રાજ્યશાસ્ત્ર

સાયાણી રહીમતુલ્લા મહમદ

સાયાણી, રહીમતુલ્લા મહમદ (જ. 5 ઍપ્રિલ 1847, કચ્છ, ગુજરાત; અ. 4 જૂન 1902, મુંબઈ) : કૉંગ્રેસપ્રમુખ, મુંબઈ કૉર્પોરેશનના પ્રમુખ અને ઇમ્પીરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય. રહીમતુલ્લાનો જન્મ ખોજા મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેઓ સખત મહેનત અને ખંતથી કાયદાના ક્ષેત્રમાં નિષ્ણાત અને લોકોમાં જાણીતા થયા હતા. તેમણે 1866માં મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી બી.એ.…

વધુ વાંચો >

સારકોઝી નિકોલસ

સારકોઝી, નિકોલસ (જ. 28 જાન્યુઆરી 1955, પૅરિસ, ફ્રાંસ) : ફ્રાંસના મે, 2007માં ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખ. જેક્સ ચિરાકના અનુગામી તરીકે ચૂંટાયેલા સારકોઝી નિકોલસની પ્રમુખીય ચૂંટણીમાં 85 ટકા મતદાન થયું હતું, જેમાં 53 ટકા મતો મેળવી તેઓ ફ્રાંસના પ્રમુખપદના હોદ્દા પર ચૂંટાઈ આવ્યા છે. જેક્સ ચિરાકનો 12 વર્ષનો લાંબો શાસનકાળ સ્થગિત થઈ ગયેલા…

વધુ વાંચો >

સારગોન (મહાન)

સારગોન (મહાન) (ઈ. પૂ. 2334-2278) : વિશ્વનું સૌપ્રથમ મોટું સામ્રાજ્ય સ્થાપનાર રાજા. એણે આશરે 56 વર્ષ રાજ્ય કરીને મેસોપોટેમિયા (અત્યારનું ઇરાક) અને દક્ષિણ-પશ્ચિમ એશિયામાં પોતાનું વિશાળ સામ્રાજ્ય સ્થાપ્યું. એ સામ્રાજ્યમાં મેસોપોટેમિયા, સીરિયા, એનેટોલિયા અને એલમ(પશ્ચિમ ઈરાન)નો સમાવેશ થતો હતો. સારગોન એક શક્તિશાળી લશ્કરી નેતા અને વહીવટકર્તા હતો. કાયમી લશ્કર રાખનાર…

વધુ વાંચો >

સાર્ક (SAARC)

સાર્ક (SAARC) : દક્ષિણ એશિયાના દેશો વચ્ચે પ્રાદેશિક સ્તર પર આર્થિક સહકારમાં વધારો થાય તે માટે સ્થાપવામાં આવેલ પ્રાદેશિક સંગઠન. આખું નામ ‘સાઉથ એશિયન ઍસોસિયેશન ફૉર રીજનલ કોઑપરેશન’. સ્થાપના : ડિસેમ્બર 1985. તેનો પ્રાથમિક હેતુ દક્ષિણ એશિયાના પ્રદેશમાં ટકી શકે (viable) એવો આર્થિક ઢાંચો રચવાનો તથા આ પ્રદેશોના દેશો વચ્ચેનો…

વધુ વાંચો >

સાર્વભૌમત્વ

સાર્વભૌમત્વ : આંતરિક વ્યવહારોમાં સર્વોપરી અને બાહ્ય રીતે (અન્ય દેશો સાથેના વ્યવહારોમાં) સ્વતંત્ર નિર્ણયો કરવાની અને અમલમાં મૂકવાની રાજ્યની સત્તા. તેને રાજ્યશાસ્ત્રની પરિભાષામાં સાર્વભૌમ સત્તા અથવા સાર્વભૌમત્વ કહેવાય છે. જ્યારે લોકો કોઈ ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં કાયમી ધોરણે વસવાટ કરતા હોય અને કોઈ ને કોઈ પ્રકારના સરકારના નિયંત્રણ હેઠળ રહેતા હોય…

