રામજીભાઈ ઠા. સાવલિયા
વૈન્યગુપ્ત
વૈન્યગુપ્ત : ગુપ્ત સમ્રાટ બુધગુપ્તનો ઉત્તરાધિકારી. તે ઈ. સ. 495માં પાટલિપુત્રની ગાદીએ બેઠો. એણે ઈ. સ. 495થી 507 સુધી શાસન કર્યું. બુધગુપ્ત પછી ગુપ્ત સામ્રાજ્ય પોતાની એકતા જાળવી શક્યું નહિ. ગુપ્ત સામ્રાજ્યના પૂર્વ ભાગમાં વૈન્યગુપ્તનું તથા પશ્ચિમ ભાગમાં ભાનુગુપ્તનું શાસન હતું. વૈન્યગુપ્તના સોનાના સિક્કા પ્રાપ્ત થયા છે. આ સિક્કાઓમાં સોનાની…
વધુ વાંચો >વૈભારગિરિ
વૈભારગિરિ : બિહાર રાજ્યના પટણા જિલ્લામાં રાજગૃહ કે રાજગિરિ પાસે આવેલી પર્વતમાળા. રામાયણ, મહાભારત, બૌદ્ધ પાલિ સાહિત્ય તથા અન્ય સાહિત્યમાંથી વૈભારગિરિ વિશે માહિતી મળે છે. ભગવાન બુદ્ધને ચારેય બાજુથી પહાડીઓથી ઘેરાયેલ આ પ્રાકૃતિક સ્થળ ઘણું પસંદ હતું. તેથી તેઓ સંબોધિ મેળવ્યા પહેલાં પણ રાજગૃહ આવ્યા હતા. અજાતશત્રુના શાસનકાળમાં વૈભારગિરિની સાતપર્ણી…
વધુ વાંચો >શકદ્વીપ
શકદ્વીપ : શક લોકોના વસવાટનો દ્વીપ સૌરાષ્ટ્ર. પૌરાણિક માન્યતા મુજબ શ્રીકૃષ્ણના પુત્ર સામ્બે શકદ્વીપમાંથી મગ લોકોને તેડાવી ઈરાની ઢબની સૂર્યપૂજા પ્રચલિત કરી. મૂળ સ્થાન (મુલતાન) મગ લોકોનું મુખ્ય કેન્દ્ર હતું. મગ લોકોને બ્રાહ્મણો તરીકે અપનાવી લેવામાં આવ્યા હતા. મૂલત: પૂર્વ ઈરાનના શકદ્વીપના મગ લોકો ભારતમાં આવી વસ્યા અને તેમનો વસવાટનો…
વધુ વાંચો >શક-પહ્લવ
શક–પહ્લવ : એશિયાની પ્રાચીન જાતિના લોકો. સિકંદરના સામ્રાજ્યના ભાગલા પડતાં એમાંના એશિયાઈ મુલકો પર યવન (યુનાની) વિજેતા સેલુકની સત્તા સ્થપાઈ. સેલુક સામ્રાજ્યના બાહ્લિક (બૅક્ટ્રિયા) પ્રાંત[હાલના અફઘાનિસ્તાનના ઉત્તર ભાગમાં આવેલો બલ્ખ(બૅક્ટ્રા)ની આસપાસનો પ્રદેશ]ની જેમ તેનો પહ્લવ (પાર્થિયા) પ્રાંત (હાલ ઈશાન ઈરાનમાં આવેલો ખોરાસાન અને એની નજીકનો પ્રદેશ) પણ ઈ. પૂ. 250ના…
વધુ વાંચો >શક-પહ્લવ સિક્કાઓ
શક–પહ્લવ સિક્કાઓ : શક-પહ્લવ રાજાઓએ પડાવેલા સિક્કા. મધ્ય એશિયાના રહેવાસી શક લોકો ઈરાનમાં આવી વસ્યા. સ્થાનિક પહ્લવો સાથે સાંસ્કૃતિક રીતે એટલા બધા ભળી ગયા કે શક-પહ્લવોને અલગ ઓળખવા મુશ્કેલ પડે. ધીમે ધીમે તેઓ બાહ્લિક અને કંદહાર તરફથી ઉત્તર-પશ્ચિમ ભારતમાં ઈ. પૂ. 75ના અરસામાં આવીને વસ્યા. એમાંના જેઓ કંદહાર અને બલૂચિસ્તાનના…
