History of India

બુધગુપ્ત

બુધગુપ્ત (ઈ. સ. 477–495 દરમિયાન હયાત) : ગુપ્ત વંશનો સમ્રાટ. સ્કંદગુપ્ત પછી તેનો ભાઈ પુરુગુપ્ત ગાદી પર આવ્યો. તેના પછી તેનો પુત્ર બુધગુપ્ત, ઈ. સ. 477માં સત્તાસ્થાને આવ્યો. હ્યુ-એન-ત્સાંગના મત મુજબ તે શક્રાદિત્ય = મહેન્દ્રાદિત્ય કુમારગુપ્ત 1નો પુત્ર હતો. તેણે ઈ. સ. 477થી 495 સુધી રાજ્ય કર્યું હતું એમ તેના…

વધુ વાંચો >

બૃહસ્પતિમિત્ર (બૃહત્સ્વાતિમિત્ર)

બૃહસ્પતિમિત્ર (બૃહત્સ્વાતિમિત્ર) : ઈ. પૂ. 1લી સદીનો મગધનો રાજા. કલિંગના પ્રતાપી રાજા ખારવેલના હાથીગુફા અભિલેખમાં પોતે મગધના રાજા બૃહસ્પતિમિત્રને પાદ-વંદન કરાવ્યું એવો નિર્દેશ આવે છે. એનું આ પરાક્રમ ખારવેલના રાજ્યકાલના 12મા વર્ષે થયું હોવાનું એમાં જણાવ્યું છે. કેટલાક વિદ્વાનોએ આ બૃહસ્પતિમિત્રને શુંગ વંશનો સ્થાપક પુષ્યમિત્ર માનેલો, માત્ર બૃહસ્પતિ ગ્રહ પુષ્ય…

વધુ વાંચો >

બેલગામ

બેલગામ : કર્ણાટક રાજ્યના વાયવ્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 15° 23´થી 17° 00´ ઉ. અ. અને 74° 05´થી 75° 28´ પૂ. રે. વચ્ચેનો 13,415 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. રાજ્યનો તે સરહદી જિલ્લો હોઈ નૈર્ઋત્ય તરફ ગોવા સાથે તો ઉત્તર…

વધુ વાંચો >

બૈરામખાન

બૈરામખાન (જ. 1524, બલ્ખ; અ. 31 જાન્યુઆરી 1561, અણહિલવાડ, ગુજરાત) : સગીર શહેનશાહ અકબરનો વાલી અને રાજ્યનો સંચાલક. મુઘલયુગનો મહત્વનો અમીર. પૂર્વજો મૂળ ઈરાનમાં વસતા તુર્ક કબીલાના હતા. દાદા થારઅલી અને પિતા સૈફઅલી મુઘલ સમ્રાટ બાબરની સેવામાં હતા (ઈ. સ. 1524માં). તેનો જન્મ થયા પછી ટૂંકસમયમાં પિતાનું અવસાન થતાં બાળપણ…

વધુ વાંચો >

બોઝ, ખુદીરામ

બોઝ, ખુદીરામ (જ. 3 ડિસેમ્બર 1889, હબીબપુર, પશ્ચિમ બંગાળ; અ. 11 ઑગસ્ટ 1908, મુઝફ્ફરપુર, બિહાર) : ભારતીય ક્રાંતિકાર. તેમના પિતા ત્રૈલોક્યનાથ નારજોલ રાજની જાગીરમાં મહેસૂલ ઉઘરાવવાની નોકરી કરતા હતા. તેમની માત્ર  છ વર્ષની ઉંમરે માતા લક્ષ્મીપ્રિયાદેવીનું અને પછીના વરસે પિતાનું અવસાન થયું હોવાથી તેમને મોટી બહેને ઉછેર્યા હતા. તેમણે ધોરણ…