વધુ વાંચો >

સાલાઝાર ઍન્ટૉનિયો ડી. ઓલિવેરા

સાલાઝાર, ઍન્ટૉનિયો ડી. ઓલિવેરા (જ. 28 એપ્રિલ 1889, વિમિઐશે, પૉર્ટ; અ. 27 જુલાઈ 1970, લિસ્બન) : પોર્ટુગલના કાયદેસરના વડાપ્રધાન અને વાસ્તવિક સરમુખત્યાર તેમજ 36 વર્ષ સુધી સતત સત્તા ભોગવનાર શાસક. તેમના પિતા એસ્ટેટ મૅનેજર હતા. તેમણે પ્રારંભમાં વિસ્યુની સેમિનરી(પાદરીઓ તૈયાર કરતી શાળા)માં અભ્યાસ કર્યો હતો. કોઇમ્બ્રા યુનિવર્સિટીમાં શિક્ષણ મેળવી 1914માં…

વધુ વાંચો >

સાવરકરનો પ્રત્યાર્પણનો કેસ

સાવરકરનો પ્રત્યાર્પણનો કેસ : પ્રત્યાર્પણના પ્રશ્ર્ને ચાલેલો સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકર(1883-1966)નો કેસ. તેની હકીકત આ પ્રમાણે છે : સાવરકર ભારતના નાગરિક હતા અને તે રૂએ બ્રિટિશ પ્રજાજન પણ હતા. રાજદ્રોહ અને ખૂનમાં મદદગારી કરવાના ગુના માટે કામ ચલાવવા તેમને પી. ઍન્ડ ઓ. કંપનીની ‘મોરિયા’ સ્ટીમરમાં ભારત લાવવામાં આવતા હતા. 25મી…

વધુ વાંચો >

સાવરકર વિનાયક દામોદર

સાવરકર, વિનાયક દામોદર (જ. 23 મે 1883, ભગૂર, તાલુકો દેવળાલી, જિલ્લો નાશિક, મહારાષ્ટ્ર; અ. 27 ફેબ્રુઆરી 1966, મુંબઈ) : સ્વાતંત્ર્યસેનાની, પ્રખર ક્રાંતિકારક, કટ્ટર હિંદુત્વવાદી, અગ્રણી સાહિત્યકાર તથા સમાજસુધારક. નિકટના વર્તુળમાં ‘તાત્યારાવ’ ઉપનામથી જાણીતા હતા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નાશિક ખાતે. 1901માં મૅટ્રિક થયા અને ઉચ્ચ શિક્ષણ માટે પુણેની ફર્ગ્યુસન કૉલેજમાં…

વધુ વાંચો >

સાવળારામ પી.

સાવળારામ, પી. (જ. 4 જુલાઈ 1914, યેદેનિપાણી, જિ. સાંગલી, મહારાષ્ટ્ર; અ. 21 ડિસેમ્બર 1997, થાણે, મહારાષ્ટ્ર) : મરાઠીના વિખ્યાત કવિ, ગીતકાર તથા ચલચિત્રોનાં કથા, પટકથા તથા સંવાદોના લેખક. આખું નામ સાવળારામ પાટીલ. પિતાનું નામ રાવજી, જેઓ ખેતી કરતા હતા અને માતાનું નામ હૌસા, જે ગૃહિણી હતાં. સમગ્ર શિક્ષણ કોલ્હાપુર ખાતે.…

વધુ વાંચો >

સાવેંદ્રા લામાસ કાર્લોસ

સાવેંદ્રા, લામાસ કાર્લોસ (જ. 1 નવેમ્બર 1878, બ્યુએનૉસ આઇરિસ, આર્જેન્ટિના; અ. 5 મે 1959, બ્યુએનૉસ આઇરિસ) : આર્જેન્ટિનાના કાયદાશાસ્ત્રી અને 1936ના વિશ્વશાંતિના નોબેલ પારિતોષિકના વિજેતા. બોલિવિયા અને પરાગ્વે વચ્ચે 1932-35ના ગાળામાં ખેલાયેલ સશસ્ત્ર સંઘર્ષનો અંત લાવવામાં તેમની ભૂમિકા શકવર્તી નીવડી હતી. આ યુદ્ધ ‘ચાકો યુદ્ધ’ તરીકે ઇતિહાસમાં નોંધાયેલું છે. લામાસ…

વધુ વાંચો >