રાજ્યશાસ્ત્ર
મ્યૂનિક પુત્શ
મ્યૂનિક પુત્શ (Munich Putsch) : મ્યૂનિક ખાતે હિટલરની આગેવાની હેઠળ યોજાયેલો બળવો. આ નિષ્ફળ બળવો મ્યૂનિક ખાતેના બિયર-હૉલમાં 8 નવેમ્બર, 1923ની રાતે યોજાયેલો. તેની પાછળ બવેરિયન સરકારને અને તેના પગલે છેવટે જર્મનીની રાષ્ટ્રીય સરકારને નૅશનલ સોશિયાલિસ્ટ (નાઝી) પાર્ટીના નિયંત્રણ હેઠળ લાવવાનો હેતુ હતો. બવેરિયાની રાજધાની મ્યૂનિક તે સમયે નાઝી ચળવળનું…
વધુ વાંચો >યંગ બૅંગાલ
યંગ બૅંગાલ : ઓગણીસમી સદીના પૂર્વાર્ધ દરમિયાન કોલકાતાની ‘હિંદુ કૉલેજ’(સ્થા. 1817)ના નવયુવક બંગાળી બૌદ્ધિકો દ્વારા નવીન અને મૂલગામી વિષયોના પ્રચાર માટે ચાલેલું આંદોલન. ઉક્ત આંદોલનના મૂળ પ્રવર્તક અને પહેલ કરનાર ‘હિંદુ કૉલેજ’ના જ ઍંગ્લો-ઇન્ડિયન શિક્ષક હેન્રી લુઈ વિવિયન દેરોજિયો (1809–1831) હતા. તેઓ સ્વતંત્ર ચિંતક, હેતુવાદી અને ભારતીય ધર્મોના ટીકાકાર હતા.…
વધુ વાંચો >યાજ્ઞિક, ઇન્દુલાલ
યાજ્ઞિક, ઇન્દુલાલ (જ. 22 ફેબ્રુઆરી 1892, નડિયાદ; અ. 17 જુલાઈ 1972, અમદાવાદ) : પ્રજાકીય આંદોલનોના પ્રણેતા અને ગુજરાતના નિ:સ્પૃહ રાજકીય નેતા. પિતા કનૈયાલાલ અને માતા મણિગૌરી. 1903માં 11 વર્ષની વયે જ્ઞાતિની સભામાં અંગ્રેજીમાં વ્યાખ્યાન આપી તેમણે તેમની પ્રતિભાનો ચમકારો દર્શાવ્યો હતો. મુંબઈમાં પ્લેગ ફેલાતો અટકાવવાની જાહેર સેવા દરમિયાન પિતાએ પ્રાણ…
વધુ વાંચો >યાદવ, લાલુપ્રસાદ
યાદવ, લાલુપ્રસાદ (જ. 2 જૂન 1948, ફુલવારિયા, ગોપાલગંજ, જિ. બિહાર) : આધુનિક ભારતના રાજકારણમાં દાવપેચની રાજનીતિમાં માહેર બનેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી. વિદ્યાર્થી-અવસ્થામાં વિદ્યાર્થી- ચળવળમાં સક્રિય બન્યા ત્યારથી રાજકારણના રંગે રંગાયા. પટણા યુનિવર્સિટીમાંથી કાયદાશાસ્ત્રની સ્નાતક પદવી પ્રાપ્ત કર્યા બાદ લોકનાયક જયપ્રકાશ નારાયણે 1974માં શરૂ કરેલ જનઆંદોલન દ્વારા બિહાર રાજ્યમાં રાજનેતાઓનો જે…
વધુ વાંચો >યામાગાટા, આરીટોમો કોશાકુ (ડ્યૂક અથવા પ્રિન્સ)
યામાગાટા, આરીટોમો કોશાકુ (ડ્યૂક અથવા પ્રિન્સ) (જ. 3 ઑગસ્ટ 1838, હૅગી, જાપાન; અ. 1 ફેબ્રુઆરી 1922, ટોકિયો) : જાપાનના લશ્કરી નેતા, વિચક્ષણ રાજકારણી અને વડાપ્રધાન. તેમની દીર્ઘર્દષ્ટિ અને તેમના સુનિશ્ચિત સાંગોપાંગ આયોજનને પરિણામે જાપાન વીસમી સદીમાં વિશ્વની લશ્કરી સત્તા તરીકે ઊપસી આવ્યું. તેઓ ‘જાપાની સેનાના પિતામહ’નું બિરુદ પામ્યા હતા. તેઓ…
