જમાલુદ્દીન રહીમુદ્દીન શેખ

તબકાતે અકબરી

તબકાતે અકબરી : હિંદમાં મુસ્લિમ શાસનની શરૂઆતથી અકબરના શાસનના 39મા વર્ષ સુધીનો ઇતિહાસનો પ્રમાણભૂત ગ્રંથ. લેખક નિઝામુદ્દીન અહમદ હરાવી (1551–1594). પ્રસ્તાવના અને પુરવણી ઉપરાંત નવ પ્રકરણમાં લખાયેલો આ ગ્રંથ ત્રણ ખંડમાં બંગાળની એશિયાટિક સોસાયટી દ્વારા પ્રગટ કરવામાં આવ્યો છે. આ ગ્રંથ ‘તબકાતે અકબરશાહી’ અથવા ‘તારીખે નિઝામી’ના નામથી પણ પ્રચલિત છે.…

વધુ વાંચો >

તબકાતે નાસિરી

તબકાતે નાસિરી : ભારતમાં મુસ્લિમ શાસનના પ્રારંભકાળમાં લખાયેલ ઇતિહાસનો મહત્વનો ગ્રંથ. આ ગ્રંથના લેખકનું નામ મિન્હાજ સિરાજ તરીકે ઓળખાતા મિન્હાજુદ્દીન જુઝજાની (જ. 1193) હતું. દિલ્હીના સુલતાન નાસિરૂદ્દીન મહમુદના શાસનકાળ વખતે  બલબને ઈ. સ. 1254માં દિલ્હીમાં પોતાનું રાજકીય સ્થાન મજબૂત બનાવ્યું. તે સમયે આ ગ્રંથના લેખકને મુખ્ય કાઝી તરીકે નીમવામાં આવ્યા…

વધુ વાંચો >

તાજુલ મઆસિર

તાજુલ મઆસિર : કુત્બુદ્દીન અને અલ્તમશના શાસનનો ઇતિહાસગ્રંથ. તેના લેખકનું નામ હસન નિઝામી અથવા તાજુદ્દીન હસન બિનનિઝામી હતું. 1205માં હસન નિઝામીએ તાજુલ મઆસિર લખવાની શરૂઆત કરી. આ ગ્રંથમાં 1217 સુધીની ઘટનાઓ તેમજ બનાવો નોંધાયા છે. તાજુલ મઆસિર કુત્બુદ્દીન ઐબક અને સમશુદ્દીન અલ્તમશનો ઇતિહાસ હોવાથી તેની ઘણી અગત્ય છે. અલ્તમશના શાસનકાળનાં…

વધુ વાંચો >

તારીખે ગુજરાત

તારીખે ગુજરાત : અબૂ તુરાબ વલી દ્વારા લખાયેલો ગુજરાતના ઇતિહાસનો ગ્રંથ. મુઘલ સમ્રાટ અકબરના શાસનકાળ દરમિયાન લખાયેલો આ ઇતિહાસગ્રંથ ઐતિહાસિક ર્દષ્ટિએ મૂલ્યવાન છે. ગુજરાતના સુલતાન બહાદુરશાહના રાજ્યકાળનો આ આંશિક ઇતિહાસ છે. મુહમ્મદ ઝમા હી. સં. 32(ઈ. સ. 1525)માં ગુજરાતના સુલતાન બહાદુરશાહના દરબારમાંથી નાસી જાય છે. ત્યાંથી આ ઇતિહાસનો આરંભ થાય…

વધુ વાંચો >

તારીખે દાઊદી

તારીખે દાઊદી : ભારતમાંના અફઘાન શાસનને આવરી લેતો ઇતિહાસનો ગ્રંથ. તેના કર્તા તેમજ તેની રચનાની તારીખ વિશે વિગતવાર માહિતી મળતી નથી, પરંતુ કર્તાના નામ અબ્દુલ્લાહ પરથી તેમજ મુઘલ સમ્રાટ જહાંગીરના તે ઇતિહાસમાંના ઉલ્લેખ પરથી એવું અનુમાન કરી શકાય કે આ ઇતિહાસ જહાંગીર ગાદી પર આવ્યા (1605) પછી લખાયો હશે. સાદી…

