રૂપેન્દ્રકુમાર પગારિયા

નમિનાથ

નમિનાથ : જૈન ધર્મના એકવીસમા તીર્થંકર. અનુશ્રુતિ અનુસાર પૂર્વજન્મમાં તેઓ કૌશાંબી નગરીના રાજા સિદ્ધાર્થ હતા. તેમણે સુદર્શન મુનિની પાસે દીક્ષા લઈને કઠોર તપ કર્યું અને તીર્થંકર બન્યા. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા – એ ચાર તીર્થો તેમણે સ્થાપ્યાં તેથી તેઓ તીર્થંકર કહેવાયા. સમાધિપૂર્વક દેહત્યાગ કરી અપરાજિત નામના સ્વર્ગમાં દેવ તરીકે…

વધુ વાંચો >

નમ્મયાસુંદરીકહા (નર્મદાસુંદરીકથા)

નમ્મયાસુંદરીકહા (નર્મદાસુંદરીકથા) : મહેન્દ્રસૂરિએ 1131માં પ્રાકૃત ગદ્યપદ્યમાં રચેલી કથા. આમાં नम्मया એટલે નર્મદાસુંદરીના ચરિત્રનું વર્ણન છે. આનો ગદ્ય-પદ્ય ભાગ સરલ અને રોચક છે. જૈન ધર્મમાં અત્યંત શ્રદ્ધાશીલ શ્રેષ્ઠી સહદેવની પત્ની સુંદરીએ નર્મદાસુંદરીને જન્મ આપ્યો હતો. નર્મદાસુંદરીના સૌન્દર્યથી આકર્ષિત થઈ મહેશ્વર દત્તે જૈન ધર્મનો સ્વીકાર કર્યો. શેઠે મહેશ્વરને જૈન સમજીને તેની…

વધુ વાંચો >

પટ્ટાવલી

પટ્ટાવલી : જૈન સાધુઓની ગુરુશિષ્યપરંપરાનો ઇતિહાસ. ‘પટ્ટાવલી’, ‘પટ્ટધરાવલી’નું સંક્ષિપ્ત રૂપ છે. ‘પટ્ટ’નો અર્થ ‘આસન’ કે ‘સન્માનનું સ્થાન’ છે. રાજાઓના આસનને સિંહાસન કહે છે અને ગુરુઓના આસનને પટ્ટ. આ પટ્ટ ઉપર રહેલા ગુરુને પટ્ટધર અને તેમની પરંપરાને પટ્ટાવલી કહે છે. શ્રમણ ભગવાન મહાવીરથી આરંભી તેમના ગણ અને ગણધરોની પરંપરાનું સ્મરણ કરતાં…

વધુ વાંચો >

પદ્મપ્રભ

પદ્મપ્રભ : જૈન ધર્મના 24 તીર્થંકરોમાંના છઠ્ઠા તીર્થંકર. પૂર્વજન્મમાં તેઓ અપરાજિત નામના મુનિ હતા. કઠોર તપ કરીને સમાધિપૂર્વક મૃત્યુ પામી ગ્રૈવેયક નામના દેવવિમાનમાં ઉત્પન્ન થયા. દેવનું આયુષ્ય ભોગવીને એ પછી કૌશામ્બી નગરીના રાજા શ્રીધર અને રાણી સુસીમાને ત્યાં પુત્ર તરીકે અવતર્યા. રાણી સુસીમાને 14 મહાસ્વપ્નો એ પહેલાં આવેલાં. માતા સુસીમાનો…

વધુ વાંચો >

પંચસંગહ (પંચસંગ્રહ) (ઈ. સ. નવમી સદી)

પંચસંગહ (પંચસંગ્રહ) (ઈ. સ. નવમી સદી) : જૈન ધર્મનો જાણીતો કર્મગ્રંથ. પાર્શ્વર્ષિના શિષ્ય ચંદ્રર્ષિ મહત્તર તેના લેખક છે. આ ગ્રંથનો રચનાકાળ નવમી સદીની આસપાસ માનવામાં આવે છે. આ ગ્રંથ એક હજાર અને પાંચ ગાથાઓનો બનેલો છે. કેટલાક વિદ્વાનો તેને 963 ગાથાઓનો બનેલો માને છે. આ ગ્રંથ પાંચ વિભાગોમાં વહેંચાયેલો છે.…

