બટુક દીવાનજી

ચતુર્વેદી, સુલોચના

ચતુર્વેદી, સુલોચના (જ. 1937, પ્રયાગરાજ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત-શૈલીના રામપુર ઘરાનાનાં જાણીતાં ગાયિકા. મૂળ નામ સુલોચના કાલેકર. પિતાનું નામ પંઢરીનાથ તથા માતાનું નામ બિમલાબાઈ. શરૂઆતમાં તેમણે સંગીતની તાલીમ અલ્લાહાબાદના પ્રખર સંગીતકાર તથા ગાયક પંડિત ભોલાનાથ ભટ્ટ પાસેથી મેળવી. તેમણે અંગ્રેજી વિષય સાથે અલ્લાહાબાદ યુનિવર્સિટીની એમ.એ.ની તથા ગંધર્વ મહાવિદ્યાલયની ‘સંગીતાલંકાર’ની…

વધુ વાંચો >

ચાંદખાં અને સૂરજખાં (સોળમી સદી)

ચાંદખાં અને સૂરજખાં (સોળમી સદી) : નામાંકિત ગાયકો. બેઉ ભાઈઓ પંજાબના ખૈરાબાદ ગામના વતની હતા. પ્રચલિત સંગીતમાં મૂળભૂત ફેરફાર કરવાની એમની મુરાદ હતી અને તે બાબતમાં એમણે પ્રયત્નો કર્યા હતા. પણ તેમાં એમને સફળતા મળી નહોતી. શાસ્ત્રીય સંગીતના ખયાલની પદ્ધતિમાં ફેરફાર કરીને એમણે જે સંગીતનું આવિષ્કરણ કર્યું તે પદ્ધતિ ખૈરાબાદીને…

વધુ વાંચો >

ચૌધરી, શિશિર કોણાધર

ચૌધરી, શિશિર કોણાધર (જ. 27 ડિસેમ્બર 1937 શિલોંગ; અ. 9 માર્ચ 2021, ગુરગાંવ, હરિયાણા) : ઉત્તર ભારતીય શાસ્ત્રીય સંગીતની પરંપરામાં ઊછરેલા તથા ધ્રુપદ શૈલીમાં વાયોલિન વગાડનારા જાણીતા વાયોલિનવાદક. તેઓ મૂળ આસામના વતની પરંતુ જીવનના મોટા ભાગનો સમયગાળો કૉલકાતામાં પસાર કર્યો. માત્ર સાત વર્ષની વયે તેમણે વાયોલિનવાદનની તાલીમ ઉસ્તાદ મોતીમિયાં પાસેથી…

વધુ વાંચો >

ચૌબે, ચંદનજી

ચૌબે, ચંદનજી (જ. 1870 મથુરા; અ. 1955) : ધ્રુપદ અને ધમારના વિખ્યાત સંગીતકાર. પિતા અંબારામજી ચતુર્વેદી ધ્રુપદ સંગીતના ખ્યાતનામ કલાકાર હતા. તેમની પાસેથી અઢાર વર્ષની ઉંમરે તથા પોતાના પિતામહ પાસેથી ચંદનજીએ સંગીતની તાલીમ મેળવી હતી. થોડાક સમય માટે તેમણે વિખ્યાત સંગીતમર્મજ્ઞ પંડિત ગોપાલરાવજી તથા ઉસ્તાદ ગુલામ અબ્બાસ પાસેથી સંગીતની શિક્ષા…

વધુ વાંચો >

ચૌબે, પંડિત લક્ષ્મણપ્રસાદ

ચૌબે, પંડિત લક્ષ્મણપ્રસાદ (જ. 1911 મથુરા; અ.?) : ધ્રુપદ અને ધમાર તથા વ્રજ-સંગીતની પરંપરાના વિખ્યાત ગાયક. તેર વર્ષની ઉંમરે તેમણે પંડિત લાલનજી ચૌબે પાસેથી શાસ્ત્રીય સંગીતની શિક્ષા લેવાની શરૂઆત કરી હતી. બે વર્ષ પછી તેમણે સંગીતની સઘન તાલીમ પોતાના મામા પંડિત ચંદનજી ચૌબે પાસેથી મેળવવાની શરૂઆત કરી હતી. ખયાલ ગાયકીની…

વધુ વાંચો >

દાતાર, પંડિત ડી. કે.

