History of India

નારાયણપાલ

નારાયણપાલ : ઈ. સ.ની 9મી સદીમાં થયેલ બંગાળના પાલ વંશનો રાજા. ઈ. સ.ની 8મી સદીમાં બંગાળમાં પાલ વંશનું રાજ્ય સ્થપાયું હતું. તેની સ્થાપના ગોપાલ નામના રાજાએ કરી હતી. એ પોતે બૌદ્ધ-ધર્મી હતો અને એના વંશજો પણ બૌદ્ધ ધર્મ પાળતા હતા. એણે લગભગ ઈ. સ. 750થી 770 સુધી રાજ્ય કર્યું. એના…

વધુ વાંચો >

નિઝામુદ્દીન અહમદશાહ ખ્વાજા

નિઝામુદ્દીન અહમદશાહ ખ્વાજા (જ. 1550, આગ્રા; અ. 28 ઑક્ટોબર 1594, લાહોર) : મુઘલ સમ્રાટ અકબરના સમયના તવારીખકાર. તેઓ હેરાતના ખ્વાજા મુકીમ હિરવીના પુત્ર હતા. ખ્વાજા મુકીમ હિરવી બાબરની સેવામાં જોડાઈ તેના લશ્કરમાં અધિકારી તરીકે ભારત આવ્યા અને પાણીપત સહિત અન્ય લડાઈઓમાં ભાગ લઈ, પાછળથી દીવાને બયુતાત બન્યા હતા. હુમાયૂંના સમયમાં…

વધુ વાંચો >

નિઝારી પંથ

નિઝારી પંથ : ઇસ્લામના શિયાપંથનો ખોજા નામથી ઓળખાતો અને ભારતમાં વિશેષ કરીને પ્રચલિત થયેલો પંથ. ઇસ્લામ અને હિંદુ ધર્મ વચ્ચે સમન્વય સાધવામાં શિયાપંથના ઇસ્માઇલિયા ફિરકાનો ફાળો મહત્વનો છે. આ ઇસ્માઇલિયા પંથ 10મી સદીની શરૂઆતમાં ઇજિપ્તમાં ફાતિમી-ખિલાફતની સ્થાપના કરી હતી. ખલીફા મુસ્તન સિર બિલ્લાહ (ઈ. સ. 1035–1094) પછી ખિલાફતના વારસાની તકરારમાં…

વધુ વાંચો >

નૂરજહાં

નૂરજહાં (જ. 31 મે 1577, કંદહાર; અ. 17 ડિસેમ્બર 1645 લાહોર, પાકિસ્તાન) : ભારતના મુઘલ બાદશાહ જહાંગીરની બેગમ. તેના પિતા મિર્ઝા ગ્યાસબેગ તહેરાન(ઈરાન)નો વતની હતો. ભારત આવતાં રસ્તામાં કંદહારમાં તેનો જન્મ થયો. તેનું નામ મેહરુન્નિસા રાખવામાં આવ્યું. તેનું લગ્ન શેર અફઘાન સાથે થયું હતું. શેર અફઘાન બર્દવાન નજીક મુઘલ છાવણીમાં…

વધુ વાંચો >

નૂરુદ્દીન જહાંગીર

નૂરુદ્દીન જહાંગીર (જ. 30 ઑગસ્ટ 1569, ફતેહપુર સિક્રી; અ. 28 ઑક્ટોબર 1627) : શાહાનશાહ અકબરનો પુત્ર. બાબરના વંશમાં ભારતનો ચોથો બાદશાહ. ગાદીનશીન થયો ત્યારે તેણે ધારણ કરેલું નામ ‘નૂરુદ્દીન મુહમ્મદ જહાંગીર પાદશાહ ગાઝી’. બૈરમખાનના પુત્ર અબ્દુર-રહીમ ખાન-ખાનાનની દેખરેખ હેઠળ સલીમ (જહાંગીર) અરબી અને ફારસી, સંસ્કૃત, તુર્કી ભાષાઓ શીખ્યો હતો. તેને…

