ધર્મ-પુરાણ

કેતુ (ગ્રહ)

કેતુ (ગ્રહ) : નવગ્રહોમાંનો એ નામનો એક ગ્રહ. એના રથને લાખના રંગના આઠ ઘોડા ખેંચે છે. જ્યોતિશાસ્ત્રના અનુસાર તે પ્રત્યેક સંક્રાંતિએ સૂર્યને ગ્રસે છે. કેતુના સ્વરૂપ અંગેની પૌરાણિક કથા પ્રસિદ્ધ છે. તદનુસાર સમુદ્રમંથનમાંથી પ્રાપ્ત થયેલ અમૃતને પીવા માટે બધા દેવો અને દાનવો પોતપોતાની પંક્તિમાં બેસી ગયા. ત્યારે અમરત્વની ઇચ્છાથી કેતુ…

વધુ વાંચો >

કૈકેયી

કૈકેયી : રામાયણનું પાત્ર. કેકયરાજ અશ્વપતિની કન્યા. દશરથની અતિપ્રિય કનિષ્ઠ પત્ની. કૈકેયીનો પુત્ર ગાદીવારસ થાય એ શરતે અશ્વપતિએ દશરથ સાથે તેને પરણાવેલી. કામલોલુપ દશરથે આ શરત સ્વીકારેલી. એક સમયે દેવ-દાનવયુદ્ધમાં દશરથ ઇન્દ્રની સહાયતા અર્થે ગયેલા ત્યારે તે કૈકેયીને સાથે લઈ ગયેલા. યુદ્ધમાં દશરથના રથચક્રનો ખીલો નીકળી ગયો ત્યારે કૈકેયીએ પોતાનો…

વધુ વાંચો >

કૉન્ફ્યૂશિયસ ધર્મ

કૉન્ફ્યૂશિયસ ધર્મ : ચીનમાં પ્રચલિત ધર્મ. ઈ. પૂ. છઠ્ઠી શતાબ્દી સમગ્ર વિશ્વમાં આધ્યાત્મિક નવચેતના અને વિચારક્રાંતિ લાવનાર શતાબ્દી તરીકે પ્રસિદ્ધ છે. આ સમય દરમિયાન ચીનમાં લાઓત્સે અને કૉન્ફ્યૂશિયસ થયા, ગ્રીસમાં પાર્મેનિડીઝ અને એમ્પીડોક્લીઝ થયા, ઈરાનમાં અષો જરથુષ્ટ્ર થયા અને ભારતવર્ષમાં ભગવાન બુદ્ધ અને મહાવીર થયા. અંતરના આ અક્ષય અને અમૂલ્ય…

વધુ વાંચો >

કૌરવ

કૌરવ : સોમવંશી સંવરણ અને તપતીના પુત્ર કુરુ રાજા હસ્તીના વંશજો અને એક જાતિવિશેષ. કૌરવોનો પ્રદેશ તે કુરુજાંગલ અથવા કુરુક્ષેત્ર. કુરુના મહાન તપથી કુરુક્ષેત્ર ધર્મક્ષેત્ર અને પરમ પવિત્ર તીર્થસ્થાન બન્યું. કુરુઓ અને કુરુક્ષેત્રનો નિર્દેશ વૈદિક વાઙ્મયમાં છે. પાંડુના પુત્રો પાંડવો સાથેના વિરોધ અને મહાયુદ્ધના કારણે કૌરવો એટલે ધૃતરાષ્ટ્રના એકસો પુત્રો…

વધુ વાંચો >

કૌલ સંપ્રદાય

કૌલ સંપ્રદાય : વામાચાર નામે જાણીતો તંત્રશાસ્ત્રનો પ્રાચીન સંપ્રદાય. તંત્રશાસ્ત્રમાં પૂર્વકાળથી ઉપાસનાના બે માર્ગ પ્રચલિત છે. એક છે સમય સંપ્રદાય અને બીજો કૌલ સંપ્રદાય. આ જ બે સંપ્રદાયો અનુક્રમે દક્ષિણાચાર અને વામાચાર નામે જાણીતા છે. કૌલ શબ્દ ‘કુલ’ ઉપરથી આવ્યો છે. ‘કુલ’ એટલે પ્રચલિત અર્થમાં કુટુંબ, વર્ગ, સમૂહ, સંપ્રદાય. તંત્રશાસ્ત્ર…

