બંગાળી સાહિત્ય

મુખોપાધ્યાય, પ્રભાતકુમાર

મુખોપાધ્યાય, પ્રભાતકુમાર (જ. 3 ફેબ્રુઆરી 1873, ધાત્રીગ્રામ, જિ. વર્ધમાન; અ. 5 એપ્રિલ 1932) : જાણીતા બંગાળી નવલકથાકાર અને વાર્તાકાર. તેમણે 1888માં જમાલપુર એચ. ઈ. સ્કૂલમાં પ્રવેશ-(એન્ટ્રન્સ) પરીક્ષા પસાર કરી તથા બિહારની પટણા કૉલેજમાં ઉચ્ચ શિક્ષણ લીધું. પછી કલકત્તા યુનિવર્સિટીમાંથી 1895માં સ્નાતકની પદવી મેળવી. થોડો વખત ભારત સરકારની નોકરીમાં જોડાયા. 1901માં…

વધુ વાંચો >

મુખોપાધ્યાય, શીર્ષેન્દુ

મુખોપાધ્યાય, શીર્ષેન્દુ (જ. 2 નવેમ્બર 1935, જિ. મૈમનસિંગ, હવે બાંગ્લાદેશમાં) : બંગાળી સાહિત્યકાર. તેમની નવલકથા ‘માનવજમિન’ને ભારતીય સાહિત્ય અકાદમીનો 1989ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો. તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી મેળવ્યા પછી કૉલકાતાની કાલીઘાટ ઓરિયેન્ટલ એકૅડેમીમાં શિક્ષક તરીકેની કારકિર્દીનો પ્રારંભ કર્યો. ત્યારપછી ‘દેશ’ સાપ્તાહિકના મદદનીશ સંપાદક તરીકે જોડાયા. તેમણે લેખન-કારકિર્દીનો પ્રારંભ…

વધુ વાંચો >

મુખોપાધ્યાય, શૈલજાનંદ

મુખોપાધ્યાય, શૈલજાનંદ (જ. 1900; અ. 1976) : તેમનો જન્મ બર્દવાન જિલ્લાના અંડાલ ગામમાં થયો હતો. વાર્તાકાર. પશ્ચિમ બંગાળના ખાણ-ઉદ્યોગના શહેરમાં કાઝી નજરુલ ઇસ્લામના સહાધ્યાયી અને મિત્ર હતા. તેઓ રેજિમેન્ટમાં ભરતી થવા નજરુલની જેમ જ એક વાર ઘરમાંથી નાસી ગયા હતા. બંનેએ આરંભની સાહિત્યિક યાત્રા સાથે શરૂ કરી. નિશાળના અભ્યાસકાળ દરમિયાન…

વધુ વાંચો >

મુખોપાધ્યાય, સુભાષ

મુખોપાધ્યાય, સુભાષ (જ. 23 ફેબ્રુઆરી 1919, કૃષ્ણનગર, નદિયા, પ. બંગાળ; અ. 8 જુલાઈ 2003) : નામાંકિત બંગાળી કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘જોતો દૂરેઈ જાઈ’ (1962) માટે 1964ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર તથા સર્જનાત્મક સાહિત્ય દ્વારા ભારતીય સાહિત્યને સમૃદ્ધ કરવા બદલ 1991ના વર્ષનો જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયા હતા. 1941માં તેમણે…

વધુ વાંચો >

મુખોપાધ્યાય, સૌરિન્દ્રમોહન

મુખોપાધ્યાય, સૌરિન્દ્રમોહન (જ. 1884; અ. 1966) : જાણીતા બંગાળી વાર્તાકાર તથા નવલકથાકાર. તેઓ ‘ભારતી’ સાથે સંકળાયેલા હતા. તેમણે લગભગ 100 કૃતિઓ પ્રગટ કરી હતી. પરંતુ તેઓ મુખ્યત્વે તેમની ‘દીનેર આલો’ અને ‘ઠાકુરજી’ જેવી કેટલીક ટૂંકી વાર્તાઓને લીધે લોકપ્રિય બન્યા હતા. તેમની મોટાભાગની વાર્તાઓનો વિષય પ્રેમ છે. તેમની ટૂંકી વાર્તાઓની શૈલીમાં…

