Religious mythology
સાલબેગ
સાલબેગ (16મી-17મી સદી) : ઓરિસાના સંત. તેઓ જન્મે પઠાણ હતા. તેમના પિતા સૂબેદાર જહાંગીર કુલીખાન અથવા લાલબેગ હતા અને માતા પુરી જિલ્લાના ડંડા મુકુંદપુર ગામનાં હિંદુ વિધવા હતાં. સાલબેગની નાની વયે લાલબેગનું અવસાન થતાં તેમનાં માતાએ તેમને ઉછેર્યા. સુલતાન જહાંગીરે લાલબેગને સૂબેદાર તરીકે ઓરિસાનો હવાલો સોંપેલો અને તે હિંદુ ધર્મસ્થાનોનો…
વધુ વાંચો >સાવોનારોલા જિરોલામો
સાવોનારોલા, જિરોલામો (Savonarola Girolamo) (જ. 1452, ફેરારા, ઇટાલી; અ. 1498, ફ્લૉરેન્સ, ઇટાલી) : રેનેસાંસ-વિરોધી વિચારધારા ધરાવવા માટે જાણીતા રેનેસાંસ-યુગના પ્રખર રૂઢિચુસ્ત ડૉમિનિકન ખ્રિસ્તી સાધુ અને પાદરી. પંદરમી સદીના ફ્લૉરેન્સના રાજકારણમાં એમણે મહત્ત્વનો ફાળો આપ્યો હતો. જિરોલામો સાવોનારોલા ફ્લૉરેન્સના એક પ્રામાણિક અને નિષ્ઠાવાન પાદરી હોવા સાથે લિયૉનાર્દો દ વિન્ચી અને માઇકેલૅન્જેલોના…
વધુ વાંચો >સાંઈબાબા
સાંઈબાબા (જ. ? ; અ. 15 ઑક્ટોબર 1918, શિરડી) : ભારતની અગ્રણી આધ્યાત્મિક વિભૂતિ, સમાજસેવક અને માનવતાવાદી સત્પુરુષ. તેમના જીવન વિશે નક્કર અને પ્રમાણભૂત માહિતી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી, પરંતુ દાસગણુ-કૃત ‘સંતકથામૃત’ શીર્ષક હેઠળના તેમના જીવનચરિત્રમાં ઉલ્લેખિત કેટલીક છૂટીછવાઈ માહિતી તથા તેમના કેટલાક અગ્રણી શિષ્યોને તેમણે પોતે કહેલી માહિતીને આધારે…
વધુ વાંચો >સાંખ્યદર્શન
સાંખ્યદર્શન : સૌથી પ્રાચીન ભારતીય દર્શન. આ દર્શનના પ્રવર્તક કપિલ મુનિ હતા. તેઓ શ્રેષ્ઠ સિદ્ધ અને ભગવાનની વિભૂતિ હતા એમ ભગવદગીતા કહે છે. આ દર્શનનાં સૂત્રો પાછળથી રચાયેલાં છે તેથી કપિલે ‘તત્વસમાસ’ જેવા ગ્રંથની રચના કરી હશે અને તેમણે આ દર્શનને પ્રવર્તાવેલું એમ કહી શકાય. પ્રસ્તુત દર્શનનું નામ સાંખ્ય પડવાનું…
વધુ વાંચો >સિનેગૉગ
સિનેગૉગ : યહૂદીઓનું ધાર્મિક સ્થાન. ‘સિનેગૉગ’ – એ ગ્રીક શબ્દ છે, જેનો અર્થ થાય છે ‘લોકોની સભા’ (assembly of people) અથવા ‘ઉપાસના માટેની સભા’ (congregation). તે વિશાળ ઇમારત પણ હોઈ શકે અથવા નાનકડો ખાલી ઓરડો પણ હોઈ શકે, જ્યાં લોકો પ્રાર્થના માટે એકઠા થઈ શકે. ઈ. પૂ. છઠ્ઠી સદીમાં બૅબિલૉનથી…
વધુ વાંચો >સિલ્વેસ્ટર-1, સંત (જ. 275, રોમ; અ. 335, રોમ)
