દેવવ્રત પાઠક

ઍક્વાયનસ, ટૉમસ

ઍક્વાયનસ, ટૉમસ (જ. 1225, રોકેસેકા, નેપલ્સ પાસે; અ. 7 માર્ચ 1274, ફોસાનૌઆ, ઇટાલી) : યુરોપના મધ્યયુગના મહાન ચિંતક. 1244માં ખ્રિસ્તી ધર્મના ડૉમિનિકન ઑર્ડરના સભ્ય થયા પછી તેમણે પૅરિસ યુનિવર્સિટીમાં અધ્યાપનકાર્ય કર્યું હતું. તેઓ ‘ઍન્જેલિક ડૉક્ટર’ તરીકે જાણીતા હતા. તેરમી સદી યુરોપનો સંક્રાંતિકાળ હતો, તેમાં ગ્રીક ફિલસૂફીનો અનુવાદ સુલભ બન્યો તેનો…

વધુ વાંચો >

ઍચિસન, ડીન

ઍચિસન, ડીન (જ. 19 એપ્રિલ 1893, મિડલટન, કનેક્ટિક્ટ; અ. 12 ઑક્ટો. 1971, સૅન્ડિ સ્પ્રિંગ, મેરીલૅન્ડ) : પ્રમુખ ટ્રુમેનના સમયમાં અમેરિકાના વિદેશમંત્રી (1949-1953) અને યુદ્ધોત્તર વર્ષોમાં વિદેશનીતિના અગ્રગણ્ય ઘડવૈયા. યેલ તથા હાર્વર્ડ યુનિવર્સિટીમાં શિક્ષણ લીધા પછી વકીલાત કરી. પ્રમુખ રૂઝવેલ્ટે તેમને નાણાખાતાના ઉપસચિવ તરીકે 1933માં નીમ્યા. ત્યારબાદ 1941થી 1953 સુધીના ગાળામાં…

વધુ વાંચો >

એડેનોર, કોન્રાડ

એડેનોર કોન્રાડ (જ. 5 જાન્યુઆરી 1876, કોલોન; અ. 19 એપ્રિલ 1967, બૉન) : બીજા વિશ્વયુદ્ધ પછી પશ્ચિમ જર્મનીના પ્રથમ પ્રમુખ, તેની રાજકીય અને આર્થિક પ્રગતિના પુરસ્કર્તા તથા ‘નાટો’ કરારમાં પ. જર્મનીને મોખરાનું સ્થાન અપાવનાર નેતા. કોલોનના વતની અને તેના નગરપતિ (1919-1933). કૅથલિક સેન્ટર પક્ષના વડા તરીકે તે વાઇમર પ્રજાસત્તાકનાં વર્ષોમાં…

વધુ વાંચો >

એન્જેલ, નૉર્મન (સર)

એન્જેલ, નૉર્મન (સર) (જ. 26 ડિસેમ્બર 1873, હોલબીચ, ઇંગ્લૅન્ડ; અ. 7 ઑક્ટોબર 1967, સરે, ઇનગ્લેન્ડ) : 1933માં શાંતિનું નોબેલ પારિતોષિક મેળવનાર બ્રિટનના અર્થશાસ્ત્રી અને આંતરરાષ્ટ્રીય શાંતિનો પુરસ્કર્તા. મૂળ નામ રાલ્ફ નૉર્મન લેન. અમેરિકાના લાંબા સમયના નિવાસ દરમિયાન દેશ દેશ વચ્ચે લોકોમાં પ્રવર્તતા ભ્રમ વિશે તે જાગ્રત થયા અને તેના આધારે…

વધુ વાંચો >

ઍન્ઝુસ સંધિ (1951)

‘ઍન્ઝુસ’ (ANZUS) સંધિ (1951) : રશિયા સાથેના અંતર્યુદ્ધના ભાગ રૂપે મિત્રરાષ્ટ્રોએ કરેલ લશ્કરી કરાર. બીજા વિશ્વયુદ્ધ પછીનાં વર્ષોમાં રશિયા સાથેના ઠંડા યુદ્ધના ભાગ રૂપે અમેરિકાએ રુકાવટ(containment)ની નીતિ અપનાવી, તેના પરિણામે ઘણા દેશો સાથે ‘નાટો’ (North Atlantic Treaty Organization, 1949) જેવા લશ્કરી કરાર કરવામાં આવ્યા. એમાંનો એક તે ‘ઍન્ઝુસ’ કરાર એટલે…

