રાજ્યશાસ્ત્ર

વ્હેલી વૉટસન જૉન (કર્નલ)

વ્હેલી વૉટસન જૉન (કર્નલ) (જ. 1838, પુણે; અ. 1889) : કાઠિયાવાડના 4થા પોલિટિકલ એજન્ટ તથા ગુજરાતના પુરાતત્વના જ્ઞાતા. પિતા વ્હેલી પુણેમાં બ્રિટિશ સરકારના એક અધિકારી હતા. 16 વર્ષની વયે જૉને ઇંગ્લૅન્ડમાં લશ્કરી તાલીમ પૂરી કરી ભારત આવી પુણે એક્સાઇન રેજિમેન્ટમાં ભરતી થયા. ક્રમશ: ઉત્તરોત્તર બઢતી મેળવતા જઈ 1862માં કૅપ્ટન થયા…

વધુ વાંચો >

શકધર, શ્યામલાલ

શકધર, શ્યામલાલ (જ. 1 નવેમ્બર 1918, શ્રીનગર, જમ્મુ અને કાશ્મીર; અ. 17 મે 2002) : ભારતીય લોકસભાના પૂર્વ સેક્રેટરી-જનરલ અને પૂર્વ મુખ્ય ચૂંટણી-અધિકારી. પિતા કે. આર. શકધર. પત્ની સર્ગાદેવી. ભારત સરકારના ઉચ્ચ કક્ષાના અધિકારી તરીકે તેમણે વિવિધ મંત્રાલયોમાં કામગીરી બજાવી હતી; પરંતુ દેશના પ્રજાસત્તાકના ઘડતરકાળમાં સંસદીય કાર્યપદ્ધતિ અને વ્યવહારને દૃઢ…

વધુ વાંચો >

શરણસ્થાન (asylum)

શરણસ્થાન (asylum) : એક દેશના નાગરિકને બીજા દેશે તેના રક્ષણ માટે આપેલ શરણ. શરણસ્થાન આપવાનો હક રાજ્યનો છે; તે તેની ફરજ નથી. શરણસ્થાન ત્રણ પ્રકારનાં હોય છે : (1) પ્રાદેશિક, (2) બિનપ્રાદેશિક અને (3) તટસ્થ. (1) પ્રાદેશિક શરણસ્થાન જે તે દેશ પોતાના પ્રદેશમાં જ આપે છે. (2) બિનપ્રાદેશિક શરણસ્થાન જે…

વધુ વાંચો >

શર્મા, બાલકૃષ્ણ ‘નવીન’

શર્મા, બાલકૃષ્ણ ‘નવીન’ (જ. 1897, ભયાના ગામ, મધ્યપ્રદેશ; અ. 29 એપ્રિલ 1960) : હિંદી કવિ અને રાજકારણી. બાળપણના નાથદ્વારાના વૈષ્ણવ પરિવેશની અસર એમના પર પડી. અગિયારમે વર્ષે શિક્ષણનો પ્રારંભ; 1917માં કાનપુરની ક્રાઇસ્ટ ચર્ચ કૉલેજમાં પ્રવેશ. માધ્યમિક શિક્ષણ મેળવ્યા બાદ ઉજ્જૈનની માધવ કૉલેજે કવિને રાજનીતિ પ્રત્યે આકર્ષિત કર્યા. 1916માં લખનૌ મુકામે…

વધુ વાંચો >

શર્મા, શંકર દયાળ (ડૉ.)

શર્મા, શંકર દયાળ (ડૉ.) (જ. 19 ઑગસ્ટ 1918, ભોપાલ, મધ્યપ્રદેશ; અ.  26 ડિસેમ્બર 1999, દિલ્હી) : ભારતના 10મા રાષ્ટ્રપ્રમુખ (25 જુલાઈ 1992થી 25 જુલાઈ 1997), સ્વાતંત્ર્યસેનાની અને અગ્રણી રાજકારણી. પિતા કુશીલાલ અને માતા સુભદ્રા. તેઓ તેજસ્વી શૈક્ષણિક કારકિર્દી ધરાવતા હતા અને અંગ્રેજી, હિન્દી અને સંસ્કૃત વિષયો સાથે અનુસ્નાતક પદવી મેળવી…

