ઔષધશાસ્ત્ર

શિરામાર્ગી ઉપગમ (venous access)

શિરામાર્ગી ઉપગમ (venous access) : શિરા દ્વારા ઔષધો અને પ્રવાહી આપવા માટે કરાતી પ્રક્રિયાઓ. કેટલાક ઔષધો તથા પ્રવાહી નસ વાટે (શિરામાર્ગે) આપવાં પડે તેમ હોય છે. તેનું કારણ તે ઔષધનો પ્રકાર, પ્રવાહીનું કદ તથા દર્દીની શારીરિક સ્થિતિ હોય છે. તે માટે વિવિધ પ્રક્રિયાઓ કરી શકાય છે  સોય દ્વારા, સોય તથા…

વધુ વાંચો >

શીવણ (સિવણ, સેવન, ગંભારી, શ્રીપર્ણી)

શીવણ (સિવણ, સેવન, ગંભારી, શ્રીપર્ણી) : એક રસાયન-ઔષધિ. ગુજરાતમાં ગિરનારની ખીણો, દત્તાત્રેયની ટેકરી અને તળેટી પાસે, તથા પંચમહાલ-રાજપીપળાનાં જંગલોમાં શીવણ કે સેવનનાં 40થી 60 ફૂટ ઊંચાં મોટાં વૃક્ષો થાય છે. તેનાં થડ અને ડાળી સફેદ રંગનાં હોય છે. તેનાં પાન પીપળાનાં પાન જેવાં જ પણ તેથી મોટાં, ખંડિત કિનારી વગરનાં,…

વધુ વાંચો >

શ્વાસકુઠારરસ (આયુર્વેદિક ઔષધિ)

શ્વાસકુઠારરસ (આયુર્વેદિક ઔષધિ) : નિર્માણવિધિ : શુદ્ધ પારો, શુદ્ધ ગંધક, શુદ્ધ વછનાગ, ટંકણખાર અને મન:શિલ 10-10 ગ્રામ, કાળાં મરી 80 ગ્રામ લેવામાં આવે છે. પ્રથમ ખરલમાં પારો અને ગંધક એકત્ર કરી ઘૂંટીને તેની કજ્જલી બનાવી લેવાય છે. પછી તેમાં વછનાગ, ટંકણખાર અને મરી વારાફરતી મેળવતાં જઈ ઘૂંટવામાં આવે છે. પછી…

વધુ વાંચો >

શ્વાસરોગ (આયુર્વેદ દૃષ્ટિએ)

શ્વાસરોગ (આયુર્વેદ દૃષ્ટિએ) : દમ રોગ. આ રોગને પ્રાણાંતક રોગ કહેવામાં આવે છે. શ્વાસરોગ પ્રાણવહ સ્રોતની દૃષ્ટિથી ઉત્પન્ન થાય છે. ચરક કહે છે કે, પ્રાણનું હરણ કરનારા અનેક રોગો છે. પણ શ્વાસ અને હેડકી જે રીતે તાત્કાલિક પ્રાણનાશ કરે છે તે રીતે કોઈ રોગ કરતો નથી. શ્વાસરોગ પાંચ પ્રકારના છે…

વધુ વાંચો >

સલ્ફોનેમાઇડો (Sulphonamides) (ઔષધશાસ્ત્ર)

સલ્ફોનેમાઇડો (Sulphonamides) (ઔષધશાસ્ત્ર) : રાસાયણિક સમૂહ – SO2NH2 ધરાવતાં સંયોજનો. જે કોઈ સંયોજન આ સમૂહ ધરાવતું હોય અને ખાસ કરીને જીવાણુ દ્વારા લાગતા ચેપના ઉપચાર માટે વપરાતું હોય તે સલ્ફોનેમાઇડ કહેવાય છે. કેટલાંક બહુમૂત્રલો (diuretics) તથા મધુપ્રમેહ માટે વપરાતાં ઔષધોનો પણ આમાં સમાવેશ કરાય છે. જીવાણુ દ્વારા લાગતા ચેપ સામે…

વધુ વાંચો >

સંરચના-સક્રિયતા સંબંધ (structure-activity relationship, SAR)

