ગુજરાતી સાહિત્ય
શુક્લ, યશવંત પ્રાણશંકર
શુક્લ, યશવંત પ્રાણશંકર (જ. 8 એપ્રિલ 1915, ઉમરેઠ, જિ. ખેડા; અ. 23 ઑક્ટોબર 1999, અમદાવાદ) : વિવેચક, પત્રકાર, અનુવાદક. એમનું પ્રાથમિક શિક્ષણ ઉમરેઠમાં થયું. વધુ અભ્યાસ માટે તેમણે ઉમરેઠ છોડ્યું અને અમદાવાદમાં હૉસ્ટેલમાં રહીને ન્યૂ હાઈસ્કૂલમાં અભ્યાસ શરૂ કર્યો. ઈ. સ. 1932માં ન્યૂ હાઈસ્કૂલમાંથી તેમણે મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. એ…
વધુ વાંચો >શુક્લ, રમેશચંદ્ર મહાશંકર
શુક્લ, રમેશચંદ્ર મહાશંકર (જ. 27 નવેમ્બર 1929, સૂરત) : ગુજરાતી લેખક, સંશોધક, સંપાદક અને વિવેચક. તેમણે 1954માં ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાતીમાં એમ.એ.; 1978માં ગુજરાતીમાં અને 1989માં સંસ્કૃતમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. અને 2003માં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી ડૉક્ટર ઑવ્ લેટર્સ(સંશોધન)ની પદવીઓ પ્રાપ્ત કરી. તેઓ 1954થી 1979 સુધી વિવિધ કૉલેજોમાં અધ્યાપક, 1980-87…
વધુ વાંચો >શુક્લ, રાજેન્દ્ર અનંતરાય
શુક્લ, રાજેન્દ્ર અનંતરાય (જ. 12 ઑક્ટોબર 1942, બાંટવા, જિ. જૂનાગઢ) : પ્રશિષ્ટ પરંપરાના આધુનિક કવિ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વતન બાંટવામાં. ઉચ્ચ શિક્ષણ અમદાવાદમાં. સંસ્કૃત અને પ્રાકૃત વિષયો સાથે 1965માં બી.એ., 1967માં એમ.એ.. વિવિધ કૉલેજોમાં કેટલોક સમય સંસ્કૃતના અધ્યાપક રહ્યા. દાહોદ કૉલેજમાંથી 1982માં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી અને કાવ્યસર્જન તથા પઠન…
વધુ વાંચો >શુક્લ, રામચંદ્ર દામોદર
શુક્લ, રામચંદ્ર દામોદર (જ. 8 જુલાઈ 1905, શહેરા, જિ. પંચમહાલ; અ. 16 મે 2000, અમદાવાદ) : જાણીતા સાહિત્યકાર. તેમણે ‘સ્વિટ્ઝરલૅન્ડની સ્વતંત્રતા’ (1924), ‘નવલિકા-સંગ્રહ’ (નવલિકાનો વિકાસના અગ્રલેખ સાથે, 1928), ‘નવલિકા-સંગ્રહ-2’ પુસ્તક બીજું (નવલિકાનાં તત્વો પરના અગ્રલેખ સાથે, 1932), ‘ગુજરાતી સાહિત્ય : એનું મનન અને વિવેચન’ (1936), પશ્ચિમની કલાકૃતિઓ – ફ્રેન્ચ, રશિયન,…
વધુ વાંચો >શુક્લ, રામપ્રસાદ મોહનલાલ
શુક્લ, રામપ્રસાદ મોહનલાલ (જ. 8 જૂન 1907, ચૂડા; અ. 14 એપ્રિલ 1996, અમદાવાદ) : કવિ અને વિવેચક. મૂળ નામ રતિલાલ. એમનું વતન વઢવાણ. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ જામખંભાળિયામાં અને ઉચ્ચ શિક્ષણ અમદાવાદની ગુજરાત કૉલેજમાં. સંસ્કૃત મુખ્ય વિષય સાથે બી.એ. (1928) થયા પછી ઘણા લાંબા સમયગાળા પછી ઈ. સ. 1944માં ગુજરાતી મુખ્ય વિષય…
