રાજ્યશાસ્ત્ર
શ્રીપ્રકાશ
શ્રીપ્રકાશ (જ. 3 ઑગસ્ટ 1890, વારાણસી; અ. 23 જૂન 1971, વારાણસી) : મુંબઈ રાજ્ય (પાછળથી મહારાષ્ટ્ર), તામિલનાડુ તથા આસામના ગવર્નર, પાકિસ્તાનમાં ભારતના પ્રથમ હાઇકમિશનર (1947-49) અને કેન્દ્ર સરકારમાં વાણિજ્યમંત્રી (1950-51) તથા કુદરતી સંસાધનો તથા વૈજ્ઞાનિક સંશોધનના મંત્રી (1951-52). તેમનો જન્મ વારાણસીના અગ્રવાલ (વૈશ્ય) કુટુંબમાં થયો હતો. તેમનું કુટુંબ પરોપકાર, સમૃદ્ધિ…
વધુ વાંચો >સચિવ/સચિવો
સચિવ/સચિવો : વહીવટી કચેરીનો વડો યા વહીવટી કચેરીના ઉચ્ચ કક્ષાના અમલદારોનો વર્ગ. કોઈ પણ સરકાર અને તેનું વહીવટીતંત્ર બહુધા સચિવો દ્વારા ચાલે છે. સચિવોનું કાર્યાલય તે સચિવાલય. સચિવોને ઊંચી બુદ્ધિમત્તા અને કાર્યક્ષમતા ધરાવનારા અનુભવી અને કાબેલ વ્યક્તિઓ માનવામાં આવે છે. સામાન્ય રીતે જાહેર સનદી સેવાની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ તાલીમ…
વધુ વાંચો >સચિવાલય
સચિવાલય : વહીવટીતંત્રનો સર્વોચ્ચ એકમ અને કોઈ પણ સંસ્થા કે સરકારનું મુખ્ય વહીવટી કાર્યાલય. તેના વહીવટી વડા સચિવો હોવાથી સચિવોનું કાર્યાલય તે સચિવાલય. રોજબરોજનાં વહીવટી કાર્યોનું સંચાલન સરળ અને કાર્યક્ષમ બને તે માટે સચિવાલય હોય છે. આથી તેની કામગીરીમાં વહીવટની વિવિધ અને વ્યાપક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. તેની રચના સોપાનિક…
વધુ વાંચો >સત્તા
સત્તા : કોઈ પણ ક્ષેત્રમાં નીતિવિષયક નિર્ણયો લેવાના, તે નિર્ણયોને અમલમાં મૂકવા માટેના નિયમો કે ધોરણો ઘડવાના તથા તે મુજબ ઉપર્યુક્ત નિર્ણયોને અમલમાં મૂકવાના અધિકારોનો નિર્દેશ કરતું પરિબળ. સત્તાનો ખ્યાલ સામાજિક વિજ્ઞાનોમાં અને ખાસ તો રાજ્યશાસ્ત્રમાં કેન્દ્રવર્તી સ્થાન ધરાવે છે. રાજકીય પ્રક્રિયાના લગભગ બધા સ્તરો(પંચાયતથી સંયુક્ત રાષ્ટ્રો સુધી)એ વધતા-ઓછા પ્રમાણમાં…
વધુ વાંચો >સત્તાની સમતુલા
સત્તાની સમતુલા : દેશો યા દેશોનાં જૂથો વચ્ચે સત્તાના લગભગ સમાન પ્રભાવની વ્યવસ્થા ઊભી કરી તે દ્વારા રક્ષણ મેળવી શાંતિ જાળવી રાખવાની એક પ્રયુક્તિ. તે આંતરરાષ્ટ્રીય રાજકારણનો અગત્યનો સિદ્ધાંત હતો અને શાંતિની સ્થિતિ જાળવી રાખવા યા આવનાર યુદ્ધ અટકાવવા માટે તેનો ઉપયોગ થતો હતો. તે સત્તાના વાસ્તવિક વિતરણ સાથે સંબંધ…
વધુ વાંચો >સત્તાશૃંખલા