વધુ વાંચો >શક સ્થાન
શક સ્થાન : શકોએ પૂર્વ ઈરાનમાં વસાવેલું નિવાસસ્થાન. ત્યાંથી તેઓ ભારતમાં પ્રાય: બોલનઘાટને માર્ગે દાખલ થઈ પહેલાં સિંધમાં આવી વસ્યા હતા. આ સ્થળ હિંદ-શકસ્થાન (Indo-Scythia) તરીકે ઓળખાયું. પારસ(ઈરાન)ના શક લોકોના ષાહિઓ(સરદારો)એ ઈ. પૂ. પહેલી સદીમાં સિંધુ દેશ પર પોતાની સત્તા પ્રસારી ત્યાં નવું શકસ્થાન વસાવ્યું. ત્યાંથી તેઓએ સૌરાષ્ટ્ર થઈ ઉજ્જન…
વધુ વાંચો >શાર્ઙ્ગધર શિલ્પી
શાર્ઙ્ગધર શિલ્પી : ગુજરાતની પશ્ચિમ હિંદની પ્રાચીન વિશિષ્ટ કલાશૈલીના આદ્ય પ્રણેતા. ગુપ્ત સમયની શિલ્પકલાનો વારસો ધરાવનાર કોઈ શાર્ઙ્ગધર નામનો કલાકાર પાટણ આવ્યાની લોકકથા છે. ઈ. સ. 1500ના અરસામાં થયેલા તિબેટના ઇતિહાસકાર બૌદ્ધ લામા તારાનાથે નોંધ્યું છે કે શીલ રાજાના સમયમાં મારવાડમાં શાઙર્ગધર નામે એક મહાન કલાકાર જન્મ્યો હતો. એણે ચિત્રો…
વધુ વાંચો >સાલંભ રાજ્ય
સાલંભ રાજ્ય (આશરે ઈ. સ. 800થી 1000) : ભારતના ઈશાન (ઉત્તર-પૂર્વ) ખૂણે આવેલ કામરૂપમાં રાજા સાલંભ અને તેના વંશજોનું રાજ્ય. બીજા એક તામ્રપત્રમાં તેનું નામ ‘પ્રાલંભ’ પણ આપ્યું છે. તે ઘણુંખરું 8મી સદીના અંતમાં કે 9મી સદીના આરંભમાં થઈ ગયો. અભિલેખોમાં તેને સાલસ્તમ્બ વંશનો બતાવ્યો છે. સાલંભ વિશે વધુ માહિતી…
વધુ વાંચો >સિંહલ
સિંહલ : લાળ દેશનો રાજા. શ્રીલંકાના પાલિ સાહિત્યમાં આનુશ્રુતિક વૃત્તાંત વર્ણવતા દીપવંસમાં જણાવ્યા મુજબ વંગરાજને સુસીમા નામે કુંવરી હતી. એને સિંહથી સિંહબાહુ નામે પુત્ર અને સીવલી નામે પુત્રી જન્મ્યાં. સિંહબાહુ સોળ વર્ષનો થતાં સિંહની ગુફામાંથી નાસી ગયો. તેણે લાળ દેશમાં સિંહપુર નામે નગર વસાવ્યું અને ત્યાં રાજ્ય કરવા લાગ્યો. મહાવંસમાં…
વધુ વાંચો >સ્તંભનક
સ્તંભનક : ખેડા જિલ્લામાં, આણંદ તાલુકામાં, ઉમરેઠ ગામની પાસે, શેઢી નદીને કિનારે આવેલું થામણા ગામ. એ સ્તંભનક, સ્તંભનકપુર, થંભણપુર, થંભણ્ય, થંભણા, થાંભણા, થાંભણપુર તરીકે ઓળખાતું. ‘પ્રબંધકોશ’ મુજબ પાદલિપ્તાચાર્યના સમયમાં રસાયણશાસ્ત્રના પ્રણેતા નાગાર્જુને સહસ્રવેધી પારદની સિદ્ધિ માટે સમુદ્રમાંથી શ્રીપાર્શ્વનાથની મૂર્તિ લઈ આકાશ માર્ગે જતાં શેઢી નદીને કિનારે લાવી સ્થાપી. અહીં રસવિધાન…
વધુ વાંચો >