શિવપ્રસાદ રાજગોર
ડોડા
ડોડા : ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ ‘જમ્મુ-કાશ્મીર’નો જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 32 53´ ઉ. અ.થી 34 21´ ઉ. અ. અને 75 1´ પૂ. રે.થી 76 47´ પૂ. રે.ની વચ્ચે, બાહ્ય હિમાલયની હારમાળામાં આવેલો છે. સમુદ્રની સપાટીથી સરેરાશ 1107 મીટરની ઊંચાઈએ તે આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે કિશ્તવાર જિલ્લો, પૂર્વે હિમાચલ પ્રદેશ રાજ્ય,…
વધુ વાંચો >ડ્રેક, ફ્રાન્સિસ
ડ્રેક, ફ્રાન્સિસ (જ. 1540/43, તાવિયેસ્ક; અ. 28 જાન્યુઆરી 1596, પોર્ટબેલો, પનામા) : એલિઝાબેથ યુગનો ઇંગ્લૅન્ડનો રાષ્ટ્રવીર, કાબેલ નૌકાધિપતિ અને પૃથ્વીની પ્રદક્ષિણા કરનાર પ્રથમ અંગ્રેજ વહાણવટી. તેનો જન્મ ચુસ્ત પ્રૉટેસ્ટન્ટ પંથી અને કૅથલિકવિરોધી ખેડૂત પિતાને ત્યાં થયો હતો. તેર વરસની વયે એપ્રેન્ટિસ તરીકે સમુદ્રની ખેપમાં જોડાયેલ. તે 1566માં કેપ વર્ડે તથા…
વધુ વાંચો >ડ્રેજર
ડ્રેજર : નહેર, નદી કે બારામાંથી કાંપ, રેતી, પથ્થર વગેરે ખોદી કાઢી ઊંડાણ વધારવા માટે વપરાતું વિશિષ્ટ જહાજ. જહાજ સરળતાથી બારામાં પ્રવેશી શકે તે માટે કાંપ વગેરે ખોદી કાઢી જળનું ઊંડાણ વધારવાની અને ત્યારબાદ તે ઊંડાણ જાળવી રાખવાની જરૂર પડે છે. પહેલી ક્રિયાને પ્રાથમિક તળકર્ષક (dredging) અને બીજી ક્રિયાને દેખભાળ…
વધુ વાંચો >ઢંકપુરી
ઢંકપુરી : મહત્વનું જૈન તીર્થધામ. તે ઢંક કે ઢાંક તરીકે પણ ઓળખાય છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા ગામથી 25.6 કિમી, નજીકના રેલવે સ્ટેશન પાનેલીથી 11.2 કિમી, ગોંડલથી 72 કિમી. અને સૈન્ધવોની રાજધાની ઘૂમલીથી પૂર્વ તરફ 40 કિમી. દૂર છે. અહીં આલેચ ડુંગરની તળેટીમાં પ્રખ્યાત એવી ઢાંકની ગુફાઓ આવેલી છે. ચૂનાના ખડકોમાંથી…
વધુ વાંચો >ઢાઢર
ઢાઢર : નર્મદાને મળતી ઉપનદી. તેની કુલ લંબાઈ 126 કિમી. છે. તે પાવાગઢની દક્ષિણે આવેલા ભીલપુરથી 48 કિમી. દૂર શિવરાજપુર નજીક આવેલી ટેકરીઓમાંથી નીકળે છે. તે વડોદરા જિલ્લાના વાઘોડિયા, ડભોઈ, વડોદરા, કરજણ અને પાદરા તાલુકાઓનાં ગામોમાંથી પસાર થાય છે. વડોદરા જિલ્લામાં તેની લંબાઈ 80 કિમી. છે. તેને વિશ્વામિત્રી અને દેવ…
