત ‘રોમૅન્ટિક’ માટે ‘મસ્ત’ અને ‘ક્લાસિકલ’ માટે ‘સ્વસ્થ’ પર્યાય આપે છે. ખબરદાર અને વિજયરાય વૈદ્ય એ રીતે…

વધુ વાંચો >

રીતિ અને રીતિસિદ્ધાંત

રીતિ અને રીતિસિદ્ધાંત : ચોક્કસ વર્ણો, સમાસો અને ગુણોવાળી કાવ્યરચનાની પદ્ધતિ. કાવ્યના આત્મભૂત તત્વ અંગે સંસ્કૃત કાવ્યશાસ્ત્રનો એક મહત્વનો સિદ્ધાંત. પોતાના ગ્રંથ ‘કાવ્યાલંકારસૂત્ર’ અને તેના ઉપરની સ્વરચિત ‘વૃત્તિ’માં આચાર્ય વામને (આશરે ઈ. સ. 800) આ સિદ્ધાંત સ્થાપ્યો. વામન કાશ્મીરના રાજા જયાપીડના દરબારમાં અમાત્ય હતા. વામનના મતે ભાષાની પદરચનામાં દોષોના ત્યાગથી…

વધુ વાંચો >

લક્ષણા

લક્ષણા : ભારતીય શાસ્ત્રગ્રંથોમાં માનવામાં આવેલી શબ્દની શક્તિ. શબ્દ સાથે જોડાયેલા અર્થને બતાવનારી પ્રક્રિયાને શબ્દશક્તિ કહે છે. શબ્દકોશમાં આપેલો શબ્દનો વૃદ્ધવ્યવહારથી સંકેત કરાયેલો અર્થ બતાવનારી શબ્દશક્તિને અભિધા કે મુખ્યા એવાં નામોથી ઓળખવામાં આવે છે. અભિધા શબ્દશક્તિ ભાષાના સઘળા શબ્દોને લાગે છે. શબ્દ પર અભિધાની પ્રક્રિયા થતાં તે જે અર્થ બતાવે…

વધુ વાંચો >