સિલ્વેસ્ટર–1, સંત (જ. 275, રોમ; અ. 335, રોમ) : કૅથલિક સંપ્રદાયના વડા પોપ. તેઓ જન્મે રોમન હતા અને ઈ. સ. 314થી 335 સુધી પોપ હતા. પોપ થયા તેના થોડા સમય અગાઉ રોમન સમ્રાટ કૉન્સ્ટન્ટાઇને તેના સામ્રાજ્યમાં ખ્રિસ્તી ધર્મની તરફેણમાં ધાર્મિક સ્થિતિમાં ક્રાંતિકારી ફેરફારો કર્યા હતા. સિલ્વેસ્ટર વિશે આધારભૂત માહિતી ઘણી…
વધુ વાંચો >સિંહનાદ
સિંહનાદ : મહાયાન સંપ્રદાયમાં અવલોકિતેશ્વરનું રોગવિનાશક ઉગ્ર સ્વરૂપ. અવલોકિતેશ્વર બોધિસત્વ તરીકે ચીન, જાપાન, તિબેટ તેમજ પ્રાચીન ભારતમાં ખૂબ લોકપ્રિય હતા. ધ્યાની બુદ્ધ અમિતાભ અને તેમની બુદ્ધશક્તિ પાંડરામાંથી પ્રગટેલા અવલોકિતેશ્વરનાં બધાં સ્વરૂપોમાં મસ્તક પર ધ્યાની બુદ્ધ અમિતાભને ધારણ કરેલા બતાવાય છે. એમનાં પૂજાતાં વિવિધ સ્વરૂપો પૈકી પંદર સ્વરૂપોનું સાધનમાલામાં નામજોગ વર્ણન…
વધુ વાંચો >સુકન્યા
સુકન્યા : રાજા શર્યાતિની પુત્રી અને ચ્યવન ઋષિની પત્ની. શર્યાતિના પુત્રોએ ભાર્ગવ ચ્યવનને હેરાન કર્યા અને ચ્યવન ઋષિએ શાર્યાતોમાં વિગ્રહ કરાવ્યો. તેથી શર્યાતિ રાજાએ પોતાની સુકન્યા નામે યુવાન પુત્રી વૃદ્ધ ચ્યવન સાથે પરણાવીને ઋષિને પ્રસન્ન કર્યા એવી એક વાત શતપથ બ્રાહ્મણમાં આપવામાં આવી છે. અશ્ર્વિનીકુમારોની કૃપાથી વૃદ્ધ ચ્યવન પુનર્યૌવન પામ્યા…
વધુ વાંચો >સુખવાદ
સુખવાદ (Hedonism) : એક મહત્ત્વનો મૂલ્યનિરૂપક નીતિશાસ્ત્ર(normative ethics)નો સિદ્ધાંત. પાશ્ર્ચાત્ય નીતિશાસ્ત્રમાં મનુષ્યોનાં કાર્યોનું નૈતિક મૂલ્યાંકન કરવાના જે કેટલાક સિદ્ધાંતો છે તેમાંનો તે એક છે. પાશ્ર્ચાત્ય નીતિશાસ્ત્રમાં પરિણામવાદી (consequentialist) અને અપરિણામવાદી (non-consequentialist) – એમ બે પ્રકારના નૈતિક સિદ્ધાંતો છે, તેમાં સુખવાદ એ પરિણામવાદી નૈતિક સિદ્ધાંત છે. નૈતિક પરિણામવાદ પ્રમાણે માત્ર એવાં…
વધુ વાંચો >સુખાવતીલોકેશ્વર
સુખાવતીલોકેશ્વર : નેપાળમાં પ્રચલિત બોધિસત્વ અવલોકિતેશ્વરનું એક વિશિષ્ટ સ્વરૂપ. અમૃતાનંદરચિતા ‘ધર્મકોશસંગ્રહ’માં આ સ્વરૂપનું વર્ણન મળે છે. અવલોકિતેશ્વર વર્તમાન ભદ્રકલ્પના અધિષ્ઠાતા મનાતા હોઈ વર્તમાન જગતના રક્ષણની જવાબદારી એમના શિરે છે. સાધનમાલામાં અવલોકિતેશ્વરનાં લગભગ 31 સાધનો જાણવા મળે છે, જે એમની જે-તે સ્વરૂપની ઉપાસનાનાં સૂચક છે. આમાંથી 15 સાધનોનું વર્ણન સાધનમાલામાં પ્રાપ્ત…
વધુ વાંચો >