Political science

સ્મટ્સ યાન ક્રિશ્ચિયન

સ્મટ્સ, યાન ક્રિશ્ચિયન (જ. 24 મે 1870, બોવનપ્લાટ્ટસ, કેપ કૉલોની, દક્ષિણ આફ્રિકા; અ. 11 સપ્ટેમ્બર 1950, ઈરેને, પ્રીટોરિયા, દક્ષિણ આફ્રિકા) : દક્ષિણ આફ્રિકાના રાજનીતિજ્ઞ, વડા સેનાપતિ અને વડાપ્રધાન (1919 –24, 1939–48). ડચ વાંશિકતા ધરાવતા આ બાળકનો ઉછેર ખેતરો અને ખેતીની કામગીરી વચ્ચે થયેલો. પરિણામે પ્રકૃતિપ્રેમ અને ભૂમિપ્રેમ સહજ રીતે કેળવાયેલો.…

વધુ વાંચો >

સ્મિથ ઈયાન ડગ્લાસ

સ્મિથ, ઈયાન ડગ્લાસ (જ. 8 એપ્રિલ 1919, સેલ્યુક્વે, રહોડેશિયા, હવે શુરુગ્વી, ઝિમ્બાબ્વે; અ. 20 નવેમ્બર 2007, કેપટાઈન, દક્ષિણ આફ્રિકા) : 1964થી 1978 સુધી રહોડેશિયાના વડાપ્રધાન. રહોડેશિયા હવે ઝિમ્બાબ્વે કહેવાય છે. સ્મિથ 1948થી 1953 સુધી દક્ષિણ રહોડેશિયાની સંસદના સભ્ય હતા. 1953થી 1961 સુધી ફેડરેશન ઑવ્ રહોડેશિયા ઍન્ડ ન્યાસાલૅન્ડની સમવાયી ધારાસભાના સભ્ય…

વધુ વાંચો >

સ્વતંત્ર પક્ષ

સ્વતંત્ર પક્ષ : મુક્ત અર્થતંત્રની હિમાયત કરતાં લાઇસન્સ-પરમિટરાજની નાબૂદી ચાહતો ઑગસ્ટ, 1959માં સ્થપાયેલો રાજકીય પક્ષ. ભારતની સંસદીય લોકશાહીના પ્રારંભે કૉંગ્રેસ પક્ષે ડાબેરી વલણોને વેગ આપી દેશને સમાજવાદની દિશામાં લઈ જવાનું ધ્યેય સ્વીકાર્યું. 1955માં અવાડી અધિવેશનમાં ‘સમાજવાદી ઢબની સમાજરચના’ (socialistic pattern of society) રચવાની ઘોષણા કરવામાં આવી. 1957માં ઇંદોર અધિવેશનમાં ‘સમાજવાદી…

વધુ વાંચો >

સ્વદેશી આંદોલન

સ્વદેશી આંદોલન : વિલાયતી-વિદેશી માલના બહિષ્કારનું આંદોલન. સ્વદેશીનું આંદોલન આ દેશમાં સૌપ્રથમ 1905માં શરૂ થયું. 1905માં બંગાળના ભાગલા તે વખતના વાઇસરૉયે પાડ્યા તેથી બંગભંગનું આંદોલન શરૂ થયું. તેની સાથે લોકોને લાગવા માંડ્યું કે આ ભાગલા આપણે વિલાયતી માલ વાપરીએ છીએ તેને કારણે છે, એટલે એ માલના બહિષ્કાર રૂપે સ્વદેશીનું આંદોલન…

વધુ વાંચો >

સ્વરાજ

સ્વરાજ : પોતાનું રાજ. ભારતના રાજકીય ઇતિહાસના સંદર્ભમાં આ એક રાજકીય પરિમાણ ધરાવતો શબ્દપ્રયોગ છે. ભારત પરના અંગ્રેજોના શાસનને દૂર કરીને પ્રજાકીય–લોકશાહી શાસન સ્થાપવામાં આવે તે સ્વરાજ એવો તેનો અર્થ ઘટાવવામાં આવ્યો હતો. તેના વિકલ્પે સ્વાતંત્ર્ય અને આઝાદી જેવા શબ્દો પણ પ્રયોજાયા છે. એ બધાનો અર્થ એક જ થાય છે…

