અપભ્રંશ-પાલિ-પ્રાકૃત સાહિત્ય

સુરસુંદરિચરિઅ (સુરસુંદરીચરિત)

સુરસુંદરિચરિઅ (સુરસુંદરીચરિત) : પ્રાકૃત ભાષામાં લખાયેલો ચરિત ગ્રંથ. ‘કહાણયકોસ’ના કર્તા જિનેશ્વરસૂરિના શિષ્ય સાધુ ધનેશ્વરે સુબોધ પ્રાકૃત ગાથાઓમાં વિ. સં. 1094(ઈ. સ. 1038)માં ચડ્ડાવલિ નામના સ્થાનમાં દરેકમાં 250 પદ્યો ધરાવતા સોળ પરિચ્છેદોમાં વિભક્ત એવા આ કાવ્યગુણસંપન્ન પ્રેમાખ્યાનની રચના કરી છે. ધનદેવ શેઠ એક દિવ્યમણિની મદદથી ચિત્રવેગ નામના વિદ્યાધરને નાગપાશમાંથી છોડાવે છે.…

વધુ વાંચો >

સેઉબન્ધ (सेतुबन्ध)

સેઉબન્ધ (सेतुबन्ध) : પ્રવરસેનરચિત પ્રાકૃત મહાકાવ્ય. તે ‘રાવણવધ’ અને ‘દશમુખવધ’ એ નામે પણ ઓળખાય છે. ઈ. સ.ની પાંચમી શતાબ્દીની બીજી પચ્ચીસીમાં થઈ ગયેલા વાકાટક વંશના રાજા પ્રવરસેન બીજા આ કાવ્યના કર્તા હોવાનો સંભવ છે. પંદર સર્ગના આ કાવ્યનું કથાનક વાલ્મીકિ રામાયણ પર આધારિત છે. આનું કથાવસ્તુ હનુમાન સીતાના સમાચાર મેળવીને…

વધુ વાંચો >

હેમચંદ્રીય પ્રાકૃત વ્યાકરણ

હેમચંદ્રીય પ્રાકૃત વ્યાકરણ : પ્રાચીન ભારતીય પ્રાકૃત ભાષાનું વ્યાકરણ. આચાર્ય હેમચંદ્રે આચાર્ય પાણિનિની સંસ્કૃત ભાષાના વ્યાકરણની ‘અષ્ટાધ્યાયી’ને સરળ રીતે રજૂ કરવા પ્રયત્ન કર્યો અને રાજા સિદ્ધરાજની પ્રેરણાથી સંસ્કૃત ભાષાનું વ્યાકરણ ‘સિદ્ધહેમ’ વ્યાકરણ અથવા ‘હૈમશબ્દાનુશાસન’માં રજૂ કર્યું. પાણિનિએ પ્રશિષ્ટ સંસ્કૃત ભાષાના વ્યાકરણથી વેદની ભાષાના વ્યાકરણના નિયમો અલગ પડતા હતા તે નિયમો…

વધુ વાંચો >