જયાનંદ દવે

દ્રોણ

દ્રોણ : મહાભારતનાં મુખ્ય પાત્રોમાંનું એક. મહર્ષિ ભરદ્વાજના તેઓ પુત્ર. સ્નાન પછી વસ્ત્રો બદલતી અપ્સરા ઘૃતાચીના સૌન્દર્યદર્શને અનર્ગલ કામાવેશાવસ્થામાં ભરદ્વાજનું વીર્ય સ્ખલિત થયું, જેને તેમણે ‘દ્રોણ’(યજ્ઞકલશ)માં સાચવી રાખ્યું. તેમાંથી પુત્રનો જન્મ થયો, જેથી તેને ‘દ્રોણ’ નામ મળ્યું. આચાર્ય અગ્નિવેશના ગુરુકુળમાં દ્રોણ દ્રુપદના સહાધ્યાયી સુહૃદ હતા, ત્યારે દ્રુપદે તેમને સહાયવચનો આપેલાં,…

વધુ વાંચો >

દ્રૌપદી

દ્રૌપદી : મહાભારતનું મુખ્ય સ્ત્રી-પાત્ર. દ્રૌપદી એટલે પાંચાલરાજા દ્રુપદની સાધ્વી પુત્રી, જેનું પ્રાકટ્ય, શચીના અંશથી યજ્ઞકુંડમાંથી થયું હતું. એનું સૌન્દર્ય અનુપમ હતું અને કાંતિ ગૌર હોવા છતાં વર્ણ થોડો શ્યામ હોવાને કારણે, પિતાએ તેને મજાકમાં ‘કૃષ્ણા’ કહી, તેથી તેને ‘કૃષ્ણા’ નામ પણ મળ્યું. એના સ્વયંવરમાં વિભિન્ન દેશોમાંથી રાજાઓ આવ્યા હતા,…

વધુ વાંચો >

ધૃતરાષ્ટ્ર

ધૃતરાષ્ટ્ર : વ્યાસરચિત સંસ્કૃત મહાકાવ્ય ‘મહાભારત’નું એક મહત્વનું પાત્ર. શાંતનુના નિ:સંતાન અવસાન પામેલા પુત્ર વિચિત્રવીર્યની વિધવા પત્ની અંબિકા સાથેના સત્યવતી-યોજિત વ્યાસના નિયોગથી અંધ જન્મેલ ‘ક્ષેત્રજ’ પુત્ર ધૃતરાષ્ટ્ર ‘મહાભારત’નાં ખલપાત્રોમાંનો એક છે. તે માત્ર ચર્મચક્ષુ-અંધ નહોતો, અન્યનાં – સવિશેષ, પાંડવોનાં – ક્લ્યાણદર્શનનાં આંતરચક્ષુથી પણ વંચિત હતો. પાંડવોનું અધિકારસિદ્ધ અર્ધું રાજ્ય પડાવી…

વધુ વાંચો >

નકુલ

નકુલ : મહાભારતનું એક પાત્ર. અશ્વિનીકુમારોના અંશથી, માદ્રીના ગર્ભથી, જોડિયા જન્મેલા બે પુત્રોમાંનો પાંડુનો ‘ક્ષેત્રજ’ મોટો પુત્ર અને ચોથો પાંડવ. અનુપમ સૌન્દર્યથી સંપન્ન નકુલ દેખાવે અત્યંત સોહામણો હતો. પાંડુ સાથે સતી થતાં, માદ્રીએ પોતાના બંને પુત્રો કુન્તીને સોંપ્યા હતા. નકુલને દ્રૌપદીગર્ભથી જન્મેલો, શતાનીક નામક પુત્ર હતો અને ચેદિરાજકન્યા કરેણુમતી સાથેનાં…

વધુ વાંચો >

નારદ

નારદ : પ્રાચીન ભારતીય પરંપરામાં ઉલ્લેખ પામતા દેવર્ષિ. બ્રહ્માના માનસપુત્ર નારદ દશ પ્રજાપતિઓમાંના પણ એક છે. વિષ્ણુના પરમભક્ત તરીકે, દેવો-મનુષ્યો વચ્ચે સંદેશવાહક તરીકે અને સમર્પિત વિશ્વહિતચિંતક તરીકે, પૌરાણિક સાહિત્યમાં, નારદ ત્રિલોકમાં નિત્યપ્રવાસી બન્યા છે. મસ્તક પર ઊભી શિખા, હાથમાં વીણા અને હોઠે-હૈયે ભગવન્નામરટણ. નારદનું આ લોકપ્રતિષ્ઠિત વર્ણન છે. એ જ…

