ઉદ્યોગ વ્યાપાર અને વ્યવસ્થાપન

કર્મચારી સંચાલન-વ્યવસ્થા

કર્મચારી સંચાલન-વ્યવસ્થા : યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહક વેતન દ્વારા કર્મચારીઓ પાસેથી અસરકારક પરિણામ મેળવવાની તંત્રવ્યવસ્થા. કામનાં સ્વરૂપ અને ગુણવત્તાના સંદર્ભમાં યોગ્ય કર્મચારીઓની ભરતી કર્યા પછી તેમની વચ્ચે કાર્યની વહેંચણી કરવી, તેમને સંતોષ થાય તેવી કામની શરતો નિર્ધારિત કરવી, તેમને જરૂરી તાલીમ આપવી, તેમની બઢતીનાં ધોરણો નિર્ધારિત કરવાં, સંતુષ્ટ કર્મચારીઓ ટકી…

વધુ વાંચો >

કસ્ટમ ડ્યૂટી : જુઓ સીમાશુલ્ક

કસ્ટમ ડ્યૂટી : જુઓ સીમાશુલ્ક.

વધુ વાંચો >

કસ્તૂરભાઈ લાલભાઈ (શેઠશ્રી)

કસ્તૂરભાઈ લાલભાઈ (શેઠશ્રી) (જ. 19 ડિસેમ્બર 1894, અમદાવાદ; અ. 20 જાન્યુઆરી 1980, અમદાવાદ) : શિક્ષણ અને કલા-અનુરાગી, ધર્મનિષ્ઠ લોકહિતેચ્છુ મહાજન મોવડી, કુશળ વિષ્ટિકાર, સફળ ઉદ્યોગપતિ અને દાનવીર. પ્રાથમિક શિક્ષણ મ્યુનિસિપલ શાળામાં લીધું. રમતગમતમાં વિશેષ રસ. મૅટ્રિકની પરીક્ષામાં સારા ગુણો મેળવી ગુજરાત કૉલેજમાં દાખલ થયા; પરંતુ પિતા લાલભાઈનું અચાનક અવસાન થતાં…

વધુ વાંચો >

કંપની

કંપની : ઔદ્યોગિક-ધંધાકીય પ્રવૃત્તિઓ અપનાવવા માટે આધુનિક યુગની શરૂઆતથી ઉત્ક્રાંતિ પામેલું સમષ્ટિનિગમ (corporate entity) સ્વરૂપનું વ્યવસ્થાતંત્ર. રાજ્યસત્તાએ આપેલ સનદ દ્વારા કંપની સ્થાપવામાં આવતી; તેનાં કાર્યો, કાર્યક્ષેત્રો, અધિકારો, જવાબદારીઓ વગેરે સનદમાંના લખાણ પ્રમાણે રહેતાં. આવી કંપની ચાર્ટર્ડ કંપની કહેવાતી. સોળમી સદીના ઉત્તરાર્ધ અને સત્તરમી સદીના પૂર્વાર્ધમાં વ્યાપાર તથા વ્યાપારી વસાહતો વિકસાવવા…

વધુ વાંચો >

કંપનીની રચના

કંપનીની રચના સામાન્ય રીતે નફો કરવાના હેતુથી વ્યક્તિઓના સમૂહ દ્વારા ધારાકીય જોગવાઈઓ અનુસાર અસ્તિત્વમાં લાવવામાં આવતું એકમ. આ એકમ તેના નામાભિધાન મુજબ ધંધો, વ્યવસાય, ઉદ્યોગ કે વેપારની પ્રવૃત્તિ કરે છે. આમ કંપની એક નિગમ છે. કંપની કાયદાની ર્દષ્ટિએ સ્વતંત્ર છતાં કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે, જે તેના સભ્યોથી તદ્દન ભિન્ન અને…

