જયદેવ જાની

અધિકાર (વ્યાકરણશાસ્ત્ર)

અધિકાર (વ્યાકરણશાસ્ત્ર) : સામાન્ય અર્થ ‘શાસન, કાર્યપ્રદેશ’. પાણિનિના-વ્યાકરણમાં ‘અધિકરણ-વિષયવિભાગ’ એ વિશિષ્ટ અર્થ. તેમાં અધિકારસૂત્રોને સ્વરિત સ્વરની નિશાની કરવામાં આવે છે. પ્રત્યેક અધિકારસૂત્રનો તે તે સ્થળે સ્વતંત્ર અર્થ હોતો નથી, પણ તેની અનુવૃત્તિનું ક્ષેત્ર તે તે વિષયની સમાપ્તિ સુધી વિસ્તૃત હોય છે. બીજું અધિકારસૂત્ર આવે ત્યારે આગલા અધિકારની નિવૃત્તિ થાય છે…

વધુ વાંચો >

અનુવૃત્તિ (વ્યાકરણ)

અનુવૃત્તિ (વ્યાકરણ) : અનુવર્તન, અનુસરણ. સંસ્કૃત વ્યાકરણનાં સૂત્રોમાં એક કે તેથી વધારે પદોની પુનરાવૃત્તિ કરવી એ દોષ મનાય છે. તેવું પુનરાવર્તન કરવું ન પડે અને સાથોસાથ સૂત્રની સંક્ષિપ્તતા (સ્વલ્પાક્ષરતા) સાધી શકાય તે હેતુથી આ યુક્તિનો આશ્રય લેવામાં આવે છે. ખાસ કરીને, પાણિનીય વ્યાકરણનાં સૂત્રોમાં આગલા સૂત્રમાં આવતું પદ તે પછીનાં…

વધુ વાંચો >

અભ્યંકર કાશીનાથ વાસુદેવ

અભ્યંકર, કાશીનાથ વાસુદેવ (જ. 7 ઑગસ્ટ 1890, પુણે; અ. 1 ડિસેમ્બર 1976, પુણે) : ભારતના અર્વાચીન યુગના અગ્રણી સંસ્કૃત વૈયાકરણી. કિશોરાવસ્થામાં પિતાશ્રી મહામહોપાધ્યાય વાસુદેવ શાસ્ત્રી અભ્યંકર અને ગુરુશ્રી રામશાસ્ત્રી ગોડબોલે પાસે પાણિનિની ‘અષ્ટાધ્યાયી’ અને ભટ્ટોજિ દીક્ષિતની ‘સિદ્ધાંતકૌમુદી’, હાઈસ્કૂલના અભ્યાસ દરમિયાન ‘મનોરમા ટીકા’, નાગેશ ભટ્ટના ‘પરિભાષેન્દુશેખર’, ‘શબ્દેન્દુશેખર’ તેમજ પતંજલિના ‘મહાભાષ્ય’નો અભ્યાસ…

વધુ વાંચો >

અમોઘવૃત્તિ

અમોઘવૃત્તિ (નવમી સદી) : સંસ્કૃત વ્યાકરણગ્રંથ ‘શાકટાયન શબ્દાનુશાસન’ પરની ટીકા. સંસ્કૃત વ્યાકરણની જૈન પરંપરાના પાલ્યકીર્તિ નામના વૈયાકરણે ‘શાકટાયન’ ઉપનામથી ‘શાકટાયન શબ્દાનુશાસન’ રચ્યું. પોતે રાષ્ટ્રકૂટ રાજા અમોઘવર્ષ પહેલાના આશ્રિત હતા એટલે શબ્દાનુશાસનનાં 3,200 સૂત્રો પર, પોતે જ 18,000 શ્લોકમાં રાજા અમોઘવર્ષનું નામ જોડેલી અમોઘવૃત્તિ (અમોઘાવૃત્તિ) ટીકા રચી. તેમાં ગણપાઠ, ધાતુપાઠ, લિંગાનુશાસન…

વધુ વાંચો >

અશ્વઘોષ

અશ્વઘોષ (ઈસુની પહેલી સદી) : મગધ દેશનો રાજ્યાશ્રિત કવિ. અશ્વઘોષના નામ વિશે દંતકથાઓમાંથી એક દંતકથાનુસાર કહેવાય છે કે કનિષ્ક રાજાએ મગધ પર આક્રમણ કર્યું અને મગધના રાજા પાસે બુદ્ધનું ભિક્ષાપાત્ર અને કવિ અશ્વઘોષ માગ્યાં. રાજા પોતાના માનીતા કવિને મોકલવા રાજી ન હતા અને તેથી પોતાના દરબારીઓને બતાવવા સારુ અશ્વશાળાના અશ્વો…

