અસમિયા સાહિત્ય

આઇનામ

આઇનામ : અસમિયા લોકગીતનો એક પ્રકાર. આ ગીતો આસામની સ્ત્રીઓ શીતળાદેવીને પ્રસન્ન કરવા ગાય છે. આઇ એટલે મા. જેમાં આઇના નામનો જપ હોય તે આઇનામ. આઇનામનાં ગીતો દ્વારા દેવીની સ્તુતિ થાય છે. આ ગીતોને ‘ફૂલો’ તરીકે ઓળખવામાં આવે છે. આઇને ખુશ કરવા માટે અમુક દિવસે આ ગીતો ગવાય છે અને…

વધુ વાંચો >

આચાર્ય દેવેન્દ્રનાથ

આચાર્ય દેવેન્દ્રનાથ (જ. 3 માર્ચ 1937 જોરહાટ આસામ; અ. 1981) : અસમિયા નવલકથાકાર. દેવેન્દ્રનાથ તેજસ્વી વિદ્યાર્થી હતા. ઇજનેર હતા. એમનું પ્રથમ પુસ્તક તે બાળકો માટેનું ‘હાતીપતિ’. તે પછી એમણે 3 નવલકથાઓ લખેલી. ‘અન્ય જુગ અન્ય પુરુષ’ એમની પ્રથમ નવલકથા હતી. એ આસામના ઇતિહાસ ઉપર આધારિત છે. ઓગણીસમી સદીના આરંભમાં ઈસ્ટ…

વધુ વાંચો >

આજીર માનુર

આજીર માનુર (1952) : અસમિયા ભાષાની સામાજિક નવલકથા. લેખક હિતેશ ડેકા. કથાનાયક પ્રતાપ સુશિક્ષિત યુવક છે અને એનાં પ્રેમાળ ભાઈ-ભાભી જોડે રહે છે. ઘરમાં પ્રતાપની ભાભીની બહેન નીલિમા પણ રહે છે. પ્રતાપ અને નીલિમા બંને એકબીજાંને ચાહતાં હોવા છતાં એકબીજાંની સામે પ્રેમનો એકરાર કરી શકતાં નથી. ભાઈભાભીના આગ્રહથી પ્રતાપને એક…

વધુ વાંચો >

આતા ગોપાલ

આતા ગોપાલ (જ. 1540, નઝીરા, અસમ; અ. 1 જાન્યુઆરી 1611) : મધ્યકાલીન અસમિયા કવિ. એક મત અનુસાર આતા ગોપાલનો જન્મ 1533માં થયો હતો. જન્મ પછી એમનું કુટુંબ નઝીરામાં કાયમી વસવાટ માટે ગયેલું પણ ત્યાંથી એ લોકો કામરૂપમાં આવેલા ભવાનીપુરમાં ગયા. ત્યાંના પ્રસિદ્ધ કોચરાજા નરનારાયણે એમને રાજ્યના મુખ્ય વહીવટી અધિકારી તરીકે…

વધુ વાંચો >

આધુનિક ગલ્પસાહિત્ય

આધુનિક ગલ્પસાહિત્ય (1965) : અસમિયા ટૂંકી વાર્તાના વિવેચનની કૃતિ. લેખક ત્રૈલોક્યનાથ ગોસ્વામી. આ કૃતિને 1967માં ભારતીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર અપાયેલો. પહેલા પ્રકરણમાં પ્રાગ્–આધુનિક યુગની વાર્તાઓનાં કથાનક, પ્રેરક બળો તથા વિવિધ શૈલીઓનું વિશ્લેષણ કર્યું છે. તે પછી કયાં કયાં પરિબળોને લીધે વાર્તાઓમાં આધુનિક તત્વ આવ્યું અને એ આધુનિકતા કેવા પ્રકારની છે…

