મ્યુઝિયમ

આસામ સ્ટેટ મ્યુઝિયમ, ગુવાહાટી

આસામ સ્ટેટ મ્યુઝિયમ, ગુવાહાટી (આસામ) (સ્થાપના 1940) : કામરૂપ અનુસંધાન સમિતિ (આસામ સંશોધન મંડળ) દ્વારા એકત્રિત કરાયેલ પુરાવસ્તુઓનો સંગ્રહ. આ પુરાવસ્તુઓના વિશાળ સંગ્રહને શિલાલેખો, સિક્કાઓ અને પ્રતિમાઓના વિભાગોમાં પ્રદર્શિત કરાયો છે. આસામ પ્રદેશમાંથી એકત્રિત કરાયેલ શિલ્પકૃતિઓને મુખ્ય ચાર વર્ગમાં મૂકી શકાય : પથ્થર, કાષ્ઠ, ધાતુ અને ટેરાકોટા. ગુપ્તકાળના પ્રાચીન ઉત્કીર્ણ…

વધુ વાંચો >

ઇન્ડિયન મ્યુઝિયમ-કોલકાતા

ઇન્ડિયન મ્યુઝિયમ-કોલકાતા : ભારતનું જૂનામાં જૂનું અને મોટામાં મોટું સમૃદ્ધ મ્યુઝિયમ. બે વિભાગોથી શરૂ થયેલું આ મ્યુઝિયમ આજે છ વિભાગો અને અનેક વીથિઓ (galleries) ધરાવે છે. આમાં પુરાતત્વ, કલા, નૃવંશશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર અને પ્રાણીશાસ્ત્રનો સમાવેશ થાય છે. 1865માં તેના નવા મકાનની શિલારોપણવિધિ થઈ અને 1875માં તૈયાર થયેલા મકાનમાં નવી વીથિઓની…

વધુ વાંચો >

એશિયાટિક સોસાયટી

એશિયાટિક સોસાયટી (1784) : ભારતીય કલા, શાસ્ત્રો, પ્રાચીન સાહિત્ય, ઇતિહાસ અને પ્રાચીન અવશેષો અને સંસ્કૃત ભાષાના જ્ઞાનભંડારોનો શાસ્ત્રીય પદ્ધતિથી અભ્યાસ કરવા માટે 1784માં સ્થપાયેલી સોસાયટી. એશિયાટિક સોસાયટીની સ્થાપના સૌપ્રથમ કોલકાતામાં વિલિયમ જૉન્સ નામના કાયદાશાસ્ત્રી અને પ્રાચ્યવિદ્યાવિશારદે (1746-94) ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ગવર્નર જનરલ વૉરન હેસ્ટિંગ્સના પ્રોત્સાહનથી કરી હતી. વિલિયમ ચેમ્બર્સ, ગ્લૅડવિન,…

વધુ વાંચો >

કેલિકો મ્યુઝિયમ ઑવ્ ટેક્સ્ટાઇલ્સ

કેલિકો મ્યુઝિયમ ઑવ્ ટેક્સ્ટાઇલ્સ : ભારતનાં મધ્યયુગીન ભાતીગળ કાપડ અને વસ્ત્રોનું અમદાવાદ ખાતે આવેલું મ્યુઝિયમ. ગિરાબહેન સારાભાઈના અથાક પ્રયત્નો વડે સર્જાયેલા દુર્લભ સંગ્રહમાંથી આ મ્યુઝિયમ સર્જાયું છે. ભારતનાં ટોચનાં મ્યુઝિયમોમાં તેનું સ્થાન છે. 1949માં જવાહરલાલ નહેરુએ તેનું ઉદઘાટન કરેલું. મૂળમાં કેલિકો મિલ્સના પરિસરમાં સ્થપાયેલું આ મ્યુઝિયમ હાલમાં શાહીબાગ વિસ્તારમાં જૂના…

વધુ વાંચો >

ક્લાર્ક, કૅનિથ મેક્કૅન્ઝી

ક્લાર્ક, કૅનિથ મેક્કૅન્ઝી (જ. 13 જુલાઈ 1903, લંડન, બ્રિટન; અ. 21 મે 1983, હાઈથી, કૅન્ટ, બ્રિટન) : યુરોપિયન કલાના ઇતિહાસમાં ઊંડું સંશોધન કરનાર પ્રસિદ્ધ બ્રિટિશ કલા-ઇતિહાસકાર અને મ્યુઝિયમ-ક્યુરેટર. ધનાઢ્ય સ્કૉટિશ પરિવારમાં ક્લાર્ક જન્મ્યા હતા. પિતા કાપડનો ધંધો કરતા હતા. ઑક્સફર્ડ ખાતેની વિન્ચેસ્ટર કૉલેજ અને ટ્રિનિટી કૉલેજમાં તેમણે કલાના ઇતિહાસનો અભ્યાસ…