વધુ વાંચો >

કાણે, અનિલ શ્રીધર

કાણે, અનિલ શ્રીધર (જ. 18 ઑક્ટોબર 1941, ભાવનગર) : તકનીકી ક્ષેત્રના નિષ્ણાત, વ્યવસ્થાપન-ક્ષેત્રના અગ્રણી તથા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરાના પૂર્વ કુલપતિ. પિતા ભાવનગર રિયાસતના ઇજનેર હતા. માતાનું નામ ઇન્દિરાબાઈ, જેઓ અગ્રણી સમાજકાર્યકર્તા હતાં. તેઓ રાષ્ટ્રસેવા સમિતિના આજન્મ સેવિકા હતાં. અનિલભાઈનું પ્રાથમિક, માધ્યમિક તથા ઇન્ટર સાયન્સ સુધીનું શિક્ષણ ભાવનગર ખાતે. ત્યારબાદ…

વધુ વાંચો >

કિર્લોસ્કર લક્ષ્મણરાવ કાશીનાથ

કિર્લોસ્કર, લક્ષ્મણરાવ કાશીનાથ (જ. 20 જૂન 1869, ગુર્લહોસૂર; અ. 26 સપ્ટેમ્બર 1956, પુણે) : વિખ્યાત ઉદ્યોગપતિ, એન્જિનિયરિંગ ક્ષેત્રના તંત્રવિદ્ તથા કિર્લોસ્કર ઔદ્યોગિક ગૃહના સંસ્થાપક. બેળગાંવ (કર્ણાટક) જિલ્લાના ગુર્લહોસૂર ખાતે ગરીબ કુટુંબમાં જન્મ. તેમને ઔપચારિક શિક્ષણમાં રસ ન હતો તેથી મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટ્સમાં ચિત્રકલાના અભ્યાસ માટે દાખલ…

વધુ વાંચો >

કિલાચંદ દેવચંદ

કિલાચંદ દેવચંદ (જ. 1855, પાટણ, ગુજરાત; અ. 1929) : ભારતના અગ્રગણ્ય ઉદ્યોગપતિ તથા દાનવીર. માત્ર પંદર વર્ષની ઉંમરે (1870) મુંબઈ આવ્યા અને આ નગરને તેમણે લાંબા સમય સુધી પોતાની કર્મભૂમિ બનાવ્યું. શરૂઆતમાં તેમણે કેટલીક વ્યાપારી પેઢીઓમાં વિવિધ પ્રકારની કામગીરી બજાવી. તેમની કુશાગ્ર બુદ્ધિ, વ્યાપારની સૂઝ અને કુનેહ તથા સચોટ કાર્યપ્રણાલીને…

વધુ વાંચો >

કૃત્રિમ બુદ્ધિમત્તા

કૃત્રિમ બુદ્ધિમત્તા : માનવબુદ્ધિનાં કાર્યો યંત્ર દ્વારા ગોઠવવાની કુશળતા. યાદ રાખવું, યાદદાસ્ત તાજી કરવી, તર્કથી વિચારવું, વિવિધ વિચારો વચ્ચે સંબંધ જોડવા, નવા વિચાર વિકસાવવા અગર વિચાર-વિસ્તાર કરવો, વ્યૂહરચનાઓ અને કાર્યક્રમ ઘડવા, અનુભવમાંથી શીખવું, પોતે પોતાને સુધારવું વગેરે માનવબુદ્ધિનાં કાર્યો કરવાની શક્તિ જ્યારે કોઈ યંત્ર દ્વારા ગોઠવવામાં આવે ત્યારે તે ‘કૃત્રિમ…

વધુ વાંચો >

કેન્દ્રીય જાહેર સેવા આયોગ

કેન્દ્રીય જાહેર સેવા આયોગ (UPSC) : ભારત સરકારના વહીવટી તંત્રમાં હોદ્દા ઉપર લાયકાતના ધોરણે ભરતી કરવા માટે સ્થાપવામાં આવેલ આયોગ. ભારતમાં જાહેર સેવા આયોગનો ખ્યાલ ભારતીય બંધારણીય સુધારાની નોંધમાં અને 1919ના ભારતના કાયદામાં જોવા મળે છે. જોકે વાસ્તવમાં આયોગની સ્થાપના શક્ય બની ન હતી. લી કમિશને તેને માટે જોરદાર ભલામણ…

વધુ વાંચો >