વધુ વાંચો >

તારીખે ફિરિશ્તા

તારીખે ફિરિશ્તા (અથવા ‘ગુલશને ઇબ્રાહીમી’) : જહાંગીરના રાજ્યારોહણ (1605) સુધીનો મુસ્લિમ શાસનનો ઇતિહાસ. લેખકનું મૂળ નામ મુલ્લા મુહમ્મદ કાસિમ હિન્દુશાહ અને ઉપનામ ‘ફિરિશ્તા’ હતું. ફિરિશ્તાએ 1606માં ઇતિહાસ લખવાનું શરૂ કર્યું અને 1611માં પૂર્ણ કર્યું. ઇતિહાસ લખતાં પહેલાં તેણે હાથ લાગેલી બધી ઐતિહાસિક સામગ્રીનું અધ્યયન કર્યું હતું. લગભગ 32 કે 35…

વધુ વાંચો >

તારીખે મુઝફ્ફરશાહી

તારીખે મુઝફ્ફરશાહી : મુઝફ્ફરશાહ બીજાના શાસન (1511–1526) દરમિયાનનો ઇતિહાસ. તેના  કર્તાનું નામ મીર સૈયદ અલી કાશાની હતું. તે ગુજરાતના સુલતાન મુઝફ્ફરશાહ બીજાનો દરબારી ઇતિહાસકાર હતો. તે કવિ પણ હતો. સુલતાન મુઝફ્ફરશાહના આદેશથી તેણે આ ઇતિહાસ આડંબરી ભાષામાં લખ્યો છે. ગદ્ય અને પદ્યમાં રચાયેલ આ ટૂંકો ઇતિહાસ સુલતાન મુઝફ્ફરશાહ બીજાના માંડૂના…

વધુ વાંચો >

તારીખે મુબારકશાહી

તારીખે મુબારકશાહી : સુલતાન શિહાબુદ્દીન ઘોરી(1163થી 1205)થી માંડી સૈયદ મુહમ્મદ શાહ બિન ફરીદખાન બિન ખિઝ્રખાનના રાજ્યઅમલના બીજા વર્ષ (1433) સુધીના બનાવો અને ઘટનાઓને આવરી લેતો ઇતિહાસનો મહત્વનો ગ્રંથ. આ ગ્રંથના લેખક યાહિયા બિન એહમદ સરહિન્દી સૈયદ વંશ(1414–1451)ના સમકાલીન ઇતિહાસકાર હતા. આ ગ્રંથની એ વિશિષ્ટતા છે કે મુઘલ કાળના ઇતિહાસકારોએ પણ…

વધુ વાંચો >

તારીખે સોરઠ વ હાલાર

તારીખે સોરઠ વ હાલાર : દીવાન રણછોડજીકૃત ફારસીમાં લખાયેલ સૌરાષ્ટ્રનો ઇતિહાસ. જૂનાગઢના પ્રખ્યાત દીવાન રણછોડજી (1768–1841) દ્વારા ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં લખાયેલો આ ગ્રંથ સૌરાષ્ટ્રના ઇતિહાસ માટે એક મહત્વનો ગ્રંથ છે, જેમાં સૌરાષ્ટ્રમાં બનેલી કેટલીક અગત્યની ઘટનાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ પુસ્તક એકંદરે નવ પ્રકરણોમાં વહેંચાયેલું છે. પ્રથમ પ્રકરણમાં…

વધુ વાંચો >

તુઝૂકે જહાંગીરી

તુઝૂકે જહાંગીરી : મુઘલ બાદશાહ જહાંગીરે લખેલું પોતાનું જીવનવૃત્તાંત. ‘તુઝૂકે જહાંગીરી’માં મુઘલ સમ્રાટ  જહાંગીરે પોતાના શાસનનાં પ્રથમ 17 વર્ષ સુધીની ઘટનાઓનું વર્ણન કર્યું છે. તે પછીના તેના શાસનનાં 19મા વર્ષની શરૂઆત સુધીના બનાવો તેના આદેશ પ્રમાણે મુતમિદખાને લખ્યા છે. આ પુસ્તકની ખાસ વિશેષતા તેની મૌલિકતા, સાદગી  અને સ્વચ્છતા છે. તેમાં…

વધુ વાંચો >