વધુ વાંચો >

ખેતીવાડીવિષયક મ્યુઝિયમ, આણંદ

ખેતીવાડીવિષયક મ્યુઝિયમ, આણંદ : ગુજરાતનું કૃષિવિદ્યાનું સંગ્રહાલય. કૃષિધામ સરદાર સ્મૃતિ કેન્દ્ર (મ્યુઝિયમ) આણંદ  ગુજરાત કૃષિ યુનિવર્સિટી હસ્તક છે. સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિ ગુજરાતના કૃષિકારવર્ગમાં ચિરંજીવ રહે; એટલું જ નહિ, પરંતુ નવોદિત યુવાકૃષિવર્ગને પ્રેરણારૂપ બને તે હેતુથી આ મ્યુઝિયમની સ્થાપના 19 ઑક્ટોબર, 1975ના રોજ થઈ હતી. આમાં કૃષિવિજ્ઞાનની માહિતીનો સંગ્રહ છે…

વધુ વાંચો >

ગવર્નમેન્ટ મ્યુઝિયમ, અલ્વર (રાજસ્થાન)

ગવર્નમેન્ટ મ્યુઝિયમ, અલ્વર (રાજસ્થાન) : અલ્વરના પુરાણા સિટી પૅલેસમાં આવેલું મ્યુઝિયમ. તેની સ્થાપના મહારાજ જયસિંહ તથા વિનયસિંહે કરેલી. તેમાં પ્રાદેશિક શિલ્પકૃતિઓ, ચિત્રો, હસ્તપ્રતો અને અલ્વરના રાજકુટુંબને લગતી સંખ્યાબંધ ચીજવસ્તુઓનો સંગ્રહ ખાસ જોવાલાયક છે. હોકાનું સ્ટૅન્ડ, ચામરો, પેનહોલ્ડરો, જમવાનાં સોનાચાંદીનાં વાસણો, પેટી, પટારા, ડાબલીઓ અને શણગારેલ ફૂલદાનીઓ જેવી મહેલ-વપરાશની વસ્તુઓ ઓગણીસમી…

વધુ વાંચો >

ગવર્નમેન્ટ મ્યુઝિયમ ઍન્ડ નૅશનલ ગૅલરી, મદ્રાસ (ચેન્નાઈ)

ગવર્નમેન્ટ મ્યુઝિયમ ઍન્ડ નૅશનલ ગૅલરી, મદ્રાસ (ચેન્નાઈ) : રાષ્ટ્રીય ખ્યાતિ પામેલું ચેન્નાઈનું વિશાળ મ્યુઝિયમ. 1851માં આ મ્યુઝિયમની સ્થાપના થઈ. 1828થી ચેન્નાઈની લિટરરી સોસાયટીએ ચેન્નાઈમાં ભૂસ્તરશાસ્ત્રનું મ્યુઝિયમ રચવાની શરૂઆત કરેલી અને 1850માં ગ્રીન બેલ્ફેરનાં ખંતભર્યાં સાથ-સંભાળથી ફૉર્ટ સેન્ટ જ્યૉર્જની કૉલેજમાં આ મ્યુઝિયમ શરૂ થયું. મ્યુઝિયમની સ્થાપના સમયે 19,830 નમૂના એકઠા થયા…

વધુ વાંચો >

ગવર્નમેન્ટ મ્યુઝિયમ, મથુરા (ઉત્તરપ્રદેશ)

ગવર્નમેન્ટ મ્યુઝિયમ, મથુરા (ઉત્તરપ્રદેશ) (સ્થાપના : 1874) : પ્રારંભમાં કર્ઝન મ્યુઝિયમ ઑવ્ આર્કિયૉલૉજી તરીકે ઓળખાતું મ્યુઝિયમ. 1912માં ઉત્તરપ્રદેશની સરકારે તેનો વહીવટ સંભાળ્યો તે પછી 1930માં તેની તમામ શિલ્પકૃતિઓ તથા કલાસંગ્રહ નવા મકાનમાં ખસેડવામાં આવ્યાં હતાં. તે પહેલાં તેમાંની ઉત્તમ શિલ્પકૃતિઓ ઇન્ડિયન મ્યુઝિયમ, કૉલકાતામાં; લખનૌના મ્યુઝિયમમાં અને બ્રિટિશ મ્યુઝિયમ, લંડન જેવાં…

વધુ વાંચો >

ગાંધી મેમોરિયલ રેસિડેન્શિયલ મ્યુઝિયમ, પોરબંદર

ગાંધી મેમોરિયલ રેસિડેન્શિયલ મ્યુઝિયમ, પોરબંદર : પોરબંદરમાં શ્રીનાથજીની હવેલી પાછળ આવેલા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના મૂળ મકાન નજીક આવેલું સ્મારક મ્યુઝિયમ. આઝાદી પછી તે ગાંધી મેમોરિયલ રેસિડેન્શિયલ મ્યુઝિયમમાં ફેરવાઈ ગયું છે. કીર્તિમંદિર તરીકે તે જાણીતું છે. આ પ્રકારના સંગ્રહ સ્મારક મ્યુઝિયમમાં આ સ્થળ સર્વાંશે શ્રેષ્ઠ અને સમસ્ત માનવજાતિ માટે પ્રેરણારૂપ છે.…

વધુ વાંચો >