પ્રફુલ્લ રાવલ

રણમલ્લ છંદ

રણમલ્લ છંદ : જૂની ગુજરાતી સાહિત્યનું વિશિષ્ટ ઐતિહાસિક કાવ્ય. ઈડરના રાવ રણમલ્લની વીરતા દર્શાવતું સિત્તેર કડીનું આ કાવ્ય જૂની ગુજરાતી ભાષામાં અમૂલ્ય ખજાના સમું છે. મધ્યકાળના ધર્મરંગ્યા સાહિત્યમાં નોખી ભાત પાડતું આ કાવ્ય છે. એનો રચયિતા શ્રીધર વ્યાસ બ્રાહ્મણ છે. આ કાવ્ય તૈમુર લંગના આક્રમણ પછી વિ. સં. 1398 ચૌદમા…

વધુ વાંચો >

રાણપુરા, દિલીપ નાગજીભાઈ

રાણપુરા, દિલીપ નાગજીભાઈ (જ. 14 નવેમ્બર 1931, ધંધુકા) : ગુજરાતી નવલકથાકાર અને વાર્તાકાર. માતા છબલબહેન. પ્રાથમિક શાળાંત પાસ (1959) પછી જુનિયર પી.ટી.સી. થઈને શિક્ષક બન્યા. લગ્ન 1951માં મનુભાઈ જોધાણીની ભત્રીજી સવિતાબહેન સાથે. તેઓ પણ લેખિકા. ઉત્તમ ગૃહિણી પણ. શિક્ષક હોવાથી પંચાયતીરાજ પછી અનેક સ્થળોએ બદલી થઈ. છેલ્લે દસાડા તાલુકાના બજાણા…

વધુ વાંચો >

રાહી અબ્દુલ રહેમાન

રાહી, અબ્દુલ રહેમાન (જ. 6 માર્ચ 1925, શ્રીનગર) : કાશ્મીરી કવિ, અનુવાદક અને વિવેચક. નાની વયમાં માતા-પિતાનું અવસાન થતાં એમનો ઉછેર મોસાળમાં થયેલો. ત્યાં જ શિક્ષણ લેવાનું બન્યું. આજીવિકાર્થે તેવીસ વર્ષની વયે પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટમાં કારકુન બન્યા; પરંતુ સરકારી તંત્રમાં આ ભાવનાશાળી યુવક ગોઠવાઈ ન શક્યા. આથી ‘ખિદમત’ નામક ઉર્દૂ…

વધુ વાંચો >

રેખા

રેખા : ગુજરાતનું એક વિશિષ્ટ સામયિક. પ્રારંભ : 1939. આયુષ્ય : આશરે એક દાયકો. જયંતિ દલાલે એમની જાહેર જીવનની પ્રવૃત્તિ વચ્ચે ગુજરાતમાં પ્રગતિશીલ વાતાવરણનું નિર્માણ કરવા, સાહિત્યમાં નવતર મૂલ્યોનું સ્થાપન કરવા, વિદેશી સાહિત્યથી ગુજરાતની પ્રજાને અવગત કરાવવા અને પ્રવર્તમાન રાજકીય પ્રવાહથી પ્રજાને વાકેફ કરી નાગરિક ધર્મ બજાવવાની પ્રેરણા પૂરી પાડવાના…

વધુ વાંચો >

વ્યાસ, કિરણભાઈ લાભશંકર

વ્યાસ, કિરણભાઈ લાભશંકર (જ. 31 માર્ચ 1944, લખતર, જિ. સુરેન્દ્રનગર) : વિદેશસ્થિત ભારતીય સંસ્કૃતિના પ્રસારક. મૂળ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના વતની. ત્યાં જ રૂઢિચુસ્ત બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. એમના પિતાનું નામ લાભશંકર. એ સ્વાતંત્ર્ય-સેનાની હતા. માતાનું નામ ચંદ્રકલાબહેન. લાભશંકર વ્યાસ થામણાની સ્કૂલમાં શિક્ષક હતા. ત્યાંથી સાબરમતી ગયા. 1942માં જેલ ભોગવી. પછી…

વધુ વાંચો >

શ્રીધરાણી, કૃષ્ણલાલ

શ્રીધરાણી, કૃષ્ણલાલ [જ. 16 સપ્ટેમ્બર 1911,  ઉમરાળા (ભાવનગર); અ. 23 જુલાઈ 1960, દિલ્હી] : ગાંધીયુગના કવિ, નાટ્યકાર, વાર્તાકાર. પિતાનું નામ જેઠાલાલ. માતા લહેરીબહેન. જન્મ મોસાળમાં. પ્રાથમિક શિક્ષણ ઉમરાળાની ધૂળી નિશાળમાં. માધ્યમિક શિક્ષણ ભાવનગરની પ્રખ્યાત દક્ષિણામૂર્તિમાં. ઈ. સ. 1929માં ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા. ત્યાંથી સ્નાતક થયા. ઈ. સ. 1934માં વધુ અભ્યાસાર્થે રવીન્દ્રનાથ…

વધુ વાંચો >

સ્વામી વિવેકાનંદ

સ્વામી વિવેકાનંદ (જ. 12 જાન્યુઆરી 1863, કોલકાતા, બંગાળ; અ. 4 જુલાઈ 1902, કોલકાતા) : ભારતના આધ્યાત્મિક વારસાનું નવસંસ્કરણ કરનાર, અનન્ય સત્યાનુરાગી, દરિદ્ર પ્રત્યે અપાર અનુકંપા ધરાવનાર, રામકૃષ્ણ પરમહંસના શિષ્ય અને એમના વિચારોના સંદેશવાહક. તેમનો જન્મ કોલકાતાના સુપ્રસિદ્ધ વિદ્યાનુરાગી, સંસ્કારસંપન્ન, ધર્માનુરાગી દત્ત પરિવારમાં થયો હતો. એમનું બાળપણનું નામ નરેન્દ્રનાથ હતું. નામકરણ…

વધુ વાંચો >

હયાતી

હયાતી : હરીન્દ્ર દવેની ચૂંટેલી કવિતાનો સુરેશ દલાલે સંપાદિત કરેલો અને સાહિત્ય અકાદમીના 1978નો પુરસ્કાર જેને એનાયત થયો છે તે કાવ્યગ્રંથ. તેમાં ચોસઠ પાનાંની દીર્ઘ પ્રસ્તાવના લખીને હરીન્દ્ર દવેની કવિતાને સમજાવવાનો સાર્થ પ્રયત્ન કર્યો છે. અહીં એમના કાવ્યસંગ્રહો ‘આસવ’, ‘મૌન’, ‘અર્પણ’, ‘સમય’ અને ‘સૂર્યોપનિષદ’માંથી છ્યાસી રચનાઓ અને અન્ય સોળ અગ્રંથસ્થ…

વધુ વાંચો >