ફારસી સાહિત્ય

મોહમ્મદ સાલિહ કમ્બૂહ

મોહમ્મદ સાલિહ કમ્બૂહ (જ.–; અ. 1651) : મુઘલ યુગના ફારસી લેખક. મુઘલ યુગમાં શહેનશાહ શાહજહાઁનો સમય ભારતીય ઇતિહાસનો સુવર્ણયુગ લેખાય છે. સ્થાપત્યની સાથે કલા અને સાહિત્યને પણ ઉત્તેજન મળ્યું. લાહોર જેવા ઐતિહાસિક શહેરે અનેક સાહિત્યકારો અને વિદ્વાનોની ભેટ ધરી છે. મોહંમદ સાલિહ કમ્બૂહ પણ આ જ ઐતિહાસિક નગરના રહેવાસી હતા.…

વધુ વાંચો >

મૌલાના શકેબી

મૌલાના શકેબી (જ. 1557, ઇસ્ફહાન નજીક; અ. 1614, દિલ્હી) : ફારસી કવિ. મૂળ નામ મુહમ્મદ રિઝા છે. તેમના પિતા ખ્વાજા ઝહીરુદ્દીન અબ્દુલ્લાહ ઇસ્ફહાનના એક પ્રસિદ્ધ સંતપુરુષ હતા. મૌલાના જામીએ પણ તેમની કૃતિ ‘નફહાતુલ ઉન્સ’માં શકેબીના જીવનની થોડી વિગતો નોંધી છે. મૌલાના શકેબી જીવનનાં શરૂઆતનાં વર્ષોમાં ઇસ્ફહાનથી ખુરાસાન આવ્યા અને શીરાઝના…

વધુ વાંચો >

રશીદ યાસ્મી

રશીદ યાસ્મી (જ.1897, ગહવારા, જિ. ગોલાન, સીરિયા; અ. 1952, તેહરાન) : ફારસી ભાષાના કવિ, લેખક, પત્રકાર, અનુવાદક અને વિવેચક. તેમનું મૂળ નામ ગુલામ રઝા અને પિતાનું નામ વલીખાં મીરપંચ હતું. તેમના વડીલો કુર્દ વંશના હતા. પિતા વિદ્યાપ્રેમી, સારા લહિયા, ચિત્રકાર, લેખક અને કવિ હતા. 8 વર્ષની ઉંમરે રશીદે તેમના પિતા ગુમાવ્યા. તેમના…

વધુ વાંચો >

રિઝા, તાજુદ્દીન

રિઝા, તાજુદ્દીન (અ. 1236) : મધ્ય યુગના ભારતના ઉચ્ચ કોટિના ફારસી કવિ. તેઓ ભારતીય મૂળના અને દિલ્હીના રહેવાસી હતા. તેમણે દિલ્હીના ગુલામ વંશના સુલતાન શમ્સુદ્દીન ઇલતુતમિશ (1210–1236) તથા તેમના પુત્ર સુલતાન રુક્નુદ્દીન ફીરુઝશાહ(અ. 1236)ના દરબારી કવિ તથા મંત્રી તરીકે નામના મેળવી હતી. કવિ તાજુદ્દીનનું કદ નાનું હતું તેથી અને તાજુદ્દીન…

વધુ વાંચો >

રૂદકી સમરકન્દી

રૂદકી સમરકન્દી (જ. આશરે 865, બન્જ [પંચદહ], રૂદક, સમરકંદ; અ. 940) : દસમા સૈકાના પ્રખર ફારસી કવિ. તેમનું મૂળ નામ અબુ અબ્દુલ્લાહ જાફર બિન મુહમ્મદ બિન હકીમ બિન અબ્દુર્રહમાન બિન આદમ હતું. રૂદકી ‘રૂદ’ (એક પ્રકારનું વાજિંત્ર) સરસ વગાડતા. તેને લીધે તેમણે પોતાનું કવિનામ ‘રૂદકી’ રાખેલું. તેમના જન્મ અને અવસાનનાં…

વધુ વાંચો >

રૂમી, જલાલુદ્દીન (મૌલાના)