દાતાર, પંડિત ડી. કે. (જ. 24 ઑક્ટોબર 1924, મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત પરંપરાના વિખ્યાત બેલાવાદક. આખું નામ દામોદર કેશવ દાતાર. પિતા પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કરના શિષ્ય હતા. દામોદરના બાલ્યકાળમાં પિતાનું અવસાન થયું, પરંતુ મોટા ભાઈ પાસેથી પ્રોત્સાહન મળતું રહ્યું. શાસ્ત્રીય સંગીતની વિધિસરની તાલીમ માટે તેઓ મુંબઈની જાણીતી સંસ્થા…

વધુ વાંચો >

દેવધર, બી. આર.

દેવધર, બી. આર. (જ. 11 સપ્ટેમ્બર 1902, મીરજ; અ. 10 માર્ચ 1990, મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના વિખ્યાત ગાયક, સંગીતશાસ્ત્રજ્ઞ તથા સંગીતવિવેચક. સંગીતની પ્રારંભિક તાલીમ તેમણે અણ્ણાજીપંત સુખદેવ પાસેથી પ્રાપ્ત કરી હતી. ત્યારપછી નીલકંઠ બુવા અને પંડિત વિનાયકરાવ પટવર્ધન પાસેથી અને છેલ્લે 1922 સુધી મુંબઈમાં પંડિત વિષ્ણુ દિગંબર પલુસકર…

વધુ વાંચો >

પતિયાલા ઘરાના

પતિયાલા ઘરાના : પતિયાલા રિયાસતના દરબારમાં ઉદ્ગમ પામેલા ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં વિશિષ્ટ શૈલી માટે આગવું સ્થાન ધરાવતું ઘરાનું. ફતેહઅલી તથા અલીબક્ષ આ ઘરાનાના પ્રણેતા ગણાય છે. આ બેઉનાં નામ ઉપરથી આ ઘરાનું ‘આલિયા-ફત્તુ’ને નામે પણ ઓળખાય છે. કેટલાકનું માનવું છે કે તેમના પિતા બડેમિયાં કાલુખાંએ આ ઘરાનાનો પાયો નાંખ્યો…

વધુ વાંચો >

પરવીઝ, નાતલ ખાનલરી

પરવીઝ, નાતલ ખાનલરી (જ. 1914, તહેરાન; અ. 23 ઑગસ્ટ 1990, તહેરાન) : આધુનિક ફારસી ભાષાના કવિ તથા લેખક. ભારતનાં સાહિત્યિક તથા સાંસ્કૃતિક વર્તુળો સાથે તેમના ઘનિષ્ઠ સંબંધો હતા. તેમણે ભારતમાં ફારસી ભાષાના શિક્ષણ તથા સંશોધનના વિકાસમાં ઊંડો રસ લઈને વિદ્વાનોને તે માટે પ્રોત્સાહિત કર્યા હતા. ભારતમાં ઈરાનના દૂતાવાસ તરફથી દિલ્હીમાં…

વધુ વાંચો >

પંડિત એકનાથ

પંડિત, એકનાથ (જ. 1870–1936; અ. 30 એપ્રિલ 1950, ગ્વાલિયર) : શાસ્ત્રીય સંગીતના જાણીતા ભારતીય ગાયક. એમના પિતા વિષ્ણુશાસ્ત્રી પંડિત જાણીતા કીર્તનકાર હતા. તેમના મોટા ભાઈ શંકર પંડિત પણ સુપ્રસિદ્ધ ગાયક હતા. પિતાએ બેઉ ભાઈઓને ગ્વાલિયર ઘરાણાના પ્રકાંડ ઉસ્તાદો હદ્દુખાં તથા હસ્સુખાં પાસેથી તાલીમ મળે એ માટેનો પ્રબંધ કર્યો હતો. ત્યારે…

વધુ વાંચો >