વધુ વાંચો >

આસામેર લોકસંસ્કૃતિ

આસામેર લોકસંસ્કૃતિ (1961) : જ્ઞાનપીઠ પારિતોષિક વિજેતા બિરંચિકુમાર બરુઆની 1964નો કેન્દ્રીય  સાહિત્ય અકાદમી પુરસ્કાર પામેલી અસમિયા કૃતિ. તેમાં લેખકે અસમિયા લોકસંસ્કૃતિનું ભિન્ન ભિન્ન દૃષ્ટિએ નિરૂપણ કર્યું છે. એમાં એના પ્રથમ પ્રકરણમાં લોકોની માન્યતાઓ, પશુપક્ષી, વૃક્ષો, કૃષિ, લોકોના ઉત્સવો અને વિભિન્ન સંસ્કારોનું વિહંગાવલોકન છે. બીજા પ્રકરણમાં એમણે જે ભૌગોલિક તત્વોને લીધે…

વધુ વાંચો >

ઇયારુઇંગમ

ઇયારુઇંગમ (1960) : અસમિયા નવલકથા. ઇયારુઇંગમનો અર્થ જનતાનું શાસન થાય છે. સાહિત્ય અકાદમી દ્વારા 1961માં પુરસ્કૃત. તેના લેખક વીરેન્દ્રકુમાર ભટ્ટાચાર્યને 1979નો જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે. આ રાજકીય નવલકથામાં ભારતીય અને નાગા રાષ્ટ્રીયતા વચ્ચેનો સંઘર્ષ બતાવ્યો છે. લેખકે કથાનકને અત્યંત કલાત્મક રીતે વિકસાવ્યું છે. એમાં ‘નાગા’ પહાડી પ્રદેશોનું રાજકારણ નિરૂપ્યું છે.…

વધુ વાંચો >

ઓજાપાલી

ઓજાપાલી : અસમિયા લોકનાટ્યનો એક પ્રકાર. એ ગીતનાટ્ય છે. એ નાટકમાં જે કથાનક પ્રસ્તુત થતું હોય છે તેને ‘પાંચાલી’ કહે છે. ઓજાપાલી બે પ્રકારનાં હોય છે. એકમાં રામાયણ, મહાભારત, તથા ભાગવતમાંથી ઘટનાઓ લેવામાં આવે છે. બીજા પ્રકારમાં શક્તિવિષયક કથાઓ પ્રસ્તુત થતી હોય છે. ઓજાપાલીમાં ઓછામાં ઓછાં પાંચ પાત્રો હોય છે.…

વધુ વાંચો >

કલિતા, દંડિનાથ

કલિતા, દંડિનાથ (જ. 1890, તેજપુર, અ. 1950) : સુવિખ્યાત અસમિયા સાહિત્યકાર. વ્યવસાયે શિક્ષક. સાહિત્યસાધના ખાસ શોખનો વિષય. કવિતામાં સવિશેષ રુચિ. તેમની કવિતાઓ મુખ્યત્વે હાસ્યરસ તથા વ્યંગપ્રધાન. ‘રાહગરા’ (1916), ‘રાગર’ (1916), ‘દીપ્તિ’ (1925), ‘બહુરૂપી’ (1926), ‘બિનાર ઝંકાર’ (1951) તેમના કાવ્યસંગ્રહો છે. ‘આસામ-સંધ્યા’ (1949) બ્લેંક વર્સમાં લખેલું એ તેમના ઐતિહાસિક કાવ્યમાં બ્રહ્મદેશની…

વધુ વાંચો >

કલિતા, વિષ્ણુકિંકર

કલિતા, વિષ્ણુકિંકર (જ. 1928) : આધુનિક અસમિયા નવલકથાકાર. તેમણે અત્યાર સુધીમાં દશ નવલકથાઓ લખી છે, પણ તેમાં સૌથી વિખ્યાત છે ‘ચિંતા’. એમાં મધ્યમ વર્ગના આસામી કુટુંબની સમસ્યાઓ નિરૂપી છે. આસામનું નાનાં નાનાં રાજ્યોમાં વિભાજન, તેને લીધે તેની કથળતી જતી આર્થિક સ્થિતિ, પૂર્વ બંગાળમાંથી આવતા નિરાશ્રિતોની ભરતી અને તેને કારણે આસામવાસીઓને…

વધુ વાંચો >