ઇતિહાસ – ગુજરાત

હરિપુરા કૉંગ્રેસ અધિવેશન

હરિપુરા કૉંગ્રેસ અધિવેશન : સૂરત જિલ્લાના બારડોલી તાલુકાના હરિપુરા ગામે યોજાયેલ કૉંગ્રેસનું અધિવેશન. હિંદી રાષ્ટ્રીય મહાસભાનું 51મું અધિવેશન તા. 19, 20, 21 ફેબ્રુઆરી, 1938ના રોજ ગુજરાતમાં હરિપુરા મુકામે યોજાયું હતું. આ સમયે ખેડા જિલ્લાના કૉંગ્રેસી આગેવાનોએ ચરોતરમાં આવેલ રાસ ગામમાં અધિવેશન યોજવાની ઇચ્છા પ્રદર્શિત કરી હતી; પરંતુ એ પછી એમણે…

વધુ વાંચો >

હરિભદ્રસૂરિ (બારમી સદી)

હરિભદ્રસૂરિ (બારમી સદી) : બૃહદગચ્છના માનદેવસૂરિ અને એમના શિષ્ય જિનદેવ ઉપાધ્યાયના શિષ્ય. તેમણે ઈ. સ. 1116(સંવત 1172)માં પાટણમાં સિદ્ધરાજના રાજ્યમાં આશાવર સોનીની વસતિમાં રહીને ‘બંધસ્વામિત્વ’ નામના ગ્રંથ પર 650 શ્લોક પ્રમાણે વૃત્તિ રચી છે. એ જ વર્ષમાં પાટણની આશાપુર વસતિમાં રહીને જિનવલ્લભસૂરિના ‘આગમિક વસ્તુવિચારસાર’ ગ્રંથ પર 850 શ્લોક-પ્રમાણ વૃત્તિ રચી…

વધુ વાંચો >

હરિભદ્રસૂરિ (બારમો સૈકો)

હરિભદ્રસૂરિ (બારમો સૈકો) : આચાર્ય શ્રી ચંદ્રસૂરિના શિષ્ય અને સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાના વિશારદ કવિ. તેમણે મંત્રીશ્વર પૃથ્વીપાલની વિનંતિથી ચોવીસે તીર્થંકરોનાં ચરિત્રોની રચના દ્વારા જૈન વાઙમયની વિશિષ્ટ સેવા કરી છે. તેમણે પ્રાકૃતમાં રચેલાં ચરિત્રો પૈકી ‘ચંદપ્પહચરિય’, ‘મલ્લિનાહચરિય’ અને ‘નેમિનાહચરિય’ મળી આવે છે. એ ત્રણેયનું શ્લોક-પ્રમાણ 24,000 થાય છે. ‘નેમિનાહચરિય’…

વધુ વાંચો >

હરિશ્ચન્દ્ર 

હરિશ્ચન્દ્ર  : ઇક્ષ્વાકુ વંશનો પૌરાણિક રાજા. એ રાજા ત્રિશંકુ કે રાજા સત્યવ્રતનો પુત્ર હોવાનું કહેવાય છે. પહેલાં એના પુરોહિત તરીકે વિશ્વામિત્ર હતા. પછી એણે વશિષ્ઠને પોતાના પુરોહિત બનાવ્યા. આથી અપમાનિત થયેલા વિશ્વામિત્રે અનેક રીતે બદલો લેવા અંગેની કથાઓ પ્રચલિત છે. વિશ્વામિત્રને પ્રસન્ન કરવા હરિશ્ચન્દ્રે પોતાની સઘળી સંપત્તિ વિશ્વામિત્રને અર્પણ કરી…

વધુ વાંચો >

હસનપુર

હસનપુર : દક્ષિણ ગુજરાતમાં આવેલું હડપ્પીય સંસ્કૃતિનું સ્થળ. દક્ષિણ ગુજરાતના સૂરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલા હસનપુરમાં હડપ્પીય સંસ્કૃતિનાં જેવાં ચકચકિત લાલ વાસણો તથા અન્ય કાળાં અને લાલ વાસણોના નમૂના મળ્યા છે. તેના પરથી સાબિત થાય છે કે હડપ્પીય સંસ્કૃતિ તથા અન્ય આદ્ય-ઐતિહાસિક સંસ્કૃતિઓનો પ્રસાર દક્ષિણ ગુજરાત સુધીના પ્રદેશમાં પણ થયો…

