ધર્મ-પુરાણ
ત્વષ્ટા
ત્વષ્ટા : વેદમાં સ્તુતિ કરાયેલા દેવો પૈકી એક. વેદાંગ નિરુક્તના લેખક યાસ્કે તેનાં ત્રણ નિર્વચનો આપ્યાં છે : (1) જે ઝડપથી ફેલાય છે તે એટલે કે વાયુ. (2) જે પ્રકાશે છે તે એટલે વિદ્યુતમાં રહેલો અગ્નિ. (3) જે પ્રકાશે છે તે એટલે આકાશમાં રહેલો સૂર્ય. ભાગવતમાં જણાવ્યા મુજબ બાર આદિત્યોમાં…
વધુ વાંચો >થેર-થેરી ગાથા
થેર-થેરી ગાથા : બૌદ્ધ સાધુ અને સાધ્વીના જીવનનિયમો આપતા ગ્રંથ. બૌદ્ધોના ધર્મગ્રંથ ત્રિપિટકમાંના સુત્તપિટકમાં ખુદ્ નિકાયમાં આવેલા મહત્વપૂર્ણ ગ્રંથોમાં ક્રમશ: બૌદ્ધ ભિક્ષુઓ અને ભિક્ષુણીઓએ પોતાના જીવનના સિદ્ધાંત તથા ઉદ્દેશને ચિત્રિત કરતી જે ગાથાઓ લખી છે તેનો સંગ્રહ કરવામાં આવ્યો છે. બૌદ્ધ શાસનનો સ્વીકાર કરી સાંસારિક જીવનની વિષમતા અને કટુતાને પી…
વધુ વાંચો >થેરવાદ
થેરવાદ : બૌદ્ધ ધર્મના સાધુઓને લગતો એક સાંપ્રદાયિક સિદ્ધાંત. સંઘભેદની પ્રવૃત્તિ બુદ્ધના જીવનકાળથી અસ્તિત્વમાં હતી. સંઘભેદક તરીકે દેવદત્ત પ્રસિદ્ધ છે. દેવદત્ત વિનયની કઠોરતાનો પુરસ્કર્તા હતો. બુદ્ધનું વલણ ઉદાર હતું. બુદ્ધનિર્વાણ પછીના પ્રથમ વર્ષાવાસમાં થયેલી પહેલી સંગીતિ વખતે અને બુદ્ધનિર્વાણ પછી એકસો વર્ષે થયેલી બીજી સંગીતિ વખતે સંઘભેદની પરિસ્થિતિ નિર્માણ તો…
વધુ વાંચો >દત્તાત્રેય
દત્તાત્રેય : હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુના અવતાર ગણાયેલા અવધૂત યોગી. તેઓ અત્રિ ઋષિ અને સતી અનસૂયાના પુત્ર હતા. ભગવાન બ્રહ્માના પૌત્ર હતા. મહાભારત મુજબ તેમના પુત્રનું નામ નિમિ ઋષિ હતું. તેમની બહેન અમલા બ્રહ્મનિષ્ઠ ઋષિકા હતી. દુર્વાસા, સોમ અને અર્યમા તેમના ભાઈઓ હતા. તેમના શિષ્યોમાં અલર્ક, પ્રહ્લાદ, યદુ અને સહસ્રાર્જુન…
વધુ વાંચો >દધિક્રા (વૈદિક દેવતા)
દધિક્રા (વૈદિક દેવતા) : મહદંશે દેવતાઓનાં ચરિત્રો નિરૂપતા વેદોમાં કેટલાંક પશુ-પક્ષીઓને પણ સ્થાન મળ્યું છે. ‘નિઘણ્ટુ’માં અશ્વના પર્યાય તરીકે ઉલ્લેખિત દધિક્રા એક દિવ્ય યુદ્ધાશ્વ તરીકે સમાવિષ્ટ છે. વિજેતા યોદ્ધાની જેમ, વિષમ વનમાર્ગોમાં પણ સફળતાપૂર્વક આક્રમણ કરતા દધિક્રાનાં – વાયુ સમાન વેગનાં, તાર્ક્ષ્ય અને શ્યેન જેવી પાંખો હોવાનાં, દસ્યુઓને હાંકી કાઢવાનાં…