વધુ વાંચો >

કૌશલ્યા

કૌશલ્યા : દશરથ રાજાની અગ્રમહિષી અને રામ જેવા આદર્શ પુત્રની માતા. તેનો સર્વપ્રથમ ઉલ્લેખ વાલ્મીકિ રામાયણમાં પુત્ર-પ્રેમની આકાંક્ષિણી રૂપે મળે છે. આનંદ રામાયણમાં દશરથ અને કૌશલ્યના લગ્નનું વર્ણન વિસ્તારથી મળે છે. ગુણભદ્રકૃત ‘ઉત્તર-પુરાણ’માં કૌશલ્યાની માતાનું નામ સુબાલા અને પુષ્પદત્તના ‘પઉમચરિઉ’માં કૌશલ્યાનું બીજું નામ અપરાજિતા અપાયું છે. પરિસ્થિતિવશ કૌશલ્યા જીવનભર દુઃખી…

વધુ વાંચો >

ક્રૉસ

ક્રૉસ : ખ્રિસ્તી ધર્મનું ખાસ ચિહ્ન. ખ્રિસ્તી દેવળો, નિવાસસ્થાનો, કબ્રસ્તાનો વગેરેમાં જાતજાતના ક્રૉસ જોવા મળે છે. ખ્રિસ્તી પ્રાર્થનાઓ અને અન્ય ધર્મવિધિઓ ક્રૉસની નિશાનીથી શરૂ થાય છે. ભૂતપ્રેતની બીકથી બચવા, જોખમોનો સામનો કરવા, શુભ શુકનો દર્શાવવા વગેરે માટે ઘણા ઈસુપંથીઓ ગળે ક્રૉસ પહેરે છે. આવી ક્રૂસભક્તિ અને આસ્થાનું કારણ એ છે…

વધુ વાંચો >

ક્વેકર્સ

ક્વેકર્સ : ‘ધ સોસાયટી ઑવ્ ફ્રેન્ડ્ઝ’ તરીકે ઓળખાતો ખ્રિસ્તી ધર્મનો સંપ્રદાય, જે ઇંગ્લૅન્ડમાં સત્તરમી સદીમાં આંતરવિગ્રહના સમયે શરૂ થયેલો. તેના મૂળ પ્રવર્તક જ્યૉર્જ ફૉક્સ હતા. તેમની માન્યતા પ્રમાણે ઈશુ ખ્રિસ્ત અન્ય કોઈ માધ્યમ સિવાય સીધા જ તેમના અનુયાયીઓને પ્રાપ્ત થાય છે. તે બાહ્ય આચાર કે કર્મકાંડને બદલે અંત:પ્રેરણા અને મનશ્ચક્ષુને…

વધુ વાંચો >

ક્ષેત્રપાલ

ક્ષેત્રપાલ : ગામ કે શહેરના રક્ષક દેવતા. ગામ અને શહેરના રક્ષણ માટે દુષ્ટ જીવો અને દુષ્ટ આત્માઓને દૂર રાખવા માટે ક્ષેત્રપાલનું મંદિર ઈશાન ખૂણામાં કરવામાં આવે છે. જો મંદિર પશ્ચિમાભિમુખ હોય તો ઉત્તમ ગણાય છે, દક્ષિણાભિમુખ હોય તો મધ્યમ અને પૂર્વાભિમુખ હોય તો અધમ પ્રકારનું ગણાય છે. ક્ષેત્રપાલની મૂર્તિ ઊભેલી…

વધુ વાંચો >

ખપુટાચાર્ય

ખપુટાચાર્ય (ઈ.પૂ. 63ના અરસામાં હયાત) : જૈન શાસનના રક્ષક, મંત્રવિદ્ અને વિદ્યાસિદ્ધ જૈન આચાર્ય. ભરૂચ અને ગુડશસ્ત્રપુર તેમની વિહારભૂમિ હતી. કાલકાચાર્યના ભાણેજ બલમિત્ર લાટદેશના ભરૂચમાં ઈ. પૂ. પ્રથમ શતાબ્દીના ઉત્તરાર્ધમાં શાસન કરતા હતા ત્યારે તેઓ ભરૂચમાં વસતા હતા. તેમણે બૌદ્ધોને વાદવિવાદમાં પરાજિત કરી જૈન શાસનની રક્ષા કરી હતી. તેમના ચમત્કારો…

વધુ વાંચો >