વધુ વાંચો >

હસ્તવપ્ર

હસ્તવપ્ર : ભાવનગર જિલ્લામાં ઘોઘાથી પશ્ચિમ દિશામાં આશરે નવેક કિમી. દૂર આવેલું હાથબ ગામ. એ હસ્તકલ્પ-હસ્તિકલ્પ-હસ્તવપ્ર-હસ્તકવપ્ર-અસ્તકંપ્ર તરીકે પણ ઓળખાતું. પૂર્વકાલીન હડપ્પીય નાવિકો કચ્છમાંના નવી નાળ કે કોઈ બીજા બંદરેથી હાથબ અને લોથલ જતા. સૌરાષ્ટ્રમાં દક્ષિણ કાંઠે હાથબમાં મળેલ પૂર્વકાલીન હડપ્પીય બંદરોના સ્થાનથી આને સમર્થન મળે છે. ‘પેરિપ્લસ’ના લેખકે ‘અસ્તકંપ્ર’ કહ્યું…

વધુ વાંચો >

હળવદ

હળવદ : સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો, તાલુકામથક તથા નગર. આ તાલુકાનો સમાવેશ ધ્રાંગધ્રા વિભાગમાં કરવામાં આવેલો છે. ભૌગોલિક સ્થાન : 23° 01´ ઉ. અ. અને 71° 11´ પૂ. રે.. તાલુકાનું ભૂપૃષ્ઠ સમતળ છે. અહીંની જમીનો રાતી, રેતાળ અને પાતળા પડવાળી છે. જમીનો હેઠળ રેતીખડકનો થર રહેલો છે. ખાતરોનો ઉપયોગ કરીને અહીં…

વધુ વાંચો >

હાજી-ઉદ્-દબીર

હાજી-ઉદ્-દબીર : ગુજરાતનો 17મી સદીનો મુસ્લિમ ઇતિહાસકાર. હાજી-ઉદ્-દબીરનું મૂળ નામ અબ્દુલાહ મુહમ્દમ-બિન ઉમર અલ્મક્કકી હતું. તેનો જન્મ મક્કામાં થયો હતો. એ પછી તેણે પાટણ, અમદાવાદ અને ખાનદેશમાં અનેક અમીરોને ત્યાં નોકરી કરી હતી, તેનું વ્યક્તિત્વ વિશિષ્ટ પ્રકારનું હતું અને તેણે મહત્વનાં સ્થળોએ મહત્વની જગ્યાએ નોકરીઓ કરી હતી. મહેનતુ અને વિદ્વાન…

વધુ વાંચો >

હાટકેશ્વર મહાદેવનું મંદિર વડનગર

હાટકેશ્વર મહાદેવનું મંદિર, વડનગર : સલ્તનતકાલીન ગુજરાતનું એક પ્રસિદ્ધ મંદિર. આ મંદિર નાગર બ્રાહ્મણોના ઇષ્ટદેવ હાટકેશ્વર મહાદેવનું મૂળ સ્થાનક હોવાનું મનાય છે. તેના તલમાનમાં ગર્ભગૃહ, અંતરાલ, સભામંડપ અને ત્રણ શૃંગારચોકીઓ આવેલાં છે. સમગ્ર મંદિર સુંદર શિલ્પો વડે વિભૂષિત છે. મંડોવર, પીઠ અને મંડપ તથા શૃંગારચોકીઓની વેદિકા પર નવગ્રહો, દિક્પાલો અને…

વધુ વાંચો >

હિંમતનગર

હિંમતનગર : સાબરકાંઠા જિલ્લાનું જિલ્લામથક તેમજ હિંમતનગર તાલુકાનું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 36´ ઉ. અ. અને 72° 57´ પૂ. રે. પર હાથમતી નદીના ડાબા કાંઠે, અમદાવાદ–ખેડબ્રહ્મા રાષ્ટ્રીય ધોરી માર્ગ 8 પર આવેલું છે. અમદાવાદ–ખેડબ્રહ્મા મીટરગેજ રેલમાર્ગ અહીંથી પસાર થાય છે. તે ઉપરાંત રાજસ્થાનને જોડતો હિંમતનગર–ઉદેપુર રેલમાર્ગ પણ અહીંથી…

વધુ વાંચો >