ધર્મ-પુરાણ

વર્ધમાનચરિત (वड्ढमाण-चरिउ)

વર્ધમાનચરિત (वड्ढमाण-चरिउ) : જૈન ધર્મનું મહાવીર વિશેનું એક પુરાણ. વર્ધમાનચરિત (वड्ढमाण-चरिउ) એક પૌરાણિક મહાકાવ્ય છે. તેમાં પુરાણ-પુરુષ મહાવીરના ચરિતનું આલેખન થયું છે. મહત્વનાં જૈન પુરાણોમાં તેની ગણના થાય છે. આ પુરાણો-મહાકાવ્યોમાં અનેક ચમત્કારો અને અલૌકિક તેમજ અતિપ્રાકૃતિક ઘટનાઓની સાથે સાથે ધાર્મિક, દાર્શનિક, સૈદ્ધાન્તિક તેમજ આચારવિષયક માન્યતાઓ તથા ધર્મોપદેશ આદિનો સમાવેશ…

વધુ વાંચો >

વલ

વલ : વેદમાં ઉલ્લેખાયેલ અસુર કે રાક્ષસ. ઋગ્વેદમાં ઇન્દ્ર મુખ્યત્વે યોદ્ધાના રૂપમાં આવે છે. એમના શત્રુઓની સામાન્યત: બે શ્રેણીઓ છે : (1) કોઈક સૂક્ષ્મ તત્વનું પ્રતીક હોય અને ઇન્દ્રશત્રુ તરીકે પ્રતિષ્ઠિત થઈ જાય; જેમ કે વૃત્ર, અહિ વગેરે; (2) પાર્થિવ હોય, વ્યક્તિવાચક હોય, ઇન્દ્રશત્રુ તરીકે પ્રતિષ્ઠિત થઈ જાય જેમકે, શંબર.…

વધુ વાંચો >

વલ્લભાચાર્ય મહાપ્રભુજી

વલ્લભાચાર્ય મહાપ્રભુજી (ઈ. 14791531) : હિંદુ ધર્મમાં શુદ્ધાદ્વૈત, પુષ્ટિમાર્ગ નામના વૈષ્ણવ સંપ્રદાયના સ્થાપક આચાર્ય. શ્રીમદભાગવદગીતામાં વૈદિક હિંસાત્મક દ્રવ્યયજ્ઞો કરતાં જ્ઞાનયજ્ઞો ઉત્તમ છે એ અને પછી ભક્તિની મહત્તા બતાવવામાં આવેલ છે. આ સિદ્ધાંત વ્યાપક બનતાં ઈ. પૂ. દસેક સદી પૂર્વે ભક્તિની મહત્તા સ્થાપતો અને વિષ્ણુ-નારાયણ તેમજ વાસુદેવને પરમ ઇષ્ટ માની એમના…

વધુ વાંચો >

વસિષ્ઠ મૈત્રાવરુણ

વસિષ્ઠ મૈત્રાવરુણ : ભારતીય વેદકાળથી જાણીતા ઋષિ. વેદ, રામાયણ-મહાભારત અને પુરાણોમાં વસિષ્ઠ પ્રસિદ્ધ રહ્યા છે. મંત્રદ્રષ્ટા, બ્રહ્મર્ષિ, તત્વજ્ઞાની, સ્મૃતિકાર, વાસ્તુશાસ્ત્રજ્ઞ – એમ અનેક રીતે તેઓ પ્રસિદ્ધ છે. પોતાના તપોબળે તેઓ સપ્તર્ષિમાં સ્થાન પામેલા છે. કર્દમ ઋષિની પુત્રી અરુન્ધતી એમનાં પત્ની હતાં. એમનું દામ્પત્ય આદર્શરૂપ છે. એમના પુત્રોમાં શક્તિ અને પૌત્રોમાં…

વધુ વાંચો >

વસુદેવ

વસુદેવ : યદુવંશી શૂર અને મારિષાના પુત્ર, કૃષ્ણના પિતા, કુંતીના ભાઈ અને મથુરાના રાજા ઉગ્રસેનના મંત્રી. તેમનાં લગ્ન દેવક કે બાહુકની સાત કન્યાઓ સાથે થયાં હતાં જેમાં દેવકી સહુથી મુખ્ય હતી. દેવકીનો આઠમો પુત્ર કંસનો વધ કરશે એવી આકાશવાણીને કારણે કંસે પોતાની બહેન દેવકી અને બનેવી વસુદેવને કારાગૃહમાં રાખ્યાં હતાં…

