સમાજશાસ્ત્ર

કુટુંબનિયોજન

કુટુંબનિયોજન : સુયોજિત સીમિત કુટુંબની રચના. પ્રાપ્ત સંજોગોમાં દંપતી જેટલાં સંતાનોનું યોગ્ય રીતે ભરણપોષણ તથા ઉછેર કરી શકે તેટલાં સંતાનોની સમયબદ્ધ પ્રજોત્પત્તિ દ્વારા સ્વૈચ્છિક રીતે અને સભાનતાપૂર્વક ઇષ્ટ કદની કુટુંબરચના એટલે કુટુંબનિયોજન. કુટુંબનું કદ સીમિત રાખવું એ તેનો મર્યાદિત (નકારાત્મક) હેતુ ખરો, પરંતુ વ્યાપક અર્થમાં પોતાના કુટુંબને સુખ, શાંતિ અને…

વધુ વાંચો >

કુર્દ

કુર્દ : કુર્દિસ્તાન તરીકે ઓળખાતા, નૈર્ઋત્ય એશિયાના પૂર્વ તુર્કી, પશ્ચિમ ઈરાન અને ઉત્તર ઇરાકના ટૉરસ અને સૅગ્રોસ પર્વતોમાં વસતી જાતિના લોકો. ઐતિહાસિક ર્દષ્ટિએ કુર્દિસ્તાન નામ ‘કુર્દ લોકોની ભૂમિ’ અર્થવાળા ઈરાની શબ્દમાંથી ઊતરી આવેલું છે. આ લોકોનું મૂળ વતન ઇરાક, સીરિયા, તુર્કી અને રશિયા હતું. આજે તેઓ મોટેભાગે ગ્રામીણ વસાહતોમાં રહે…

વધુ વાંચો >

કેળકર – લક્ષ્મીબાઈ ‘મૌસીજી’

કેળકર, લક્ષ્મીબાઈ ‘મૌસીજી’ (જ. 6 જુલાઈ 1905, સાતારા, મહારાષ્ટ્ર; અ. 27 નવેમ્બર 1978, નાગપુર) : અગ્રણી સામાજિક કાર્યકર, સ્વાતંત્ર્યસેનાની તથા રાષ્ટ્રસેવિકા સમિતિનાં સંસ્થાપક. મૂળ નામ કમલ દાતે. પિતા ભાસ્કરરાવ કેન્દ્ર સરકારના નાગપુર ખાતેના એકાઉન્ટન્ટ જનરલના કાર્યાલયમાં નોકરી કરતા હતા. માતાનું નામ યશોદાબાઈ. વતન સાતારા જિલ્લાનું બાવદાન ગામ. તેમના દાદા રામચંદ્ર…

વધુ વાંચો >

કોમ્ત ઑગસ્ત

કોમ્ત, ઑગસ્ત (જ. 19 જાન્યુઆરી 1798, મૉંત પેલિયર, દ. ફ્રાન્સ; અ. 5 સપ્ટેમ્બર 1857, પૅરિસ) : સમાજશાસ્ત્રના જન્મદાતા અને તેનો વ્યાપક ફેલાવો કરનાર ફ્રાન્સના પ્રસિદ્ધ વિચારક. આખું નામ કોન્ત ઈઝીદોર ઑગસ્ત મારિયા ફ્રાંસિસ ઝેવિયર્સ. ‘સમાજશાસ્ત્ર’ શબ્દ તથા તે વિજ્ઞાનનાં વિષયવસ્તુ અને પદ્ધતિની સર્વપ્રથમ ચર્ચા તેમણે કરી. તેથી તેમને ‘સમાજશાસ્ત્રના પિતા’…

વધુ વાંચો >

કોયાજી બાનુ જહાંગીર

કોયાજી, બાનુ જહાંગીર (જ. 7 સપ્ટેમ્બર 1917, મુંબઈ; અ. 15 જુલાઈ 2004, પુણે) : ‘પદ્મભૂષણ’ અને 1993ના વર્ષના રેમન મૅગ્સેસે પારિતોષિક-વિજેતા તબીબ, મહિલાઉત્કર્ષ, બાળવિકાસ અને જાહેરસેવાઓના ક્ષેત્રે મહારાષ્ટ્ર રાજ્યમાં અનન્ય પ્રદાન કરનાર પારસી મહિલા. તેમના દાદા ભરૂચની ગ્રામીણ શાળાના આચાર્ય. પિતા પેસ્તનજી કાપડિયા વ્યવસાયે સ્થપતિ અને માતા બાપઈમાઈ નસરવાનજી મિસ્ત્રી…

