સંગીતકલા
ગાયકવાડ મહારાજ રણજિતસિંહ પ્રતાપસિંહ
ગાયકવાડ મહારાજ રણજિતસિંહ પ્રતાપસિંહ (જ. મે 1938 ઉટાકામંડ (ઊંટી), મદ્રાસ; અ. 10 મે 2012, વડોદરા) : સંગીતજ્ઞ, ચિત્રકાર અને શિલ્પી. મહારાજા રણજિતસિંહજી રાજા થવા નહિ કલાકાર થવા સર્જાયેલા. ગાયકવાડી શાહી પરિવારના ફરજંદ મહારાજા રણજિતસિંહે વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસ પરિસરમાં આવેલી શાળામાં અભ્યાસ કર્યો હતો. બાળપણમાં દેશના વરિષ્ઠ કલાકાર રાજા રવિ વર્માનાં…
વધુ વાંચો >ગાયકવાડ, શંકરરાવ
ગાયકવાડ, શંકરરાવ (જ. 8 ઑગસ્ટ 1881; અ. 11 માર્ચ 1971, પુણે) : ભારતના વિખ્યાત શરણાઈવાદક. પુણેના વતની. એમણે અક્કલકોટના પ્રસિદ્ધ ગાયક શિવભક્ત બુવા પાસેથી રાગદારી અને ગાયકીનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. ત્યારબાદ શિવભક્ત બુવાએ તેમની પ્રતિભા પારખીને એમને સંગીતના વધુ શિક્ષણ માટે વિખ્યાત સંગીતકાર ભાસ્કર બુવા બખલે પાસે મોકલ્યા અને…
વધુ વાંચો >ગિરજાદેવી
ગિરજાદેવી (જ. 8 મે 1929, વારાણસી; અ. 24 ઑક્ટોબર 2017, કોલકાતા) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની ખ્યાલ ગાયનની સાથે ઠૂમરી, દાદરા, ગઝલ તથા ટપ્પા ગાયનનાં નિપુણ કલાકાર. પિતા બાબા રામદાસ રાય સંગીતના અનન્ય પ્રેમી અને સંગીતના પંડિત હતા. ગિરજાદેવી પર ઘરના સંગીતમય વાતાવરણનો પ્રભાવ બાળપણથી જ હતો. સંગીતના પાઠ નાનપણમાં…
વધુ વાંચો >ગુજરાત (લલિતકલાઓથી સમૂહમાધ્યમો)
ગુજરાત લલિતકલાઓ સ્થાપત્યકલા ગુજરાતમાં સ્થાપત્યકલાના અવશેષો આદ્ય-ઐતિહાસિક કાલ જેટલા પુરાણા છે. લોથલ, રંગપુર, રોઝડી, આમરા, લાખાબાવળ, પ્રભાસ સોમનાથ, નખત્રાણા, પાબુમઠ, સુરકોટડા, ધોળાવીરા વગેરે ગુજરાતની આદ્ય-ઐતિહાસિક સંસ્કૃતિનાં કેન્દ્રો છે. સ્થાપત્યકીય સ્મારકોની દૃષ્ટિએ લોથલ અને ધોળાવીરા નોંધપાત્ર છે. લોથલનું ખોદકામ ડૉ. એસ. આર. રાવના માર્ગદર્શન નીચે થયું હતું. લોથલનું નગર સારી રીતે…
વધુ વાંચો >ગુર્ટુ, શોભા
ગુર્ટુ, શોભા (જ. 8 ફેબ્રુઆરી 1925, બેલગામ, કર્ણાટક; અ. 27 સપ્ટેમ્બર 2004, મુંબઈ) : ઠૂમરી, ગઝલ અને દાદરા શૈલીનાં નામી ગાયિકા. શોભાનાં માતા મેનકાબાઈ શિરોડકર શાસ્ત્રીય તેમજ સુગમ સંગીત ઉત્તમ રીતે ગાતાં. ઉપરાંત નૃત્ય અને વાદ્યવાદનમાં પણ તેઓ માહેર હતા. એમણે શાસ્ત્રીય સંગીતની તાલીમ જયપુર-અતરોલી ઘરાણાના ઉસ્તાદ નથ્થનખાં પાસેથી તથા…
