જ્યોતિષ

તંત્રશાસ્ત્ર

તંત્રશાસ્ત્ર : તત્વ અને મંત્રાદિના વિવિધ અર્થોનો જે વિસ્તાર કરે અને સાધકનું જે ત્રાણ એટલે રક્ષણ કરે તે તંત્ર. આ અતિપ્રાચીન શાસ્ત્રને વેદની સમકક્ષ ગણવામાં આવે છે. તંત્રશાસ્ત્રનું એક નામ આગમશાસ્ત્ર છે. વેદોનું એક નામ નિગમ છે. આ બન્ને નામો ભેગાં કરીને આગમ-નિગમ રહસ્યમયશાસ્ત્ર તરીકે ઓળખાય છે. મહાદેવજીએ ઉપદેશેલું, ગિરિજાએ…

વધુ વાંચો >

દફતરી, કેશવ લક્ષ્મણ

દફતરી, કેશવ લક્ષ્મણ (જ. 22 નવેમ્બર 1880; અ. 19 ફેબ્રુઆરી 1956) : પૂર્વ અને પશ્ચિમના જ્યોતિષશાસ્ત્રના ભારતીય વિદ્વાન. મુખ્યત્વે ખગોળગણિત, પ્રાચીન ભારતીય ઇતિહાસ, હિન્દુ ધર્મના પ્રાચીન ગ્રંથો અને તે અંગે તેમણે કરેલું ઉત્તમ અન્વેષણ તેમના ધર્મ વિશેના જ્ઞાનનું દ્યોતક છે. આ ઉપરાંત હિન્દુ ધર્મશાસ્ત્રોનાં રહસ્યો, ઉપનિષદનું તત્વજ્ઞાન વગેરે ભારતીય પરંપરાગત…

વધુ વાંચો >

દશાપદ્ધતિ

દશાપદ્ધતિ : જ્યોતિષશાસ્ત્ર અનુસાર જાતક એટલે જન્મેલા માણસને જીવનનાં ચોક્કસ વર્ષોમાં ચોક્કસ ગ્રહની અસરોથી સારું કે ખરાબ ફળ મળે તેની ગણતરી માટેની રીત. હજારો વર્ષો પૂર્વેથી ભારતમાં ખગોળવિજ્ઞાનનો વિકાસ અને અધ્યયન થતાં આવ્યાં છે. તેના પાયાના સિદ્ધાંતોને જ્યોતિષશાસ્ત્ર અનુસરે છે. તે મુજબ ગ્રહો, નક્ષત્રો અને એની કક્ષા, પરિભ્રમણના અંશો વગેરેની…

વધુ વાંચો >

દીક્ષિત, શંકર બાળકૃષ્ણ

દીક્ષિત, શંકર બાળકૃષ્ણ (જ. 21 જુલાઈ 1853, મુરૂડ, તા. દાપોલી, જિ. રત્નાગિરિ, કોંકણ; અ. 20 એપ્ર્રિલ 1898) : ભારતીય જ્યોતિષવિજ્ઞાની. ભારતીય જ્યોતિષશાસ્ત્રની ઉદાત્ત પરંપરાના ગતિરોધને દૂર કરી તેને તેમણે આધુનિક વિજ્ઞાન સ્વરૂપે સંસ્કાર્યું. મૂળ અટક વૈશંપાયન. પરંપરાથી યજ્ઞકાર્ય સાથે સંકળાયેલું હોવાથી કુટુંબ દીક્ષિત કહેવાયું. વંશપરંપરાથી મુરૂડ ગામનું ધર્માધિકારીપદ આ દીક્ષિત…

વધુ વાંચો >

દ્વિવેદી, સુધાકર

દ્વિવેદી, સુધાકર (જ. 1860; અ. 1910) : ભારતીય જ્યોતિષશાસ્ત્રી. કાશીની સંસ્કૃત પાઠશાળાના અધ્યાપકપદે 1881થી તે છેક નિવૃત્તિ સુધી. તેમની આ દીર્ઘકાલીન સેવા બદલ બ્રિટિશ સરકારે તેમને ‘મહામહોપાધ્યાય’ની પદવી આપેલી. કાશીની સંસ્કૃત પાઠશાળાને સમર્પિત થયેલા જ્યોતિષશાસ્ત્રના આ પ્રતિભાશાળી અધ્યાપકે ગણિત, સંસ્કૃત, ખગોળશાસ્ત્ર, સૂર્યસિદ્ધાંત વગેરે ક્ષેત્રે અવિસ્મરણીય સેવા આપી હતી. કાશીની પાઠશાળાના…