વધુ વાંચો >

નૂરુલ હસન, ડૉ. સૈયદ

નૂરુલ હસન, ડૉ. સૈયદ (જ. 26 ડિસેમ્બર 1921, લખનૌ; અ. 12 જુલાઈ 1993, કૉલકાતા) : ભારતના વિદ્વાન ઇતિહાસકાર અને રાજકીય નેતા. પિતા અબ્દુલ હસન, માતા નૂર ફાતિમા બેગમ. સૈયદ નૂરુલ હસને અલ્લાહાબાદ યુનિવર્સિટીની એમ. એ. અને ઑક્સફર્ડ યુનિવર્સિટીની ડી.ફિલ્.ની ડિગ્રીઓ મેળવી. તે દરમિયાન તેમણે મધ્યકાલીન ભારતના ઇતિહાસનો વિશેષ અભ્યાસ કર્યો.…

વધુ વાંચો >

નેદુન્જેલિયન

નેદુન્જેલિયન : દક્ષિણ ભારતના પાંડ્ય વંશનો પ્રતાપી રાજા. રાજ્યઅમલ ઈ. સ. 765થી 815. મારવર્મન રાજસિંહ પહેલાનો પુત્ર નેદુન્જેલિયન મારંજેલિયન, પરાંતક, જટિલવર્મન તથા વરગુણ પ્રથમ તરીકે પણ જાણીતો છે. તે ‘પંડિતવત્સલ’ અને ‘પરાંતક’ (શત્રુઓને હણનાર) કહેવાતો. તેણે કાવેરી નદીના દક્ષિણના કાંઠે તાંજોર પાસેના પેનાગદમ મુકામે પલ્લવો સામે જ્વલંત વિજય મેળવ્યો હતો.…

વધુ વાંચો >

નેપાળવિગ્રહ

નેપાળવિગ્રહ (1814–16) : બ્રિટિશ હિંદ અને નેપાળ વચ્ચે થયેલો વિગ્રહ. ગવર્નર જનરલ લૉર્ડ હેસ્ટિંગ્ઝના શાસનકાળ (1813–23) દરમિયાન નેપાળવિગ્રહ થયો હતો. લૉર્ડ હેસ્ટિંગ્ઝે ભારતમાં બિનદરમિયાનગીરીની નીતિ અપનાવવાનો સંકલ્પ કર્યો હતો. પણ દેશની વાસ્તવિક પરિસ્થિતિ જોતાં ચોતરફ ભયનું વાતાવરણ લાગતાં તેણે દરમિયાનગીરીની નીતિ અપનાવી. નેપાળના ગુરખાઓનું પૂર્વમાં ભુતાનથી પશ્ચિમમાં સતલજ સુધીના સમગ્ર…

વધુ વાંચો >

પણિક્કર, કે. એમ.

પણિક્કર, કે. એમ. (જ. 3 જૂન 1895, કોવલમ, કેરળ; અ. 10 ડિસેમ્બર 1963, મૈસૂર) : જાણીતા ભારતીય લેખક, કવિ, નવલકથાકાર, નિબંધકાર અને અનુવાદક, ઇતિહાસવેત્તા, કુશળ વહીવટી અધિકારી, મુત્સદ્દી, રાજદૂત અને કેળવણીકાર. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ કોવલમમાં. તેમના ઉચ્ચશિક્ષણની શરૂઆત ત્રિવેન્દ્રમમાં; પરંતુ પછી 1914માં ઇતિહાસના વધુ અધ્યયન માટે તેઓ ઑક્સફર્ડ, ઇંગ્લૅન્ડ…

વધુ વાંચો >

પદ્માવતી

પદ્માવતી (ઈ. સ.ની ચોથી સદી) : મધ્યપ્રદેશમાં આવેલું નાગવંશનું એક રાજ્ય. નાગવંશના બે શાસકો નાગસેન અને ગણપતિનાગે સમુદ્રગુપ્તની દક્ષિણની દિગ્વિજયયાત્રા પછી, ત્રણ રાજ્યો સ્થાપ્યાં હતાં તેમાં એક પદ્માવતીનું રાજ્ય હતું. આ સ્થળ વર્તમાનમાં જૂના ગ્વાલિયર રાજ્યમાં નરવારની ઉત્તરપૂર્વમાં 40 કિલોમીટરે પદમપવાયા તરીકે જાણીતા સ્થળે હોવાનું જણાય છે. આ ઉપરાંત અન્ય…

વધુ વાંચો >