શિવપ્રસાદ રાજગોર

શેત્રુંજી

શેત્રુંજી : સૌરાષ્ટ્રમાં આવેલી નદી. તે અમરેલી અને ભાવનગર જિલ્લામાંથી પસાર થઈને ખંભાતના અખાતને મળે છે. લંબાઈમાં તે ભાદર પછીના બીજા ક્રમે આવે છે. તેની લંબાઈ 174 કિમી. જેટલી છે. ગીરમાં બગસરાથી દક્ષિણે સીસવાણ ગામ નજીક આવેલા જંગલમાં મથુરામાળ નામની ડુંગરમાળાના ચાંચ શિખરમાંથી તે નીકળે છે. અમરેલી જિલ્લાના ધારી પાસેના…

વધુ વાંચો >

સરખેજ

સરખેજ : અમદાવાદ સિટી તાલુકામાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : તે 22° 59´ ઉ. અ. અને 72° 30´ પૂ. રે.. તે અમદાવાદ શહેરથી પશ્ચિમ તરફ અમદાવાદ-સૌરાષ્ટ્રના માર્ગ પર આવેલું છે. સરખેજ અને તેની આજુબાજુની ભૂમિ સમતળ અને ફળદ્રૂપ છે. અહીંનાં મે અને જાન્યુઆરીનાં સરેરાશ ગુરુતમ-લઘુતમ તાપમાન અનુક્રમે 41° સે. અને…

વધુ વાંચો >

સાણંદ

સાણંદ : ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લામાં આવેલું નગર. જિલ્લાના સાત તાલુકાઓ પૈકીનો એક તાલુકો, તાલુકામથક તથા ભૂતપૂર્વ કોઠના દેશી રાજ્યની રાજધાનીનું સ્થળ. ભૌગોલિક સ્થાન : 22° 59´ ઉ. અ. અને 72° 22´ પૂ. રે.. તાલુકાનું ક્ષેત્રફળ 791 ચોકિમી. જેટલું છે, તાલુકામાં સાણંદ શહેર અને 67 ગામો આવેલાં છે. તાલુકાની કુલ…

વધુ વાંચો >

સાયલા

સાયલા : ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 22° 25´ ઉ. અ. અને 71° 29´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. સાયલા સુરેન્દ્રનગરથી આશરે 30 કિમી. અંતરે નૈર્ઋત્ય તરફ આવેલું છે. તાલુકાનું ક્ષેત્રફળ આશરે 973 ચોકિમી. જેટલું છે. તેની ઉત્તરે મૂળી તાલુકો,…

વધુ વાંચો >

સિક્કા

સિક્કા : ગુજરાત રાજ્યના જામનગર જિલ્લામાં કચ્છના અખાતને પૂર્વ કિનારે આવેલું શહેર અને કુદરતી બંદર. ભૌગોલિક સ્થાન : તે 22° 27´ ઉ. અ. અને 70° 07´ પૂ. રે. પર જામનગરથી 40 કિમી. પશ્ચિમ તરફ તથા ઓખાથી ઉત્તર-પૂર્વમાં 64 કિમી.ને અંતરે તથા બેડીની ખાડીના મુખથી 24 કિમી.ને અંતરે દક્ષિણ-પશ્ચિમ તરફ આવેલું…

વધુ વાંચો >

સોજિત્રા

સોજિત્રા : આણંદ જિલ્લામાં આવેલું ગામ. ભૌગોલિક સ્થાન : તે 22° 32´ ઉ. અ. અને 72° 53´ પૂ. રે. પર તાલુકામથક પેટલાદથી 11 કિમી. દૂર આવેલું છે. સોજિત્રા ચરોતરના સમતળ, ફળદ્રૂપ પ્રદેશમાં આવેલું છે. તેની આજુબાજુની જમીન ગોરાડુ છે. આબોહવા વિષમ છે. ઉનાળા અને શિયાળાનાં સરેરાશ મહત્તમ અને લઘુતમ દૈનિક…

વધુ વાંચો >

સોનકંસારીનાં મંદિરો

સોનકંસારીનાં મંદિરો : મૈત્રક-સૈંધવ કાલના ગુજરાતનાં મંદિરો. જામનગર જિલ્લામાં આવેલ ઘૂમલીમાં પ્રાચીન સમયમાં સૈંધવ રાજાઓ અને જેઠવા રાજાએ શાસન કર્યું હતું. અહીંના ચૌલુક્યકાલીન નવલખા મંદિરની પશ્ચિમે કંસારી નામના તળાવના કાંઠે આવેલાં મંદિરોનો સમૂહ સોનકંસારીનાં મંદિરો તરીકે ઓળખાય છે. અહીં આવેલાં મંદિરો પૈકી મંદિર નં. 1, 2, 3, 4, 5 અને…

વધુ વાંચો >

સોમનાથ

સોમનાથ : જૂનાગઢ જિલ્લાના વેરાવળ તાલુકામાં આવેલું પ્રાચીન નગર. ભૌગોલિક સ્થાન : તે 20° 53´ ઉ. અ. અને 70° 24´ પૂ. રે. પર વેરાવળથી માત્ર આઠ કિમી. દૂર અરબી સમુદ્રને કાંઠે સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં આવેલું છે. ભારતનાં બાર જ્યોતિર્લિંગ પૈકીનું પ્રથમ ક્રમે આવતું જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે આવેલું હોવાથી હિન્દુઓનું પ્રખ્યાત…

વધુ વાંચો >