વધુ વાંચો >

ઍમ્નેસ્ટી ઇન્ટરનૅશનલ

ઍમ્નેસ્ટી ઇન્ટરનૅશનલ : રાજકીય અટકાયતીઓ અને કેદીઓ પ્રત્યે અમાનુષી વર્તાવ તેમજ માનવહકનાં ઉલ્લંઘનો સામે દુનિયાનો લોકમત જાગ્રત કરતી લંડનસ્થિત આંતરરાષ્ટ્રીય સંસ્થા. માનવહકનો પ્રસાર અને તેનું સંવર્ધન તેનાં મુખ્ય કાર્ય રહ્યાં છે. સાર્વત્રિક ન્યાય અને સ્વાતંત્ર્ય માટે ઝઝૂમનાર અને તે દ્વારા શાંતિ પ્રસરાવનાર સંસ્થા તરીકે તેને 1977માં શાંતિનું નોબેલ પારિતોષિક અર્પણ…

વધુ વાંચો >

એમ્બોયા, ટૉમ

એમ્બોયા, ટૉમ (જ. 15 ઑગસ્ટ 1930, કીલીમા એમ્બોગા નૈરોબી પાસે; અ. 5 જુલાઈ 1969, નૈરોબી) : કેન્યાના સન્માન્ય રાજકીય નેતા તથા સ્વાતંત્ર્યસંગ્રામના લડવૈયા. તે લુઓ જાતિના હતા અને કેનિયન આફ્રિકન નૅશનલ યુનિયન(KANU)ના એક સ્થાપક હતા. તે સંસ્થા દ્વારા કેન્યાએ સ્વાતંત્ર્ય હાંસલ કર્યું હતું (1963). શરૂઆતની કારકિર્દી દરમિયાન તેઓ મજૂર મંડળોમાં…

વધુ વાંચો >

એસર તૉબિયાસ

એસર તૉબિયાસ (જ. 28 એપ્રિલ 1838, ઍમસ્ટરડૅમ, નેધરલેન્ડઝ; અ. 29 જુલાઈ 1913, હેગ, નેધરલેન્ડઝ) : પ્રથમ હેગ શાંતિ પરિષદમાં લવાદીની કાયમી અદાલત(Permanent Court of Arbitration)ની રચનામાં મહત્વનો ફાળો આપવા બદલ (ઑસ્ટ્રિયાના આલ્ફ્રેડ ફ્રીડ સાથે) 1911નું શાંતિ માટેનું નોબેલ પારિતોષિક મેળવનાર ડચ ન્યાયવિદ. 1862થી 1893 સુધી યુનિવર્સિટી ઑવ્ ઍમસ્ટરડૅમમાં આંતરરાષ્ટ્રીય કાયદાના…

વધુ વાંચો >

ઑફિસ ઑવ્ ધ યુનાઇટેડ નૅશન્સ હાઇકમિશનર રેફ્યુઝિઝ (જિનીવા)

ઑફિસ ઑવ્ ધ યુનાઇટેડ નૅશન્સ હાઇકમિશનર રેફ્યુઝિઝ (જિનીવા) : નિર્વાસિતોના પુનર્વસવાટ માટેની આંતરરાષ્ટ્રીય સંસ્થા. આ સંસ્થાને 1954નું શાંતિનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. પ્રથમ તેમજ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અને પછી નિર્વાસિતોના પુનર્વસવાટના પ્રશ્ને ગંભીર સ્વરૂપ લીધું હતું. આ માટે 194૩માં સંયુક્ત રાષ્ટ્રસંઘે યુ. એન. રિલીફ ઍન્ડ રીહેબિલિટેશન એજન્સી(U.N.R.R.A.)ની સ્થાપના…

વધુ વાંચો >

ઑરબૉઇડ ઑવ્ બ્રેચીન, લૉર્ડ જૉન

ઑરબૉઇડ ઑવ્ બ્રેચીન, લૉર્ડ જૉન (જ. 21 સપ્ટેમ્બર 1880, કીલમોર્સ, આયર-શાયર; અ. 25 જૂન 1971, એડઝલ, એન્ગસ) : 1949નો શાન્તિ માટેનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર આહાર અને પોષણના વિષયના નિષ્ણાત બ્રિટિશ વૈજ્ઞાનિક. ગ્લાસગો યુનિવર્સિટીમાં શિક્ષણ લીધા પછી 1914માં એબર્ડીન યુનિવર્સિટીના પ્રાણી-પોષણ વિભાગના તેઓ અધ્યક્ષ નિમાયા હતા. 1929માં તે જ સ્થળે…

વધુ વાંચો >