વધુ વાંચો >

નક્ષત્ર અને રાશિ

નક્ષત્ર અને રાશિ : ક્રાંતિવૃત્તનો અથવા રવિમાર્ગનો અનુક્રમે સત્તાવીશમો અને બારમો ભાગ. પૃથ્વીને મધ્યેથી બે ભાગે વહેંચતી કાલ્પનિક રેખા એટલે કે 0 અક્ષાંશને વિષુવવૃત્ત કહે છે. પૂર્વમાં ઊગેલો સૂર્ય પશ્ચિમમાં આથમે અને વિષુવવૃત્ત પરથી પસાર થતો લાગે, પરંતુ વાસ્તવમાં સૂર્યનો આ માર્ગ વિષુવવૃત્તથી થોડો અલગ પડે છે. આકાશી ફલક પર…

વધુ વાંચો >

નક્ષત્રજ્યોતિષ

નક્ષત્રજ્યોતિષ : નક્ષત્રને આધારે ભવિષ્યકથન કરવાની પદ્ધતિ. આકાશના બારમા ભાગને (અર્થાત્, 30 અંશને) રાશિ કહેવાય અને આકાશના 13° અને 20’ જેટલા ભાગને નક્ષત્ર કહેવાય. ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં મનુષ્યના જન્મની રાશિ અને તે રાશિના સ્વામી ગણાયેલા ગ્રહની જન્મકુંડળીમાંની સ્થિતિને આધારે મનુષ્યનું ભવિષ્ય ભાખવામાં આવે છે. જ્યારે દક્ષિણ ભારતમાં મનુષ્યના…

વધુ વાંચો >

નક્ષત્રપટ

નક્ષત્રપટ : તારાઓના બધા સમૂહોને બતાવતું ચિત્ર. આકાશમાં આપણે નજર કરીએ તો અસંખ્ય તારાઓથી મઢેલું રમણીય આકાશ જોવા મળે છે. નરી આંખે બહુ જ ઓછા તારાઓ દેખાય છે, પણ વાસ્તવમાં અસંખ્ય તારાઓથી ભરેલું આકાશ જ્યારે પૃથ્વી ઉપર રહેલો માનવી જુએ છે, ત્યારે તેને તેનું પૂર્ણ દર્શન થતું નથી. તેથી અહીં…

વધુ વાંચો >

નરપતિજયચર્યા

નરપતિજયચર્યા (1097) : રાજાની દૈનિક વાર્ષિક ચર્યા, તેનાં કાર્યો અને યુદ્ધમાં મળનાર જય-પરાજય માટેના ભવિષ્યકથનના સિદ્ધાંતોનો ગ્રંથ. શકુનશાસ્ત્રોનો ગ્રંથ. લેખક નરપતિ. પિતા આમ્રદેવ ગુજરાતના ધારાનગરના વિદ્વાન જૈન. જૈનશાસ્ત્રમાં તેમની વિદ્વત્તા અપ્રતિમ હતી. નરપતિએ આ ગ્રંથ ગુજરાત પ્રદેશના તે વખતના પાટનગર અણહિલવાડ પાટણમાં રચ્યો છે. નરપતિ પણ પિતાની માફક જૈનશાસ્ત્ર, દર્શન…

વધુ વાંચો >

નારદસંહિતા

નારદસંહિતા : નારદોક્ત ભારતીય જ્યોતિષશાસ્ત્રનો ગ્રંથ. આ સંહિતાગ્રંથ જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંત, સંહિતા અને હોરા – એ ત્રણેય સ્કંધોને સમાવી લે છે. ‘નારદસંહિતા’ માત્ર સંહિતા નથી, પણ ત્રિસ્કંધ જ્યોતિષસંહિતા છે. મૂળ ગ્રંથ ‘નારદપુરાણ’માં પુરાણના વિષયો સાથે જ્યોતિષશાસ્ત્રનું નિરૂપણ પણ કેટલાક અધ્યાયોમાં જોવા મળે છે. તેમાં ખાસ કરીને અ. 54, અ. 55, અ.…

વધુ વાંચો >