વધુ વાંચો >ગુલામ અલી
ગુલામ અલી (જ. 5 ડિસેમ્બર 1940, કલેકી, જિલ્લો સિયાલકોટ, પંજાબ) : પતિયાળા ઘરાનાના વિખ્યાત પાકિસ્તાની ગઝલગાયક. તેઓ વિખ્યાત શાસ્ત્રીય ગાયક બડે ગુલામ અલીના શિષ્ય છે જેમના નામ પરથી પિતાએ પોતાના પુત્રનું નામ પાડ્યું હતું. તેમનો જન્મ સંગીતને વરેલા પરિવારમાં થયો છે. તેમના પિતા કંઠ્ય સંગીત ઉપરાંત સારંગીના વાદક હતા. પિતાના…
વધુ વાંચો >ગુલામ મુસ્તફાખાં
ગુલામ મુસ્તફાખાં (જ. 3 માર્ચ 1934, બદાયું; અ. 17 જાન્યુઆરી 2021, મુંબઈ) : સહસવાન ઘરાણાના ઉચ્ચ કક્ષાના ગાયક. સંગીતની તાલીમ એમણે ઉસ્તાદ નિસારહુસેનખાં પાસેથી મેળવી હતી. પોતાના ઘરાણાની મૂળ શૈલીમાં કેટલાંક મૌલિક તત્વો ઉમેરીને એમણે પોતાની આગવી શૈલી રચી છે. એ શાસ્ત્રીય સંગીતની ખયાલની શૈલી ઉપરાંત તરાના તથા ટપ્પાની શૈલીઓના…
વધુ વાંચો >ગુલામ રસૂલ (અ. અઢારમી સદી)
ગુલામ રસૂલ (અ. અઢારમી સદી) : ધ્રુપદ અને ખયાલ શૈલીના ગાયક કલાકાર. ગુલામ રસૂલ લખનૌના નવાબ અસફુદ્દૌલાના દરબારી ગાયક હતા. ત્યાંના દીવાન હસનરાજખાં તરફથી એમનું અપમાન થવાથી એમણે લખનૌ છોડ્યું હતું. તે ધ્રુપદ તથા ખયાલ શૈલીઓના નિષ્ણાત હતા. પ્રાચીન ધ્રુપદની શૈલીમાં પરિવર્તન કરવું તથા ખયાલ શૈલીનો પ્રચાર કરવો એવો એમનો…
વધુ વાંચો >ગુલામ રસૂલખાં
ગુલામ રસૂલખાં (જ. 1898, મથુરા; અ. 1983) : મથુરા ઘરાનાના ગાયક કલાકાર. તે ઘરાનાના કલાકારો કંઠ-સંગીત તથા સિતારવાદનના નિષ્ણાત હતા. ગુલામ રસૂલખાંના પિતામહ અહેમદખાં, પિતા કાલેખાં તથા તે પોતે લૂણાવાડા રાજ્યના દરબારી સંગીતકાર હતા. કાલેખાંએ ‘સરસપિયા’ ઉપનામ હેઠળ કેટલીક ઉત્કૃષ્ટ બંદીશો રચી હતી. ગુલામ રસૂલખાંએ પોતાના પિતા પાસેથી શરૂમાં કંઠ-સંગીતની…
વધુ વાંચો >ગુંદાણી, સરોજ
ગુંદાણી, સરોજ (જ. 7 મે 1938, નડિયાદ) : ગુજરાતી સુગમ સંગીતનાં જાણીતા ગાયકકલાકાર. મૂળ વતન ચોટીલા, સૌરાષ્ટ્ર. પિતાનું નામ જમનાગિરિ અને માતાનું નામ લતાબહેન. મૂળ અટક જોષી. ઔપચારિક શિક્ષણ એસ.એસ.સી. સુધીનું. નાનપણથી સંગીત પ્રત્યે અભિરુચિ હોવાથી માત્ર પાચ વર્ષની ઉંમરે માતાની પહેલથી મુંબઈના પી. મધુકર પાસેથી શાસ્ત્રીય સંગીતની તાલીમ લેવાની…
વધુ વાંચો >