સંરચના–સક્રિયતા સંબંધ (structure-activity relationship, SAR) : ઔષધની રાસાયણિક સંરચના અને તેની સક્રિયતા અથવા ક્રિયાશીલતા વચ્ચેનો સંબંધ. ઔષધો એવા રાસાયણિક પદાર્થો છે જે જીવંત પ્રાણીઓના કાર્ય(function)ને અસર કરે છે અને તેથી રોગની સારવાર કરવા, તેને અટકાવવા અથવા તેની પરખ માટે ઉપયોગમાં લેવાય છે. શરૂ શરૂમાં કુદરતી રીતે ઉપલબ્ધ પદાર્થોનો ઔષધ તરીકે…

વધુ વાંચો >

સંશ્લેષિત ઔષધો (synthetic drugs)

સંશ્લેષિત ઔષધો (synthetic drugs) કુદરતી પ્રવિધિ દ્વારા અથવા કુદરતી સ્રોતોમાંથી પ્રાપ્ત થતાં ઔષધોને બદલે કામ આપી શકે તેવાં વિશિષ્ટ રીતે પરિરૂપિત (designed) અને કૃત્રિમ રીતે ઉત્પન્ન કરવામાં આવતાં ઔષધો. આ સંશ્લેષણ એ ઔષધો આણ્વીય સ્તરે કેવી રીતે વર્તે છે તેના ઉપર આધારિત છે. આવું ઔષધ શરીરમાંના આણ્વીય લક્ષ્ય સાથે આંતર-પ્રક્રિયા…

વધુ વાંચો >

સાઇક્લોસ્પૉરિન (cyclosporin)

સાઇક્લોસ્પૉરિન (cyclosporin) : અવયવના પ્રત્યારોપણ પછી તેનો અસ્વીકાર ન થાય તે માટે વપરાતું ઔષધ. તેને પહેલાં ‘સાઇક્લોસ્પૉરિન એ’ કહેવાતું. તેની 1971માં શોધ થઈ. તે ટી-લસિકાકોષો(T-lymphocytes)નું, વધુ પડતી ઝેરી અસર વગર, પસંદગીપૂર્ણનું નિયમન કરે તેવું પ્રથમ ઔષધ બન્યું. તેને ટૉલિપોક્લેડિયમ ઇન્ફલેટમ (tolypocladium inflatum) નામની ફૂગમાંથી એક પેપ્ટાઇડ રૂપે અલગ પાડવામાં આવ્યું…

વધુ વાંચો >

સેપોનિન ગ્લાયકોસાઇડ ઔષધો

સેપોનિન ગ્લાયકોસાઇડ ઔષધો : સ્ટેરૉઇડ્ઝ કે ટ્રાઇટર્પીન એગ્લાયકોન ધરાવતા ગ્લાયકોસાઇડ્ઝ. માનવી પ્રાચીન સમયથી વાનસ્પતિક પેદાશોનો રોગોની સારવાર માટે ઉપયોગ કરતો આવ્યો છે. વનસ્પતિમાં હાજર એવાં અમુક રસાયણો જે ઘણી વાર સ્વાદમાં ગળ્યા, તંદુરસ્તી વધારનાર અને ફીણ ઉત્પન્ન કરનાર હોય છે તેમને સેપોનિન્સ તરીકે ઓળખવામાં આવે છે. વિવિધ વનસ્પતિ, જેમાં શિમ્બી…

વધુ વાંચો >

સ્ટ્રેપ્ટોમાયસિન (Streptomycin)

સ્ટ્રેપ્ટોમાયસિન (Streptomycin) : એમીનોગ્લાયકોસાઇડ વર્ગનું શક્તિશાળી પ્રતિજૈવિક (antibiotic) ઔષધ. રાસાયણિક નામ : O2ડીઑક્સિ2(મિથાઇલ એમીનો)–α–L–ગ્લુકોપાયરેનોસીલ – (1 → 2)–0–5–ડીઑક્સિ–3–C–ફૉર્માઇલ–α–L–લિક્સોફ્યુરે-નોસીલ–(1 → 4)N, N’–બિસ (એમીનોઇમિનોમિથાઇલ)–D–સ્ટ્રેપ્ટામાઇન. સ્ટ્રેપ્ટોમાયસીસ (Streptomyces) સમૂહના સૂક્ષ્મજીવાણુઓમાંથી વાતજીવી (aerobic) જલમગ્ન (submerged) આથવણ દ્વારા મેળવાય છે. તેની સંરચના પ્રબળ જલરાગી (hydrophilic) પ્રકૃતિ સૂચવે છે અને સામાન્ય દ્રાવક-પદ્ધતિઓ વડે તેનું નિષ્કર્ષણ થઈ શકતું નથી.…

વધુ વાંચો >