વધુ વાંચો >

કૉર્સિરા

કૉર્સિરા : પ્રાચીન ગ્રીસમાં કૉરિન્થ નામના નગરરાજ્યે આયોનિયન સાગરમાં ઈ. પૂ. છઠ્ઠી સદીની આસપાસ સ્થાપેલું સંસ્થાન. સમય જતાં વ્યાપાર અને વાણિજ્યમાં તે માતૃભૂમિ કૉરિન્થથી પણ આગળ નીકળી ગયું. કૉરિન્થ સાથે મતભેદો ઊભા થયા. કૉર્સિરાએ સ્થાપેલા એપિડેમ્નસ નગરમાં વહીવટી અંકુશ અંગે બંને રાજ્યો વચ્ચે સંઘર્ષ થયો. આ સંઘર્ષમાં કૉર્સિરાને પક્ષે ઍથેન્સ…

વધુ વાંચો >

કોલ

કોલ : વિંધ્યાચલ તથા કૈમુર પહાડોમાં તેમજ નર્મદા, શોણ, ગંગા અને ચંબલની ઉપત્યકામાં વસતી દ્રાવિડ આદિવાસી પ્રજા. તેમની વસ્તી મધ્ય પ્રદેશના ઉત્તર ભાગમાં, ઉત્તર પ્રદેશના દક્ષિણ ભાગમાં, ઓરિસા તથા છોટાનાગપુરના પ્રદેશમાં છે. ડુક્કરનો શિકાર કરનારા કોલ ‘ડુકરાલા’ તરીકે ઓળખાય છે. છોટાનાગપુરના કોલ લડાયક માનસવાળા છે. તે મુંડા જાતિના છે અને…

વધુ વાંચો >

કોલધા

કોલધા : ગુજરાત રાજ્યમાં સૌથી વધુ આદિમ અને આર્થિક રીતે પછાત અને અસ્પૃશ્ય ગણાતી આદિવાસી જાતિ. તેમની વસ્તી વલસાડ જિલ્લાના ધરમપુર, વાંસદા અને ચીખલી તાલુકાઓમાં તથા સુરત જિલ્લાના મહુવા તાલુકામાં છે. ભરૂચ તથા ડાંગ જિલ્લાઓમાં તેમની છૂટીછવાઈ વસ્તી છે. ચીખલી તાલુકાના ખેરગામમાં તેમની વસ્તી વિશેષ છે. 1981માં ગુજરાત રાજ્યમાં તેમની…

વધુ વાંચો >

કોળી

કોળી : પછાત ગણાતી જાતિઓ પૈકી એક. ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં તેમની વસ્તી છે. તેમના મૂળ વતન સિંધમાંથી આવીને તેઓ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના મેદાનમાં તથા સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મુખ્યત્વે સાગરકાંઠે વસ્યા. ડૉ. વિલ્સન કોળીઓને ગુજરાતના મૂળ આદિવાસી માને છે. ટેલર તેમને ડાંગવાળા (clubman) કે પશુપાલન…

વધુ વાંચો >

કોંકણા

કોંકણા : કોંકણમાંથી સ્થળાંતર કરી આવેલી આદિવાસી જાતિ. તે કોંકણા કે કૂંકણા કુનબી (કણબી) તરીકે પણ ઓળખાય છે. તેમની વસ્તી ડાંગ અને વલસાડ જિલ્લાના ધરમપુર અને વાંસદા તાલુકાઓ અને સૂરત જિલ્લાના વ્યારા અને વાલોડ તાલુકાઓમાં વિશેષ છે. હાથે હળ ખેંચતા કોંકણા હાથોડિયા તરીકે ઓળખાય છે. ડાંગ અને સૂરત જિલ્લામાં કુલ…

વધુ વાંચો >