વધુ વાંચો >ઢોડિયા
ઢોડિયા : ગુજરાતની અઢાર આદિવાસી જાતિઓ પૈકી એક. તેમની પરંપરા પ્રમાણે તેમના પૂર્વજો ધોળકા તાલુકામાં વસતા રજપૂતો હતા અને અલ્લાઉદ્દીન ખલજીના આક્રમણને કારણે (તેમના પૂર્વજો) ધનાસિંહ કે ધના અને રૂપાસિંહ કે રૂપા સ્થળાંતર કરીને અંબિકા નદીના કાંઠા ઉપરનાં જોગવાડ-ચિતાલા ગામે વસ્યા. આમ તેઓ ધોળકા તરફથી આવેલા હોવાથી ધોળકિયા – ઢોડિયા…
વધુ વાંચો >તકલામાકાન
તકલામાકાન : ચીનની વાયવ્ય દિશાએ સિંકયાંગ પ્રાંતમાં આવેલું એશિયાનું સૌથી સૂકું રણ. ભૌગોલિક સ્થાન : 39° ઉ. અ. અને 83° પૂ. રે.. તેનું ક્ષેત્રફળ 6,48,000 કિમી. છે. તેની ઉત્તરે ટીએનશાન ગિરિમાળા, દક્ષિણે કુનલુન ગિરિમાળા અને પશ્ચિમે પામીરની ગિરિમાળા છે. પૂર્વ તરફ ચીનનો કીંધાઈ પ્રાંત છે. તેની વચ્ચેથી તારીમ નદી વહે…
વધુ વાંચો >તરસંગ
તરસંગ : બનાસકાંઠા જિલ્લામાં આવેલ ભૂતપૂર્વ દાંતા રાજ્યની જૂની રાજધાની. તે ‘તરસંગ’, ‘તરસંગમ’ કે ‘તરસંગમક’ તરીકે પણ ઓળખાય છે. અંબાજી પાસેના ગબ્બરગઢના કેસરીસિંહે તરસંગિયા ભીલને મારીને આ સ્થળને ઈ. સ. 1269માં રાજધાની તરીકે પસંદ કર્યું હતું. આ સ્થળ દાંતા તાલુકામાં દાંતાથી 17 કિમી. દૂર આવેલ મહુડી ગામ પાસે છે. અલ્લાઉદ્દીન…
વધુ વાંચો >તરુણાદિત્યનું મંદિર
તરુણાદિત્યનું મંદિર : ચાલુક્ય શાસન દરમિયાનનું સૂર્યમંદિર. ગુજરાતમાં મૈત્રક અને અનુમૈત્રકકાળ દરમિયાન ઘણાં સૂર્યમંદિરો હતાં. આ પ્રણાલી સોલંકી કાળ સુધી ચાલુ રહી હતી. દક્ષિણ સૌરાષ્ટ્રમાં ચાલુક્યોનું રાજ્ય હતું. તેમની રાજધાની નક્ષિસપુર હતી. આ વંશના રાજા બલવર્માએ નક્ષિસપુર ચોર્યાશીનું એક ગામ જયપુર તરુણાદિત્યના મંદિરના નિભાવ માટે આપ્યું હતું. આ મંદિર કર્ણવીરિકા…
વધુ વાંચો >તળાજા
તળાજા : ભાવનગર જિલ્લામાં આવેલો તાલુકો અને તાલુકામથક. ભૌગોલિક સ્થાન : 21° 21´ ઉ. અ. અને 72° 03´ પૂ. રે.. શેત્રુંજી અને તળાજી નદીઓના સંગમ ઉપર આવેલું આ નગર પ્રાચીન બૌદ્ધ ગુફાઓ અને નરસિંહ મહેતાના જન્મસ્થળ તરીકે જાણીતું છે. અહીં પ્રાચીન કાળમાં વસતા તાલવ દૈત્યના નામ ઉપરથી તેનું ‘તાલધ્વજપુર’ નામ…
વધુ વાંચો >