સત્તાશૃંખલા : સત્તા, હુકમ અને માહિતીસંચારનો પેઢીના વરિષ્ઠ સંચાલકથી પાયાના કર્મચારી સુધી વહેતો પ્રવાહ. ધ્યેય પ્રાપ્ત કરવા માટે અનેક વ્યક્તિઓ સમૂહમાં અસરકારક રીતે કામ કરી શકે, તેવું વાતાવરણ પ્રસ્થાપિત કરીને ટકાવવાની પ્રક્રિયાને સંચાલન કહે છે. ધ્યેયપ્રાપ્તિ માટે માનવ તથા અન્ય સાધનોનું વ્યવસ્થિત એકીકરણ કરીને અનેકવિધ પ્રક્રિયાઓને પદ્ધતિસર રીતે પાર પાડવી…
વધુ વાંચો >સપ્તાંગ સિદ્ધાંત
સપ્તાંગ સિદ્ધાંત : રાજ્યનાં સાત અંગો હોવાની માન્યતા ધરાવતો પ્રાચીન, પૌરસ્ત્ય સિદ્ધાંત. રાજ્યની ઉત્પત્તિ અંગે વિવિધ સિદ્ધાંતો વિવિધ દર્શનોમાં જોવા મળે છે. પાશ્ચાત્ય દર્શનમાં રાજ્યની ઉત્પત્તિ અંગે દૈવી સિદ્ધાંત, બળનો સિદ્ધાંત, સામાજિક કરારનો સિદ્ધાંત, આંગિક સિદ્ધાંત તેમજ ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત પ્રચલિત છે. લગભગ તેવી જ રીતે પૌરસ્ત્ય દર્શનમાં પણ આવા વિચારો…
વધુ વાંચો >સપ્રુ તેજબહાદુર (સર)
સપ્રુ તેજબહાદુર (સર) (જ. 3 ડિસેમ્બર 1875, અલીગઢ; અ. 20 જાન્યુઆરી 1949, દિલ્હી) : કૉંગ્રેસના મવાળ જૂથના નેતા, વાઇસરૉયની કારોબારી સમિતિમાં કાયદા વિભાગના સભ્ય (મંત્રી), અને ઇંગ્લૅન્ડની પ્રિવી કાઉન્સિલના સભ્ય. તેજબહાદુરનો જન્મ કાશ્મીરી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. આગ્રા કૉલેજમાંથી બી.એ. અને એમ.એ.ની ડિગ્રી પ્રથમ શ્રેણીમાં પ્રથમ આવીને મેળવી. એલએલ.બી. પાસ…
વધુ વાંચો >સભા અને સમિતિ – 1
સભા અને સમિતિ – 1 : ધર્મ, રાજ્ય, સમાજ, ન્યાય વગેરેનું માર્ગદર્શન કરનારી વિદ્વાનોની મંડળી. વેદમાં સભા, સમિતિ અને વિદથ નામની સંસ્થાઓના ઉલ્લેખ મળે છે. વિદથનો સંબંધ વિદ્યા, જ્ઞાન અને યજ્ઞ સાથે છે. તે સાર્વજનિક સંસ્થા છે. તેમાં જ્ઞાનગોષ્ઠિ, વાદવિવાદ અને વિચાર-વિનિમયને સ્થાન હતું, જ્યારે સભા અને સમિતિને રાજ્યશાસન સાથે…
વધુ વાંચો >સભા અને સમિતિ – ૨
સભા અને સમિતિ – 2 : પ્રાચીન કાળમાં આ નામ ધરાવતી અસ્થાયી સંસ્થાઓ. આ બંને શબ્દોના અર્થ અને સ્વરૂપ સંબંધે ભારે મતભેદ અભ્યાસીઓમાં પ્રવર્તે છે. ઋગ્વેદ અને અથર્વવેદના સાહિત્યમાં તેના ઉલ્લેખ હોવા છતાં તેના સ્વરૂપ અને કાર્યક્ષેત્ર અંગે ચોક્કસ વિગતો ઉપલબ્ધ નથી. તેને રાજકીય સંસ્થાઓ તરીકે ઓળખાવવાનો પ્રયાસ જોખમી છે.…
વધુ વાંચો >