વધુ વાંચો >

પાર્શ્વચન્દ્રસૂરિ

પાર્શ્વચન્દ્રસૂરિ (જ. 1481; અ. 1546, જોધપુર) : પાર્શ્વચંદ્ર ગચ્છના સ્થાપક જૈનાચાર્ય. તે હમીરપુરના નિવાસી વીસા પોરવાડ જ્ઞાતિના શ્રેષ્ઠી વેલગ શાહના પુત્ર હતા. તેમની માતાનું નામ વિમલાદેવી હતું. તેમણે 1490માં નાગોરી તપાગચ્છના આચાર્યશ્રી સાધુરત્નસૂરિની પાસે દીક્ષા લીધી. તેમણે ટૂંકસમયમાં જ સંસ્કૃત અને પ્રાકૃતનું; ન્યાય અને વ્યાકરણનું અધ્યયન કરી 1498માં ઉપાધ્યાયપદ પ્રાપ્ત…

વધુ વાંચો >

પ્રજ્ઞપ્તિ (પન્નત્તિ)

પ્રજ્ઞપ્તિ (પન્નત્તિ) : જૈન આગમ ગ્રંથો. પ્રાકૃત ભાષામાં રચાયેલી (1) જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિ, (2) ચંદ્રપ્રજ્ઞપ્તિ, (3) સૂર્યપ્રજ્ઞપ્તિ, (4) દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ અને (5) વિયાહપન્નત્તિ (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ ?) – એ પાંચ રચનાઓનો સમાવેશ તેમાં કરવામાં આવે છે. પહેલી ચાર રચનાઓને સ્થાનાંગસૂત્ર મુજબ ઉપાંગો ગણવામાં આવી છે, જ્યારે છેલ્લી રચના વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ એ ભગવતીસૂત્ર નામનું અંગ ગણાય છે.…

વધુ વાંચો >

ભક્તામરસ્તોત્ર

ભક્તામરસ્તોત્ર : આશરે સાતમી સદીમાં થયેલા માનતુંગાચાર્યે વસંતતિલકા છંદમાં આદિ તીર્થંકર ઋષભદેવ વિશે સંસ્કૃત ભાષામાં રચેલું સ્તોત્રકાવ્ય. એના પ્રથમ શબ્દ ‘ભક્તામર’ પરથી આ સ્તોત્રને ‘ભક્તામરસ્તોત્ર’ કહેવામાં આવ્યું છે. શ્વેતાંબરો આ સ્તોત્રને 42 કે 44 શ્લોકોનું બનેલું માને છે, જ્યારે દિગંબરો તેને 48 શ્લોકોનું બનેલું માને છે. શ્વેતાંબરો પ્રતિહાર્યબોધક સિંહાસન, ભામંડળ,…

વધુ વાંચો >

ભદ્રબાહુસ્વામી

ભદ્રબાહુસ્વામી (જ. ઈ. પૂ. 367, પ્રતિષ્ઠાનપુર; અ. ઈ. પૂ. 293) : જૈન ધર્મના અંતિમ શ્રુતકેવલી આચાર્ય. ભદ્રબાહુ મહાવીરના સાતમા પટ્ટધર આચાર્ય હતા. તેમનો જન્મ બ્રાહ્મણ પરિવારમાં ચંદ્રગુપ્ત મૌર્યના રાજ્યકાળ દરમિયાન થયો હતો. ગૃહસ્થાશ્રમમાં 45 વર્ષ ગાળ્યા બાદ તેમણે મહાવીરના પાંચમા પટ્ટધર આચાર્ય યશોભદ્ર પાસે દીક્ષા લીધી અને ગુરુ પાસે જૈન…

વધુ વાંચો >

વજ્જાલગ્ગ (મુનિ જયવલ્લભ)

વજ્જાલગ્ગ (મુનિ જયવલ્લભ) : પ્રાકૃત મુક્તકકાવ્યસંગ્રહ. તેમાં અનેક પ્રાકૃત કવિઓની સુભાષિત ગાથાઓ છે. શ્ર્વેતાંબર પરંપરાના જયવલ્લભમુનિએ આ ગ્રંથનું સંકલન કર્યું છે. રત્નદેવગણિએ સં. 1393માં આના પર સંસ્કૃત ટીકા લખી છે. આમાં 795 ગાથાઓ આર્યા છંદમાં છે. તેમાં ધર્મ, અર્થ અને કામનું સુંદર નિરૂપણ છે. આ ગાથાઓ કાવ્ય, સજ્જન, દુર્જન, દૈવ,…

વધુ વાંચો >