વધુ વાંચો >

મેઘનાદ-વધ

મેઘનાદ-વધ (1861) : બંગાળી કવિ માઇકલ મધુસૂદન દત્ત (1824–1873) દ્વારા 9 સર્ગોમાં રચાયેલું મહાકાવ્ય. આ મહાકાવ્યમાં રામાયણના લંકાકાંડની એક મહત્વની ઘટના કેન્દ્રમાં છે – રાવણના પુત્ર મેઘનાદનો લક્ષ્મણને હાથે વધ. સ્વાભાવિક રીતે જ તેની પૃષ્ઠ-ભૂમિ સુવર્ણલંકા છે, પરંતુ કવિએ એમાં સુવર્ણલંકાના ઉત્થાનની નહિ પણ પતનની કથા અત્યંત ઓજસ્વી શૈલીમાં આલેખી…

વધુ વાંચો >

મૈત્રેયીદેવી

મૈત્રેયીદેવી (જ. 1 સપ્ટેમ્બર 1914, કૉલકાતા; અ. 5 ફેબ્રુઆરી 1990) : બંગાળી કવયિત્રી, નવલકથાકાર અને રવીન્દ્રનાથ ટાગોરનાં સંસ્મરણોનાં પ્રસિદ્ધ આલેખક. ભારતીય દર્શનશાસ્ત્રના વિશ્વવિખ્યાત વિદ્વાન સુરેન્દ્રનાથ દાસગુપ્તનાં પુત્રી. બચપણથી જ પિતાના ટાગોર સાથેના સખ્યને લીધે મૈત્રેયીદેવી રવીન્દ્રનાથનાં સ્નેહભાજન બન્યાં હતાં. 16 વર્ષની વયે જ્યારે એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ઉદિતા’ (1929) પ્રગટ થયો…

વધુ વાંચો >

યત દૂરેઇ જાઇ (1962)

યત દૂરેઇ જાઇ (1962) : બંગાળી કવિ સુભાષ મુખોપાધ્યાય (1919) રચિત કાવ્યસંગ્રહ. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1964ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. સુભાષ મુખોપાધ્યાય કોલકાતા યુનિવર્સિટીના સ્નાતક હતા. તેમના રાજ્યનાં રાજકીય આંદોલનોથી તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા અને વિદ્યાર્થી અવસ્થાથી જ તેમાં સક્રિય ભાગ લેતા હતા. 1942માં તેઓ ભારતના સામ્યવાદી…

વધુ વાંચો >

રાય, અન્નદાશંકર

રાય, અન્નદાશંકર (જ. 1904, ધેનકૅનાલ, ઓરિસા) : બંગાળી અને ઊડિયા ભાષાના લેખક. કટકની રેવનશો કૉલેજમાંથી ઑનર્સ સાથે અંગ્રેજીમાં બી.એ. થયા. એમ.એ.ના અભ્યાસ દરમિયાન 1927માં ઇન્ડિયન સિવિલ સર્વિસમાં તમામ ભારતીય વિદ્યાર્થીઓમાં પ્રથમ ક્રમ મેળવી પાસ થયા. 1951માં પૂરો સમય સાહિત્યસેવામાં ગાળવા તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. રાજકીય વિચારસરણી પૂરતા તેઓ ગાંધીવાદી હતા,…

વધુ વાંચો >

રાય, દાશરથિ

રાય, દાશરથિ (જ. 1806; અ. 1857) : બંગાળી લેખક. તેમને પારંપરિક શિક્ષણ બિલકુલ મળી શક્યું નહોતું, પરંતુ અંગ્રેજીનું થોડું જ્ઞાન મેળવેલું. મામાને ત્યાં ઉછેર થયો. તેઓ ‘કવિ-ગીતો’ના ખૂબ ચાહક હતા અને હરુ ઠાકુરનાં ગીતોનો તેમના પર ગાઢ પ્રભાવ હતો. તેઓ ‘કવિવલ’ તરીકે ખ્યાતિ પામ્યા; નિમ્ન સમાજની ગણાતી કવિવલ મહિલા નામે…

વધુ વાંચો >