વધુ વાંચો >શૂન્ય પાલનપુરી
શૂન્ય પાલનપુરી (જ. 19 ડિસેમ્બર 1922; અ. 17 માર્ચ 1987, પાલનપુર) : ગુજરાતી અને ઉર્દૂના ગઝલકાર. એમનું મૂળ નામ અલીખાન ઉસ્માનખાન બલોચ હતું. અલીખાન લગભગ ચાર વર્ષના હતા ત્યારે એમના પિતાનું અવસાન થયું. એમની માતાનું નામ નનીબીબી હતું. પાલનપુરમાં મામાને ઘેર તેમનો ઉછેર થયો. બાળપણથી અલીખાને ઘરનો નિર્વાહ ચલાવવા માટે…
વધુ વાંચો >શેઠ, કેશવલાલ હરગોવિંદદાસ
શેઠ, કેશવલાલ હરગોવિંદદાસ (જ. 20 નવેમ્બર 1888, ઉમરેઠ, જિ. ખેડા; અ. 1 નવેમ્બર 1947, અમદાવાદ, ગુજરાત) : ગુજરાતી કવિ અને અનુવાદક. જ્ઞાતિએ ખડાયતા વણિક. પ્રાથમિક શિક્ષણ ઉમરેઠમાં. પછી અમદાવાદમાં સ્થાયી થયા. અંગ્રેજી, મરાઠી, હિંદી તથા અન્ય ભાષાઓનો અભ્યાસ ખાનગી રીતે ચાલુ રાખ્યો. આજીવિકા માટે સ્વતંત્ર માલિકીનું ખડાયતા મુદ્રણકલા મંદિર નામનું…
વધુ વાંચો >શેઠ, ચંદ્રકાન્ત
શેઠ, ચંદ્રકાન્ત (જ. 3 ફેબ્રુઆરી 1938, કાલોલ, પંચમહાલ; અ. 2 ઑગસ્ટ 2024 અમદાવાદ) : ગુજરાતી કવિ, નિબંધકાર, વાર્તાકાર, કોશકાર, વિવેચક, સંપાદક, અનુવાદક, હાસ્યકાર, ચરિત્રકાર અને કેળવણીકાર. ઉપનામો : નંદ સામવેદી, આર્યપુત્ર, બાલચંદ્ર, દક્ષ પ્રજાપતિ. વતન : ઠાસરા (ખેડા). પિતા ત્રિકમલાલ શેઠ ચુસ્ત વૈષ્ણવ, ઠાકોરજીમાં – કીર્તનમાં ઓતપ્રોત. ગળથૂથીમાંથી જ કવિને…
વધુ વાંચો >શેઠના, રતનજી ફરામજી
શેઠના, રતનજી ફરામજી (જ. 1872, ભિવંડી, જિ. થાણા; અ. 1965) : ‘જ્ઞાનચક્ર’કાર, નાટ્યલેખક અને કવિ. તેમનો જન્મ પારસી કુટુંબમાં થયો હતો. એમના પિતા ફરામજી પૈસેટકે સંપન્ન હતા. વતન મહારાષ્ટ્રમાં હોવાથી રતનજીને પ્રારંભનું શિક્ષણ મરાઠીમાં મળવા ઉપરાંત ગુજરાતી ભાષા સાથે પણ તેમનો પરિચય થયો અને એ રીતે ગુજરાતી અને મરાઠી બંનેનો…
વધુ વાંચો >શૈવાલિની
શૈવાલિની : બટુભાઈ ઉમરવાડિયા (13-7-1899 – 19-1-1950) લિખિત ચાર પ્રવેશોમાં વિભાજિત એકાંકી (1927). શરૂઆતનાં દૃશ્યોમાં શૈવાલિનીનું પાત્ર ઉપસાવવા માટે અને એની લગ્નબાહ્ય સંબંધોની કુટિલતા અને અધ:પતન વિશે પતિ શ્રીમુખના મિત્ર સુબોધ દ્વારા ચર્ચા અને ચિંતા વ્યક્ત કરી તીવ્ર રહસ્ય ઘૂંટવામાં આવ્યું છે. પતિ શ્રીમુખ શૈવાલિનીને કેમ માફ કરે છે અને…
વધુ વાંચો >