વધુ વાંચો >

વસુનન્દિશ્રાવકાચાર

વસુનન્દિશ્રાવકાચાર : જૈન ધર્મના ઉપાસકના આચાર વિશેનો ગ્રંથ. શ્રાવક એટલે જૈન ગૃહસ્થ, જૈન ઉપાસક. શ્રાવકાચાર એટલે જૈન ગૃહસ્થનો આચારધર્મ. વસુનન્દિએ (ઈ. સ. 1100 લગભગ) આ વિષય ઉપર રચેલી કૃતિનું નામ છે ‘વસુનન્દિશ્રાવકાચાર’. તેને ‘ઉપાસકાધ્યયન’ પણ કહેવામાં આવે છે. તે 546 પ્રાકૃત ગાથાઓમાં નિબદ્ધ છે. તેમાં અગિયાર પ્રતિમાઓના આધારે શ્રાવકધર્મનું નિરૂપણ…

વધુ વાંચો >

વસુબંધુ

વસુબંધુ : બૌદ્ધ ધર્મના મહત્ત્વના વિદ્વાન. તેઓ ગાંધાર(હાલના પેશાવરનો ભાગ)માં જન્મ્યા હોવાની માન્યતા છે. અહીં ચીનના વિદ્વાન યુઅન-શ્વાંગે વસુબંધુના મૃત્યુના ઉલ્લેખવાળી તકતી જોઈ હતી. તેથી વસુબંધુનો સમય સાતમી સદીનો ગણવામાં આવે છે. તેમનો સમય 280-360નો પણ માનવામાં આવે છે (ભટ્ટાચાર્ય બી., ધી ઇન્ડિયન બુદ્ધિસ્ટ આઇકોનોગ્રાફી, પૃ. 12). જોકે આ સમયગાળો…

વધુ વાંચો >

વંશ બ્રાહ્મણ

વંશ બ્રાહ્મણ : પ્રાચીન ભારતીય બ્રાહ્મણગ્રંથ. કૌથુમ શાખાના સામવેદના આઠ બ્રાહ્મણો છે : (1) પંચવિંશ, (2) ષડ્વિંશ, (3) સામવિધાન, (4) આર્ષેય, (5) મંત્ર, (6) દેવતાધ્યાય, (7) વંશ, (8) સંહિતોપનિષદ. આમાંથી ‘વંશ બ્રાહ્મણ’નું સૌપ્રથમ સંપાદન એ. વેબરે કર્યું છે. (Ladische Studien, Vol. IV, pp. 271-386) ત્યારપછી એ. સી. બર્નેલે ઈ. સ.…

વધુ વાંચો >

વાક્ – 1 (વૈદિક)

વાક્ – 1 (વૈદિક) : વૈદિક ખ્યાલ. વૈદિક વિચારધારામાં वाक्(વાણી)નું અત્યંત મહત્વપૂર્ણ નિરૂપણ થયેલું છે. સંસ્કૃતના वच (વચ્) ધાતુ ઉપરથી બનેલ ‘वाक्’ શબ્દનો અર્થ ‘વાણી’ એમ થાય છે. મહર્ષિ યાસ્કન ‘નિરુક્ત’ના આરંભમાં ‘નિઘણ્ટુ’ નામના ગ્રંથમાં वाक् (વાક્) માટે 57 જેટલા પર્યાયો આપેલા છે. સૌપ્રથમ તો ‘વાક્’ માટે ઋગ્વેદના દશમ મંડલમાં…

વધુ વાંચો >

વાજસનેયી પ્રાતિશાખ્ય

વાજસનેયી પ્રાતિશાખ્ય : શુક્લ યજુર્વેદનો ગ્રંથ. પ્રત્યેક વેદની સંહિતાની અનુશ્રવણ પરંપરામાં પાછળથી શિથિલતા આવવાથી મૂળ પાઠ સચવાઈ રહે તેથી વર્ણ-સન્ધિ-સ્વર-માત્રા વગેરેના નિયમો આચાર્યોએ ગ્રન્થસ્થ કરી આપ્યા. પ્રત્યેક શાખાના તેવા આ ગ્રંથો અલગ અલગ હોવાથી પ્રાતિશાખ્ય (પ્રતિશાખા પ્રમાણે) કહેવાયા; ઈ. પૂ. 700થી ઈ. પૂ. 500માં લગભગ આ રચનાઓ થઈ. હાલમાં ઉપલબ્ધ…

વધુ વાંચો >