વધુ વાંચો >યુનો
યુનો : જુઓ સંયુક્ત રાષ્ટ્રો– સંયુક્ત રાષ્ટ્રસંઘ
વધુ વાંચો >યૂલ, જ્યૉર્જ
યૂલ, જ્યૉર્જ : ડિસેમ્બર 1888માં અલ્લાહાબાદ મુકામે ભરાયેલા ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસના ચોથા અધિવેશનના પ્રમુખ. તેઓ કૉલકાતાના આગેવાન બ્રિટિશ વેપારી હતા. તેઓ ભારતના લોકો પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હોવાથી તેમને કૉંગ્રેસના પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેમના પ્રમુખપદ હેઠળ ભારતની ધારાસભાઓનો વિસ્તાર કરવો, સનદી પરીક્ષાઓ ભારતમાં અને ઇંગ્લૅંડમાં એકસાથે લેવી, જ્યુરીની…
વધુ વાંચો >યેલત્સિન, બૉરિસ નિકોલયેવિચ
યેલત્સિન, બૉરિસ નિકોલયેવિચ (જ. 1931, સ્વેરદ્લોવ્સ્ક) : સોવિયેત રાજકારણી, 1990થી રશિયન સોવિયેત ફેડરેટિવ સોશિયાલિસ્ટ રિપબ્લિક(R.S.F.S.R.)ના પ્રમુખ. 1955માં તેઓ અર્લ પૉલિટૅકનિક ઇન્સ્ટિટ્યૂટમાંથી સ્નાતક થયા અને 1961માં સ્થાનિક સામ્યવાદી પક્ષમાં જોડાયા. 1976માં સ્થાનિક પક્ષીય સંગઠનના વડા બન્યા. 1985માં મૉસ્કો-સ્થિત સામ્યવાદી પક્ષીય સંગઠનના વડા તેમજ શાસક પૉલિટબ્યુરોના સભ્ય બન્યા. તેમની ઉદ્દામવાદી નીતિઓને કારણે…
વધુ વાંચો >યોગી આદિત્યનાથ
યોગી આદિત્યનાથ (જ. 5 જૂન 1972, પંચુર, પૌઢી ગઢવાલ, ઉત્તરાખંડ) : ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી, લોકસભાના પૂર્વ સાંસદ, ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં આવેલા ગોરખમઠના મહંત, હિન્દુ યુવાવાહિનીના સ્થાપક. પૂર્વાશ્રમનું નામ અજયસિંહ બિષ્ટ. ઉત્તરપ્રદેશમાંથી ઉત્તરાખંડ અલગ રાજ્ય બન્યું તે પહેલાં તેમનો જન્મ પૌઢી ગઢવાલ જિલ્લાના પંચુરમાં થયો હતો. ગઢવાલની હેમવતીનંદન બહુગુણા યુનિવર્સિટીમાંથી તેમણે બી.એસસીનો અભ્યાસ…
વધુ વાંચો >યોશીડા, શિગેરુ
યોશીડા, શિગેરુ (જ. 22 સપ્ટેમ્બર 1878, ટોકિયો, જાપાન; અ. 20 ઑક્ટોબર 1967, ઓઇસો, જાપાન) : જાપાનના રાજકારણી અને વડાપ્રધાન. 1906માં ટોકિયો ઇમ્પિયરિયલ યુનિવર્સિટીમાંથી કાયદાશાસ્ત્રની બી.એલ.ની ડિગ્રી મેળવી અને વિદેશ મંત્રાલયમાં જોડાયા. વિશ્વની કેટલીય રાજધાનીઓમાં તેમણે વિવિધ પ્રકારનો કાર્યભાર સંભાળ્યો. 1928માં તેઓ સ્વીડન, નૉર્વે તથા ડેન્માર્કમાં મંત્રી નિમાયા. 1928–30 દરમિયાન નાયબ…
વધુ વાંચો >