વધુ વાંચો >

પરશુરામ

પરશુરામ : વિષ્ણુનો અવતાર ગણાયેલા વીર ઋષિ. પોતાના પ્રિય શસ્ત્ર પરશુ(કુહાડી, ફરશી)ને કારણે ‘પરશુરામ’ નામથી સુપ્રસિદ્ધ છે. બ્રહ્માના દશ માનસપુત્રોમાંના એક એવા ભૃગુઋષિના વંશમાં જન્મેલા જમદગ્નિ અને રેણુકાના આ સુપુત્રની શાસ્ત્ર-શસ્ત્રાસ્ત્ર તથા તપશ્ચર્યાની સિદ્ધિઓનો પ્રભાવ એવી પરાકાષ્ઠાએ પહોંચ્યો કે હિંદુ ધર્મની પૌરાણિક પરંપરાએ માન્ય કરેલા, ભગવાન વિષ્ણુના દશ અવતારોમાં, રામના…

વધુ વાંચો >

પર્જન્ય

પર્જન્ય : ઋગ્વેદના એક ગૌણ કક્ષાના અંતરિક્ષ-સ્થાનીય દેવતા. પૃથિવીના પતિ અને દ્યૌ: ના આ પુત્રની ઋગ્વેદમાં માત્ર ત્રણ જ સૂક્તોમાં, પૃથ્વી પર જળસિંચન કરનાર દેવ તરીકે સ્તુતિ કરવામાં આવી છે. વર્ષાકાલીન મેઘના રૂપમાં, એક સજીવ દેવ તરીકે નિરૂપતી પર્જન્યની તુલના જોરથી બરાડા પાડતા વૃષભ સાથે કરવામાં આવી છે. તે જ્યારે…

વધુ વાંચો >

પાર્વતી

પાર્વતી : હિંદુ ધર્મ-પુરાણઅનુસાર હિમાલય પર્વતની પુત્રી અને શિવની પત્ની. પાર્વતી તે પૂર્વજન્મમાં, બ્રહ્માના માનસપુત્ર દક્ષ-પ્રજાપતિનાં પુત્રી સતી. સંહારના દેવ તરીકે શંકર પ્રત્યે દક્ષને પહેલેથી જ તિરસ્કાર હતો અને પોતાની ઇચ્છા વિરુદ્ધ સતી શંકરને પરણ્યાં, તેથી તે દુર્ભાવ દૃઢતર બન્યો. પોતે આરંભેલા મહાયજ્ઞમાં દક્ષે, એકમાત્ર મહાદેવ સિવાય, સહુને નિમંત્ર્યા. પિતાને…

વધુ વાંચો >

પાંડુ

પાંડુ : મહાભારતનું એક પ્રસિદ્ધ પાત્ર. યુધિષ્ઠિર વગેરે પાંચ ભાઈઓ પાંડુના પુત્રો હોવાથી ‘પાંડવો’ કહેવાયા. હસ્તિનાપુરના રાજા શાંતનુ યમુનાતીરના ધીવરરાજની પુત્રી મત્સ્યગંધાને પરણ્યા. તેના બે પુત્રોમાંથી મોટા ચિત્રાંગદનું યુદ્ધમાં મૃત્યુ થયું. નાના પુત્ર વિચિત્રવીર્યનો રાજ્યાભિષેક કર્યા પછી, પુત્રીઓ માટે કાશીરાજે યોજેલા સ્વયંવરમાંથી એ ત્રણેયને ભીષ્મ, વિચિત્રવીર્ય માટે, અપહરણ કરીને લઈ…

વધુ વાંચો >

પૃથિવી

પૃથિવી : વેદમાં દેવતારૂપ ગણાયેલી પૃથ્વી. ઋગ્વેદના પૃથ્વીસ્થાનીય દેવતાઓમાં પૃથિવીનું, મહદંશે, દ્યુસ્થાનીય દેવતા દ્યૌ: સાથે સંમિલિત સ્વરૂપમાં જ નિરૂપણ થયું છે. સમગ્ર ઋગ્વેદનાં કુલ 1,028 સૂક્તોમાં ત્રણ મંત્રોવાળા માત્ર એક જ સૂક્ત(5, 84)માં અને અથર્વવેદના એક સુંદર અને સુદીર્ઘ પ્રભૂમિસૂક્ત(12, 1)માં જ, સ્વતંત્ર દેવતા તરીકે, પૃથિવીની પ્રશસ્તિ મળે છે. દ્યૌ:…

વધુ વાંચો >