Economics

કુમારપ્પા જે. સી.

કુમારપ્પા, જે. સી. (જ. 4 જાન્યુઆરી 1892, તંજાવુર, તામિલનાડુ; અ. 30 જાન્યુઆરી 1960, ગાંધીનિકેતન આશ્રમ, કલ્લુપરી, જિ. મદુરાઈ) : વિખ્યાત ગાંધીવાદી અર્થશાસ્ત્રી, રચનાત્મક કાર્યકર તથા પાયાની કેળવણીના પ્રખર હિમાયતી. મધ્યમ વર્ગના ખ્રિસ્તી કુટુંબમાં જન્મ. પિતા એસ. ડી. કૉર્નેલિયસ જાહેર બાંધકામ ખાતામાં અધિકારી. માતાનું નામ એસ્થર રાજનાયકમ્. તેમનું ભારતીય નામ ચેલ્લાદુરાઈ…

વધુ વાંચો >

કૂપમન્સ જાલિંગ સી.

કૂપમન્સ, જાલિંગ સી. (જ. 28 ઑગસ્ટ 1910, ગ્રેવલૅન્ડ, નેધરલૅન્ડ; અ. 26 ફેબ્રુઆરી 1986, ન્યૂહેવન, કનેક્ટિકટ, યુ.એસ.) : વિશ્વવિખ્યાત અર્થમિતિશાસ્ત્રજ્ઞ અને અર્થશાસ્ત્રમાં નોબેલ પારિતોષિકના વિજેતા. ગણિત અને ભૌતિકશાસ્ત્રના વિષયો સાથે યુટ્રેક્ટ યુનિવર્સિટીમાંથી એમ. એ. (1933) તથા લાયડન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં પીએચ.ડી.(1936)ની પદવી મેળવી. 1936-38 દરમિયાન નેધરલૅન્ડ સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં અધ્યાપક. 1938-40 દરમિયાન…

વધુ વાંચો >

કેઇન્સ જ્હૉન મેનાર્ડ

કેઇન્સ, જ્હૉન મેનાર્ડ (જ. 5 જૂન 1883, કેમ્બ્રિજ, ઇંગ્લૅન્ડ; અ. 21 એપ્રિલ 1946, ફર્લી, સસેક્સ, ઇંગ્લૅન્ડ) : પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની વિચારસરણીને પડકારનાર વીસમી સદીના પ્રભાવક અંગ્રેજ અર્થશાસ્ત્રી. જન્મ મધ્યમ સ્તરના કુટુંબમાં. પિતા જ્હૉન નેવિલ કેઇન્સ તર્કશાસ્ત્રી, અર્થશાસ્ત્રી અને કુશળ વહીવટકર્તા. માતા કેમ્બ્રિજ યુનિવર્સિટીનાં સ્નાતક, સમાજકલ્યાણ પ્રવૃત્તિનાં અગ્રેસર, કેમ્બ્રિજનાં મેયર અને જાણીતાં…

વધુ વાંચો >

કેઇન્સ યોજના

કેઇન્સ યોજના : 1944માં અમેરિકાના બ્રેટન વુડ્ઝ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય પરિષદમાં ઇન્ટરનૅશનલ ક્લિયરિંગ યુનિયનની સ્થાપના કરવા અંગે ઇંગ્લૅન્ડ તરફથી રજૂ કરવામાં આવેલી યોજના. આ યોજનાનો ખરડો તૈયાર કરવામાં વિશ્વવિખ્યાત અંગ્રેજ અર્થશાસ્ત્રી જે. એમ. કેઇન્સે અગત્યનો ભાગ ભજવ્યો હોવાથી તે ‘કેઇન્સ યોજના’ (Keynes Plan) તરીકે ઓળખાય છે. બીજા વિશ્વયુદ્ધ(1939-45)ની સમાપ્તિ પછીના…

વધુ વાંચો >

કેઇન્સવાદી અર્થશાસ્ત્ર

કેઇન્સવાદી અર્થશાસ્ત્ર : જે. એમ. કેઇન્સના નામ સાથે સંકળાયેલ આર્થિક સિદ્ધાંતોનો સમૂહ. તે મહામંદી જેવી વિશિષ્ટ પરિસ્થિતિમાં રાજ્યે કેવી આર્થિક નીતિનું અવલંબન કરવું જોઈએ તેનું વિશ્લેષણ કરે છે. લૉર્ડ જે. એમ. કેઇન્સે ‘ધ જનરલ થિયરી ઑવ્ ઍમ્પ્લૉયમૅન્ટ, ઇન્ટરેસ્ટ ઍન્ડ મની’ એ ગ્રંથ દ્વારા વિશ્વની આર્થિક વિચારધારામાં એક ક્રાંતિ સર્જી અને…