વધુ વાંચો >

અષ્ટાધ્યાયી

અષ્ટાધ્યાયી (ઈસુની પૂર્વે પાંચમી સદી) : પાણિનિએ પોતાના સંસ્કૃત વ્યાકરણનાં સૂત્રોનો આઠ અધ્યાયમાં રચેલો ગ્રંથ. સૂત્રોની સંક્ષિપ્તતા જાળવવા માટે અને સાથોસાથ સૂત્રો સંદિગ્ધ અને અર્થહીન ન રહે તે માટે તેમાં સંસ્કૃત વર્ણમાળાને ચૌદ પ્રત્યાહાર (ટૂંકાં રૂપ બનાવવા માટેનાં) સૂત્રોમાં ગોઠવીને ‘શિવસૂત્રો’ કે ‘માહેશ્વરસૂત્રો’ તરીકે શરૂઆતમાં મૂકવામાં આવ્યાં છે. તેનાં પ્રથમ…

વધુ વાંચો >

અંતરંગ

અંતરંગ : પાણિનીય વ્યાકરણની પરિભાષાનો એક શબ્દ. સામાન્ય અર્થ ‘નજીકનું કે અંદરનું અંગ’. પાણિનીય વ્યાકરણનાં સૂત્રો પાંચ સ્વરૂપે કાર્ય સાધે છે. તેમાં પછીનું સૂત્રસ્વરૂપ આગલા સૂત્રસ્વરૂપ કરતાં બળવાન હોય છે, તેથી જ્યારે પરસ્પર બે સૂત્રોનો વિરોધ ઊભો થાય ત્યારે તે તે સૂત્રના સ્વરૂપનો ખ્યાલ રાખીને કાર્ય સાધવામાં આવે છે. (1)…

વધુ વાંચો >

ઉણાદિ

ઉણાદિ : ‘ઉણ’ પ્રત્યયથી શરૂ થતા કર્તરિ પ્રત્યયો. પાણિનિએ તેમના 3.3.1 અને 3.4.75માં એનો નિર્દેશ કર્યો છે. શાકટાયન નામના વૈયાકરણે ઉણાદિ પ્રત્યયોનાં સૂત્રોને દસ પાદોમાં વિભાજિત કરીને સ્વતંત્ર રૂપે એકત્રિત કર્યાં છે. તેમાંથી 5 પાદનાં 748 સૂત્રો ‘સિદ્ધાંતકૌમુદી’માં લેવામાં આવ્યાં છે. સંસ્કૃત નામો ધાતુ(આખ્યાત)માંથી જ બને છે તેવું પ્રતિપાદન ઉણાદિ…

વધુ વાંચો >

કારક

કારક : પ્રાતિપદિક (નામ આદિ શબ્દો) અને આખ્યાત (ક્રિયાપદ) વચ્ચેનો સંબંધ. વ્યુત્પત્તિ અનુસાર ‘કારક’ એટલે ક્રિયાવ્યાપારનો કર્તા. (कृ + ण्वुल्). વ્યાકરણશાસ્ત્રમાં ‘કારક’ શબ્દ ક્રિયાનું નિમિત્ત, ક્રિયાનો હેતુ, ક્રિયાનો નિર્વર્તક એવા પારિભાષિક અર્થમાં વપરાયો છે. અર્થાત્ પ્રાતિપદિક શબ્દનો (નામ, સર્વનામ, વિશેષણનો) ક્રિયાનિર્વૃતિ અર્થે એટલે કે ક્રિયા પૂર્ણ કરવા માટેના અનેક અવાન્તર…

વધુ વાંચો >

કાશિકા (સાતમી-આઠમી શતાબ્દી)

કાશિકા (સાતમી-આઠમી શતાબ્દી) : પાણિનિના સૂત્રગ્રંથ ‘અષ્ટાધ્યાયી’ પર વૃત્તિ (વિવરણ) રૂપે રચાયેલો સંસ્કૃત ગ્રંથ. તેના રચયિતાઓ જયાદિત્ય અને વામન છે. અષ્ટાધ્યાયીના પહેલા, બીજા, પાંચમા અને છઠ્ઠા અધ્યાયો પરની વૃત્તિ જયાદિત્યની છે અને ત્રીજા, ચોથા, સાતમા અને આઠમા અધ્યાયો પરની વૃત્તિ વામનની હોવાનું વિદ્વાનોનું મંતવ્ય છે. આ ગ્રંથની રચના કાશીમાં થઈ…

વધુ વાંચો >