વધુ વાંચો >દરવેશ
દરવેશ : બંગાળમાં થઈ ગયેલા ચૈતન્ય સંપ્રદાયનો એક પેટાસંપ્રદાય. ચૈતન્યની ભક્તિ રસરૂપા હતી, જે શ્રીકૃષ્ણની આસપાસ વિસ્તરેલી છે. સનાતન ગોસ્વામી ચૈતન્ય મહાપ્રભુને મળવા મુસ્લિમ ફકીરનો વેશ લઈને નીકળ્યા, તે સમયે તેમના જે અનુયાયીઓ હતા તેમાંથી આ પંથ નીકળ્યો એવી અનુશ્રુતિ છે. આ પંથના સિદ્ધાન્તોમાં ઇસ્લામની અસર સ્પષ્ટ દેખાય છે. તેઓ…
વધુ વાંચો >દવે, વિષ્ણુપ્રસાદ (પ્રસાદજી)
દવે, વિષ્ણુપ્રસાદ (પ્રસાદજી) (જ. 3 નવેમ્બર 1952, ઉપલેટા, જિલ્લો રાજકોટ) : પ્રાચીન સંતવાણીના જાણીતા ભજનિક. મૂળ વતન જેતપુર તાલુકાનું અમરનગર ગામ. શિક્ષણ એમ.એ., બીએડ્. સુધીનું. વ્યવસાયે શિક્ષક. વર્ષ 1972માં આકાશવાણી, રાજકોટ દ્વારા પ્રાચીન ભજનિક તરીકે માન્યતા મળી. અત્યાર સુધીની 35 વર્ષની ભજનયાત્રામાં અમદાવાદ, રાજકોટ અને ભુજના આકાશવાણી કેન્દ્ર પરથી તેમના…
વધુ વાંચો >દશરથ રાજા
દશરથ રાજા : પ્રાચીન ભારતના પ્રતાપી સૂર્યવંશી રાજા. સૂર્યથી ઉત્પન્ન થયેલા વૈવસ્વત મનુના પુત્ર ઇક્ષ્વાકુના નામ પરથી ‘ઇક્ષ્વાકુ વંશ’ પ્રચલિત થયો. તે પ્રથમ એવો સૂર્યવંશી રાજા હતો, જેણે અયોધ્યામાં શાસન કર્યું. આ ઇક્ષ્વાકુના કુળમાં દિલીપ રાજા પછી રઘુ નામે પ્રતાપી રાજા થયો અને તે વંશ રઘુવંશ તરીકે ઓળખાવા લાગ્યો. રઘુનો…
વધુ વાંચો >દસ આદેશ
દસ આદેશ : યહૂદી પ્રજાને ઈસુ ભગવાને આપેલા ધર્માચરણના દસ આદેશો. અંગ્રેજીમાં તેને ‘ટેન કમાન્ડમેન્ટ્સ’ કહે છે. બાઇબલમાં વર્ણવાયેલી ઇઝરાયલી પ્રજાની કથાને આધારે જાણવા મળે છે કે તે પ્રજા આજના ઇજિપ્તમાં લગભગ ચાર સો વર્ષથી વસવાટ કરે છે. ઇજિપ્તમાંનો એનો અંતિમ કાળ વેઠવૈતરું કરવામાં અને ત્યાંના રાજા અને પ્રજાને હાથે…
વધુ વાંચો >દસવેયાલિય
દસવેયાલિય (દશવૈકાલિક) : જૈનોના 45 આગમોમાંનાં ચાર મૂળ સૂત્રોમાંનું એક. તેના નિર્માતા શ્રીશય્યંભવાચાર્ય છે જેઓ બ્રાહ્મણ જાતિના પ્રખર વિદ્વાન અને પાછળથી જૈન થયેલા સાધુ હતા. પુત્ર મનક જે શિષ્ય હતો તેનું અલ્પ આયુ જાણી તેના બોધ માટે આજથી લગભગ 2400 વર્ષ પૂર્વે આની રચના કરી હતી. મહાવીરનિર્વાણ પછી 75થી 98…
વધુ વાંચો >