વધુ વાંચો >

સ્વરાજ સુષમા

સ્વરાજ, સુષમા (જ. 14 ફેબ્રુઆરી 1952, અંબાલા કૅન્ટોનમેન્ટ, હરિયાણા; અ. 6 ઑગસ્ટ 2019) : દિલ્હીનાં સૌપ્રથમ મહિલા મુખ્યમંત્રી, જાણીતાં મહિલા રાજકારણી અને ભારતીય જનતા પક્ષનાં પ્રથમ હરોળનાં નેત્રી. પિતા હરદેવ શર્મા અને માતા લક્ષ્મીદેવી. તેઓ ચંડીગઢની પંજાબ યુનિવર્સિટીમાંથી વિનયન વિદ્યાશાખા અને કાયદાની વિદ્યાશાખાનાં સ્નાતક છે. કૉલેજની શૈક્ષણિક કારર્કિદી દરમિયાન વક્તૃત્વસ્પર્ધા,…

વધુ વાંચો >

સ્વરાજ્ય પક્ષ

સ્વરાજ્ય પક્ષ : ધારાસભાઓમાં ચૂંટાઈને સરકારને ‘અંદરથી’ બંધારણીય લડત આપવા કૉંગ્રેસની અંદર જ દેશબંધુ ચિત્તરંજન દાસ તથા મોતીલાલ નેહરુએ જાન્યુઆરી, 1923માં સ્થાપેલો રાજકીય પક્ષ. ગાંધીજીએ અસહકારનું આંદોલન ફેબ્રુઆરી 1922માં બંધ રાખ્યું અને તે પછી તેમની ધરપકડ થઈ. ત્યાર બાદ દેશ સમક્ષ કોઈ કાર્યક્રમ રહ્યો નહિ. તેથી લોકોમાં હતાશા ફેલાઈ અને…

વધુ વાંચો >

સ્વર્ણસિંગ

સ્વર્ણસિંગ (જ. 19 ઑગસ્ટ 1907; અ. 30 ઑક્ટોબર 1994, નવી દિલ્હી) : સ્વાતંત્ર્યસેનાની તથા સ્વાતંત્ર્યોત્તર કાળના ભારતના રાજદ્વારી મુત્સદ્દી. 1926માં મૅટ્રિકની પરીક્ષા પાસ કર્યા પછી લાહોરની સરકારી કૉલેજમાં વિજ્ઞાન વિદ્યાશાખામાં ઉચ્ચ અભ્યાસાર્થે દાખલ થયા. 1930માં બી.એસસી.ની સ્નાતક પદવી, 1932માં ભૌતિકશાસ્ત્ર સાથે એમ.એસસી.ની અનુસ્નાતક પદવી પ્રાપ્ત કર્યા પછી કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો…

વધુ વાંચો >

સ્વાતંત્ર્યદિન

સ્વાતંત્ર્યદિન : કોઈ પણ રાષ્ટ્રનો જન્મદિન, જ્યારે તે અન્ય વિદેશી શાસકથી સ્વતંત્ર બને છે અથવા સ્વયંસમજ કે ક્રાંતિ દ્વારા જૂની રાજ્યવ્યવસ્થા ફગાવી દઈ નવી રાજ્યવ્યવસ્થાનો સ્વીકાર કરે છે. કેટલાક દેશો કે જ્યાં રાજા બંધારણીય વડો કે વાસ્તવિક વડો હોય છે ત્યાં રાજાનો તાજ ધારણ કરવાનો દિવસ સ્વાતંત્ર્યદિન તરીકે ઊજવવાની પ્રથા…

વધુ વાંચો >

સ્વામીનાથન અમ્મુ

સ્વામીનાથન, અમ્મુ (જ. ? 1894, અનક્કારા, કુટ્ટીપુરમ્, ચેન્નાઈ; અ. ? 1978) : દક્ષિણ ભારતનાં જાણીતાં મહિલા નેત્રી. પિતા પી. ગોવિંદ મેનન ઉત્તર કેરળના નાયર હતા અને મુનસફ તરીકે કામગીરી બજાવેલી. 1908માં ચેન્નાઈના જાણીતા ઍડ્વોકેટ ડૉ. સ્વામીનાથન સાથે તેમનાં લગ્ન થયાં હતાં. તેમનાં ચારે સંતાનો પોતપોતાનાં ક્ષેત્રોમાં નામાંકિત બન્યાં. પુત્ર ગોવિંદ…

વધુ વાંચો >