વધુ વાંચો >

કેતકર શ્રીધર વ્યંકટેશ

કેતકર, શ્રીધર વ્યંકટેશ (જ. 2 ફેબ્રુઆરી 1884, રાયપુર, મધ્યપ્રદેશ; અ. 10 એપ્રિલ 1937, પુણે) : પ્રસિદ્ધ પ્રાચ્યવિદ્યાવિદ્, જ્ઞાનકોશકાર, અર્થશાસ્ત્રજ્ઞ, ઇતિહાસકાર અને મરાઠી નવલકથાકાર. મૂળ વતન કોંકણના દાભોળ નજીક અંજનવેલ. તેમના જન્મ પૂર્વે કેતકર કુટુંબ વિદર્ભના અમરાવતી ગામે સ્થળાંતર કરી ગયેલું. તેમના દાદા જૂના ગ્રંથોની નકલો કરીને ગામેગામ વેચતા. તેમના પિતા…

વધુ વાંચો >

કેનેડી રાઉન્ડ

કેનેડી રાઉન્ડ : આંતરરાષ્ટ્રીય વેપાર પરનાં આયાતજકાત જેવાં નિયંત્રણોને ઓછાં કરીને આંતરરાષ્ટ્રીય વેપારમાં વધારો કરવાના ઉદ્દેશથી યોજાયેલી વાટાઘાટો. તે માટે 1947માં ‘જનરલ ઍગ્રીમેન્ટ ઑન ટૅરિફ્સ ઍન્ડ ટ્રેડ’(GATT)ના નામથી એક આંતરરાષ્ટ્રીય સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી. 1947થી ’62 વચ્ચે તેના આશ્રયે આયાતજકાતોમાં ઘટાડો કરવાના ઉદ્દેશથી પાંચ સફળ આંતરરાષ્ટ્રીય વાટાઘાટો યોજાઈ હતી,…

વધુ વાંચો >

કૅન્ટોરૉવિચ, લિયૉનિદ (Leonid Kantorovich)

કૅન્ટોરૉવિચ, લિયૉનિદ (Leonid Kantorovich) (જ. 19 જાન્યુઆરી 1912, સેન્ટ પીટર્સબર્ગ, રશિયા; અ. 7 એપ્રિલ 1986, રશિયા, સોવિયેત યુનિયન) : સોવિયેત સંઘના વિખ્યાત ગણિતજ્ઞ તથા 1975ના અર્થશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. તેમનું સમગ્ર શિક્ષણ લેનિનગ્રાદમાં થયેલું, જ્યાંની યુનિવર્સિટીમાંથી અઢાર વર્ષની નાની વયે તેમણે 1930માં ગણિતશાસ્ત્રની અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. પછી…

વધુ વાંચો >

કેન્દ્રીય બૅન્કિંગ

કેન્દ્રીય બૅન્કિંગ (Central Banking) : રાષ્ટ્રનાં નાણાં તથા શાખના પુરવઠાનું નિયમન કરીને બૅન્કિંગ અને નાણાકીય સંસ્થાઓની વ્યાવસાયિક કામગીરીઓ ઉપર, ધારાધોરણો, બજારવ્યવહારો અથવા સમજાવટ દ્વારા, પ્રભાવશાળી અસરો ઊભી કરતી સંસ્થા. પ્રત્યેક દેશમાં આવી એક સંસ્થા હોય છે. ઇંગ્લૅન્ડમાં 1694માં સ્થપાયેલી બૅન્ક ઑવ્ ઇંગ્લૅન્ડ અને ભારતમાં 1935માં સ્થપાયેલી રિઝર્વ બૅન્ક ઑવ્ ઇન્ડિયા…

વધુ વાંચો >

કેન્દ્રીય સ્થાન સિદ્ધાંત

કેન્દ્રીય સ્થાન સિદ્ધાંત : તાર્તીયીક (tertiary) એટલે કે ઉચ્ચ પંક્તિની પ્રવૃત્તિઓના કેન્દ્ર તરીકે વિકાસ પામેલી શહેરી પદ્ધતિઓની સમજ આપતો સિદ્ધાંત. બવેરિયાના વતની અને જર્મન વિદ્વાન વૉલ્ટર ખ્રિસ્ટૅલરે નગરોની સંખ્યા, કદ અને વહેંચણીને નિયંત્રિત કરતા નિયમોના સંશોધન દરમિયાન 1933માં આ સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો હતો. જે વસાહત કોઈ પ્રદેશ કે વિસ્તારની પ્રવૃત્તિઓના…

વધુ વાંચો >