જયદેવ જાની

કિલહોર્ન ફ્રીન્ઝ

કિલહોર્ન ફ્રીન્ઝ (જ. 1840; અ. 1908) : પ્રાચ્યવિદ્યાના જર્મન પંડિત. તેમણે ગુરુ સ્ટેન્ઝલર પાસે વ્યાકરણનો અભ્યાસ કર્યો. સૌપ્રથમ શાન્તવનનાં ફિટ્સૂત્રોનું સંપાદન કર્યું. પંદર વર્ષ સુધી પુણેમાં રહીને પાણિનીય પરંપરાના ‘મહાભાષ્ય’ તથા ‘પરિભાષેન્દુશેખર’નું સઘન અધ્યયન કર્યું અને તેના પરિણામસ્વરૂપ પાતંજલ મહાભાષ્યનું અપ્રતિમ સંપાદનકાર્ય અને પરિભાષેન્દુશેખરનો અંગ્રેજી અનુવાદ તેમણે આપ્યાં. પ્રાચીન ઉત્કીર્ણ…

વધુ વાંચો >

કુટ્ટનીમત

કુટ્ટનીમત (આઠમી સદી) : જયાપીડના કુંવર લલિતાપીડના શાસનકાળ દરમિયાન વારાણસીની કુટ્ટણીઓમાં પ્રચલિત આચારવિચારનું આર્યા છંદોબદ્ધ (1058) પદ્યોમાં સચોટ આલેખન ધરાવતો ગ્રંથ. તેનું બીજું નામ શંભલીમત કે કામિનીમત. રચયિતા દામોદર ગુપ્ત. તે કાશ્મીરનરેશ જયાપીડના રાજ્યાશ્રિત હતા. માલતી નામે સૌંદર્યવતી ગણિકાને વિકરાલા નામની કૂટણી ધનિક યુવાનોને ફસાવવાની દુષ્ટ યુક્તિઓ સમજાવે છે તેવી…

વધુ વાંચો >

કૈયટ

કૈયટ (અગિયારમી સદી લગભગ) : સંસ્કૃત વ્યાકરણના ભાષ્યકાર. મૂળ કાશ્મીરના વતની પણ જ્ઞાનસંપાદન, અધ્યાપન તથા લેખનના કારણે વારાણસીમાં વસ્યા હતા. તેના પિતા જૈયટ ઉપાધ્યાય હતા. કાવ્યપ્રકાશકાર મમ્મટ અને શુક્લ યજુર્વેદ પર ભાષ્ય રચનાર ઉવટને કેટલાક વિદ્વાનો તેમના ભાઈઓ તરીકે ગણે છે. તેમના ગુરુનું નામ મહેશ્વર હતું. કૈયટે પાણિનીય વ્યાકરણ પરના…

વધુ વાંચો >

કૌંડ ભટ્ટ (કોંડ ભટ્ટ)

કૌંડ ભટ્ટ (કોંડ ભટ્ટ) (જ. 1494; અ. 1574) : સંસ્કૃત વ્યાકરણ-ટીકાકાર. તે સારસ્વત કુળના કાશીનિવાસી બ્રાહ્મણ હતા. તેમના પિતા રંગોજી ભટ્ટ હતા. ‘સિદ્ધાંતકૌમુદી’ના વિશ્વવિખ્યાત રચયિતા વૈયાકરણ ભટ્ટોજી દીક્ષિત તેમના કાકા થતા હતા. તેમણે શેષકૃષ્ણના પુત્ર શેષવીરેશ્વર (સર્વેશ્વર) પાસે વ્યાકરણનું સઘન અધ્યયન કર્યું હતું. ભટ્ટોજી દીક્ષિતના ‘વૈયાકરણસિદ્ધાંતકારિકા’ (72 કારિકા) નામના લઘુગ્રંથ…

વધુ વાંચો >

ક્રિયા

ક્રિયા : વ્યાકરણની પરિભાષામાં ધાતુનો અર્થ, ધાતુના અર્થરૂપ પ્રવૃત્તિ, ભાવના. ‘જવું’, ‘મેળવવું’ વગેરે ધાતુઓ દ્વારા જવાની, મેળવવાની ક્રિયાસિદ્ધ કરવા સારુ જે વ્યાપાર – પ્રવૃત્તિ કરવામાં આવે છે તે. ક્રિયા બે પ્રકારની છે : गच्छति(તે જાય છે)માં ચલનાત્મક ક્રિયા (dynamic action) છે. આવી ક્રિયા तिङ् કે कृत् પ્રત્યયો વડે દર્શાવાય છે.…

વધુ વાંચો >