વધુ વાંચો >

શર્મા, સુખરામ

શર્મા, સુખરામ (જ. ?) : ભારતના રાજકારણમાં ભ્રષ્ટાચારના આરોપોના વારંવાર નિશાન બનેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી. કારકિર્દીની શરૂઆત હિમાચલ પ્રદેશના મંડી ખાતેની નગરપાલિકામાં સામાન્ય કારકુન તરીકે (1954). ભ્રષ્ટાચારના આરોપસર 1962માં તેમને છૂટા કરવામાં આવ્યા અને ત્યારબાદ તેમણે જાહેર જીવનમાં પ્રવેશ કર્યો. શરૂઆતમાં હિમાચલ પ્રદેશની ટેરિટૉરિયલ કાઉન્સિલના સભ્ય (1962-63), ત્યારપછી 1963-85 દરમિયાન…

વધુ વાંચો >

શાદાહ, આન્ટુન

શાદાહ, આન્ટુન (જ. 1904, બ્રાઝિલ; અ. 9 જુલાઈ 1949, બૈરૂત) : સીરિયાના રાજકીય ક્રાંતિકાર. મૂળ પોતાના વતનની પણ પાડોશી દેશોએ હડપ કરેલી જમીનને પાછી મેળવવા માટેની ચળવળના તેઓ પ્રણેતા હતા. વીસમી સદીની શરૂઆતમાં પિતા લૅટિન અમેરિકામાં સ્થળાંતર કરી ગયેલા. તેમણે શરૂ કરેલા સમાચારપત્રમાં આન્ટુન ધારદાર લખાણ લખતા. 1920માં કિશોરવયમાં દમાસ્કસના…

વધુ વાંચો >

શાસ્ત્રી, લાલબહાદુર

શાસ્ત્રી, લાલબહાદુર (જ. 2 ઑક્ટોબર 1904, મોગલસરાઈ, ઉત્તરપ્રદેશ; અ. 11 જાન્યુઆરી 1966, તાશ્કંદ, સોવિયેત સંઘ) : ભારતના બીજા વડાપ્રધાન. પિતા શારદાપ્રસાદનો મધ્યમવર્ગીય કાયસ્થ પરિવાર. માત્ર બે વર્ષની વયે પિતાનું અવસાન થયું. પ્રાથમિક શિક્ષણ માંડ માંડ મોગલસરાઈમાં પૂરું કર્યું. મા-દીકરો મામાને ત્યાં વારાણસીમાં આવીને રહ્યાં. શરીર નીચું પણ ઇરાદાઓ ઘણા ઊંચા.…

વધુ વાંચો >

શાહ, અમિત

શાહ, અમિત (જ. 22 ઑક્ટોબર 1964, મુંબઈ, મહારાષ્ટ્ર) : દેશના 31મા ગૃહમંત્રી, ભારતીય જનતા પાર્ટીના પૂર્વરાષ્ટ્રીય અધ્યક્ષ, ગુજરાતના પૂર્વગૃહમંત્રી. ભાજપના દિગ્ગજ નેતા અને ચૂંટણી-વ્યૂહરચનાકાર. અમિત શાહનો જન્મ મુંબઈસ્થિત ગુજરાતી પરિવારમાં થયો હતો. 16 વર્ષની ઉંમક સુધી પોતાના વતન માણસામાં રહીને અભ્યાસ કર્યો હતો. એ પછી તેમનો પરિવાર અમદાવાદ આવી વસ્યો…

વધુ વાંચો >

શાહ કમિશન

શાહ કમિશન : 26 જૂન 1975ના રોજ તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ દેશભરમાં જાહેર કરેલ કટોકટી દરમિયાન સરકાર દ્વારા કરવામાં આવેલા અત્યાચારોની તપાસ કરવા કમિશન ઑવ્ ઇન્ક્વાયરી ઍક્ટ, 1956ની જોગવાઈઓ અનુસાર નીમવામાં આવેલ તપાસ પંચ. આ એક-સદસ્યીય તપાસ પંચના અધ્યક્ષસ્થાને ન્યાયમૂર્તિ જે. સી. શાહની નિમણૂક થયેલી હોવાથી તે પંચ ‘શાહ કમિશન’ના…

વધુ વાંચો >