રૂમી, જલાલુદ્દીન (મૌલાના) (જ. 30 સપ્ટેમ્બર 1207, બલ્ખ, અફઘાનિસ્તાન; અ. 17 ડિસેમ્બર 1273) : મહાન સૂફી સંત અને ફારસી ભાષાના કવિ. તેમનું મૂળ નામ જલાલુદ્દીન મુહમ્મદ બિન બહાઉદ્દીન મુહમ્મદ બિન હુસેન અલખતેલી હતું. તેમના પિતા બહાઉદ્દીન વલ્દ જાણીતા આધ્યાત્મિક ધર્મોપદેશક, લેખક તથા શિક્ષક હતા. તેમની ખ્યાતિ એક નિષ્ઠાવાન અને સમર્થ…

વધુ વાંચો >

વાકિફ, બટાલવી

વાકિફ, બટાલવી (અ. 1780) : ફારસી ભાષાના કવિ. તેમની કવિતામાં કાલ્પનિક વિષયોને બદલે સમકાલીન પરિસ્થિતિ તથા ઘટનાઓનું પ્રતિબિંબ પડે છે. તેનું નામ નૂરૂલ ઐન હતું અને તેમનું કુટુંબ પરંપરાગત રીતે બટાલા શહેરનું કાઝી પદ સંભાળતું હતું. વાકિફે કાઝીપદનો ત્યાગ કરીને સૂફી જીવન ઉપર પસંદગી ઉતારી અને કવિનો વ્યવસાય અખત્યાર કર્યો.…

વધુ વાંચો >

શકીલ બદાયૂની

શકીલ બદાયૂની (જ. 3 ઑગસ્ટ 1916, બદાયૂં, ઉત્તરપ્રદેશ; અ. 20 એપ્રિલ 1970) : શાયર અને ચલચિત્રોના ગીતકાર. ચલચિત્રો માટે અર્થપૂર્ણ ગીતો રચનારા શકીલ બદાયૂનીના પિતા મૌલાના જમીલ એહમદ ઓખ્તા કાદરી એવું ઇચ્છતા હતા કે શકીલ ભણીગણીને કાબેલ બને, એટલે તેમણે તેને ઘેર બેઠાં જ અરબી, ફારસી, ઉર્દૂ અને હિંદીનું શિક્ષણ…

વધુ વાંચો >

શમ્સુદ્દીન અહમદ

શમ્સુદ્દીન અહમદ (જ. 18 જૂન 1931, શ્રીનગર, કાશ્મીર, જમ્મુ અને કાશ્મીર) : ઉર્દૂ, કાશ્મીરી અને ફારસી લેખક અને વિદ્વાન સંશોધક. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી એમ.એ., એલએલ.બી. તથા ઈરાનમાં તેહરાનની યુનિવર્સિટીમાંથી ડી.લિટ.ની પદવી પ્રાપ્ત કરી હતી. તેઓ કાશ્મીરની યુનિવર્સિટીમાં ફારસી વિભાગના પ્રાધ્યાપક અને વડા; ડીન ઑવ્ આર્ટ; ડીન ઑવ્ ઑરિયેન્ટલ લૅંગ્વેજિઝ;…

વધુ વાંચો >

શાહ, અબ્દુર્રહીમ દેહલવી

શાહ, અબ્દુર્રહીમ દેહલવી (જ. 1645, દિલ્હી; અ. 1718) : ફારસીના પ્રખર સૂફી વિદ્વાન. તેમના વડવાઓ અરબ હતા અને ઈરાન થઈને હિંદુસ્તાનમાં આવી વસેલા. તેમના ખાનદાનમાં કેટલીય પેઢીઓ સુધી કાજીનો પરંપરાગત વ્યવસાય હતો. પછીના વંશજો સૈન્યમાં જોડાયેલા. શાહના પિતા શેખ વજીહુદ્દીન એક બહાદુર સૂફી હતા અને ડાકુઓ સાથેની ઝપાઝપીમાં શહીદ થયેલા.…

વધુ વાંચો >