વધુ વાંચો >

બોઝ, રાસબિહારી

બોઝ, રાસબિહારી (જ. 25 મે 1886, પરલા-બિગાતી, જિ. હૂગલી, પશ્ચિમ બંગાળ; અ. 21 જાન્યુઆરી 1945, ટોકિયો, જાપાન) : ભારતના જાણીતા ક્રાંતિકારી. રાસબિહારીના પિતા વિનોદબિહારી બસુ સિમલાના સરકારી મુદ્રણાલયમાં નોકરી કરતા હતા. રાસબિહારીએ પ્રાથમિક શિક્ષણ પોતાના દાદા કાલીચરણ સાથે રહીને ચન્દ્રનગરમાં લીધું. ચન્દ્રનગરમાં તેઓ યુગાન્તર જૂથના ક્રાંતિકારીઓના સંપર્કમાં આવ્યા હતા. એમના…

વધુ વાંચો >

બોઝ, સત્યેન્દ્રનાથ

બોઝ, સત્યેન્દ્રનાથ (1) (જ. 30 જુલાઈ 1882, મિદનાપુર, બંગાળ; અ. 21 નવેમ્બર 1908, અલીપુર) : ભારતીય ક્રાંતિકારી. તેમના પિતા અભયચરણ મિદનાપુર કૉલેજિયેટ સ્કૂલના આચાર્ય હતા. સત્યેને 1897માં પ્રવેશ પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરી અને કૉલકાતાની સિટી કૉલેજમાં જોડાયા, પરતુ માંદગીને કારણે તેઓ આખરી પરીક્ષા આપી શક્યા નહિ. તેમના કાકા રાજનારાયણ…

વધુ વાંચો >

બોઝ, સુભાષચંદ્ર (નેતાજી)

બોઝ, સુભાષચંદ્ર (નેતાજી) (જ. 23 જાન્યુઆરી 1897, કટક, ઓરિસા; અ. 18 ઑગસ્ટ 1945, તાઇપેઇ, ફૉર્મોસા ?) : ભારતના અગ્રગણ્ય સ્વાતંત્ર્યસેનાની. સુભાષચંદ્રનો જન્મ ધનિક પરિવારમાં થયો હતો. તેમના પિતા જાનકીનાથ બંગાળના ચોવીસ પરગણા જિલ્લાના મહાનગરના વતની અને કટકમાં સરકારી વકીલ હતા. માતા પ્રભાવતી રામકૃષ્ણ પરમહંસનાં ભક્ત હતાં. સરકારી અમલદાર હોવા છતાં…

વધુ વાંચો >

બ્રહ્મદત્ત

બ્રહ્મદત્ત : પુરાણો અનુસાર કાશી જનપદનો પ્રતાપી રાજા. આવા જનપદના રાજાઓ બ્રહ્મદત્તો તરીકે પણ ઓળખાતા. રાજોવાદ જાતક અનુસાર કાશી અને કોસલનાં રાજ્યો રાજા બ્રહ્મદત્ત અને મલ્લિકની સત્તા હેઠળ શક્તિશાળી બન્યાં હતાં. કુરુપ્રદેશ(ઇન્દ્રપ્રસ્થ)ની પૂર્વે આવેલા દક્ષિણ પંચાલમાં એક મહત્વનો રાજા પણ બ્રહ્મદત્ત નામનો હતો. એ નીપ વંશના રાજા અનુહ અને શુક-પુત્રી…

વધુ વાંચો >

ભગતસિંહ

ભગતસિંહ [જ. 28 સપ્ટેમ્બર 1907, બંગા, જિ. લાયલપુર (હાલમાં પાકિસ્તાન); અ. 23 માર્ચ 1931, લાહોર] : ભારતના અગ્રણી ક્રાંતિકાર. તેમના પિતા કિશનસિંહ, કાકા અજિતસિંહ, અને પિતામહ અરજણસિંહ દેશભક્તો હતા. તેઓ શીખ જાટ ખેડૂત હતા. આ પરિવારના સભ્યો દેશ માટે કુરબાની આપવા તત્પર રહેતા હતા. બંગામાં પ્રાથમિક શિક્ષણ પૂરું કરી ભગતસિંહ…

વધુ વાંચો >